SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ દૃષ્ટિબિંદુ-તત્વજ્ઞાન અદ્ભુત હતું. તેઓ જાજરમાન જીવન જીવી જાણ્યા તો મંગલમય મૃત્યુના પણ તેટલા જ હક્કદાર છે. ૯૩ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી ૧૫-૧૦-૧૯૮૮ ના રોજ વહેલી સવારે શ્રીજીના ચરણોમાં અંતિમ આશ્રય લીધો. સુરેશ્વરસિંહજી ગોહિલ દિગ્દર્શક, છબિકાર શ્રી સુરુદાદાનો જન્મ રાજપીપળાના સદ્ગત મહારાજા સાહેબ શ્રીમંત છત્રસિંહજીના સુપુત્ર શ્રીમંત મહારાજ કિશોરસિંહજીને ત્યાં થયો હતો. અજમેરની કોલેજમાં શિક્ષણ મેળવી લંડન જઈને રહ્યા. દરમિયાન ચલચિત્ર દ્વારા સામાન્ય જનસમૂહ સુધી પહોંચવા માટે સિનેમાના માધ્યમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ સંબંધી અધ્યયન કર્યું. સાથે સાથે વિદેશના અનેક પ્રવાસોને લીધે થયેલા અનુભવોએ એમને એમના કાર્યક્ષેત્ર માટે સાચી દિશા ચીંધી. છબિકલાના વિશેષ જ્ઞાન અને અનુભવોનું ભાથું બાંધી યુ.કે.થી સ્વદેશ પાછા ફર્યા. અને એમણે ઇ. સં. ૧૯૬૦ માં પોતાનું પ્રથમ દસ્તાવેજી ચિત્ર ‘શસ્ત્રો અને શાંતિ’નું નિર્માણ કર્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે આ ચિત્રને આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં એવોર્ડ પ્રાપ્ત થયો. સુરુદાદાના કલાકાર મિત્ર શ્રી ધીરુ મિસ્ત્રીના સહયોગથી ‘ફિલ્મી સૌદાગર’ નામની સંસ્થા સ્થાપી. ‘સાથ કુછ ન જાયેગા' નામના દસ્તાવેજી ચિત્ર માટે એમણે પોતે જ પટકથા લખી. ‘સમસ્યા શાંતિથી ઉકેલીએ' ચિત્રના નિર્માણથી એમની બહુમુખી પ્રતિભાનાં દર્શન થયાં. કલાત્મક ચિત્રોનું નિર્માણ કરી રાજ્ય સરકારના, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડો પ્રાપ્ત કરી શક્યા. અને એમની કાર્યદક્ષતાનો પરિચય માત્ર ગુજરાત કે ભારતને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને કરાવ્યો છે. ભરતભાઈ વ્યાસ રાષ્ટ્રિય ‘શ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ પ્રાપ્ત કરનાર ભરતભાઈ વ્યાસ રાજપીપળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તેમણે દૈનિક વર્તમાનપત્રો, સાપ્તાહિકો અને માસિકોમાં પોતાની લેખન શક્તિનો પરિચય કરાવ્યો છે. તેમજ ૧૪ જેટલી પુસ્તિકાઓનું તેઓએ લેખન સંકલન કરેલ છે. ઉપરાંત જ્યોતિષક્ષેત્રે પણ અનેક સંશોધન લેખો લખ્યા છે. ‘નક્ષત્ર ફળકથન' સંશોધન બદલ ગુજરાતની એક જ્યોતિષ સંસ્થા દ્વારા તેઓને સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. શાળા સમયબાદ ગામડાઓનો પ્રવાસ કરી હજારો Jain Education International પથપ્રદર્શક યુવાનોને વ્યસનમુક્ત બનવા પ્રેરણા આપી ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર અર્થે વિદેશોમાંથી આમંત્રણ મળતાં તેમણે ઇંગ્લેન્ડ અને અમેરિકાનો પ્રવાસ કરેલ છે. રાજપીપલા ખાતે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહેલ છે. અનેકવિધ સંસ્થાઓમાં તેઓએ માનદ સેવા આપી અમૂલ્ય સમયનું યોગદાન આપી રહ્યા છે. શ્રી મર્જબાન શેઠના ભરૂચના વયોવૃદ્ધ પત્રકાર અને સામાજિક કાર્યકર શ્રી મર્ઝબાન શેઠનાએ જામે જમશેદ અને મુંબઈ સમાચાર જેવા અખબારોમાં ભરૂચના પ્રતિનિધિ તરીકે દીર્ધકાલીન સેવાઓ આપી હતી. પત્રકારત્વ સાથેના તેમના વિશેષ લગાવને કારણે તેમણે તેમના વસિયતનામામાં પ્રેસ ક્લબ ઓફ ભરૂચને રૂપિયા પાંચ હજારના દાનની રકમ પણ અર્પણ કરી હતી. શ્રી શેઠના નગરપાલિકાના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા હતા. તેઓ પારસી પંચાયતના અગ્રણી હતા અને તેના થકી જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરવા તત્પર રહેતા. ૧-૧૧૯૯૮ ના રોજ ૯૫ વર્ષની વયે તેમનું દેહાવસાન થયું. દ્વારકેશલાલજી મહારાજ ધર્મપ્રચારક અને ધર્મપ્રવર્તક ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજનો જન્મ ૧-૧૨-૧૯૬૭ ના રોજ વડોદરા મુકામે થયો હતો. સંસ્કૃત ભાષા અને વ્યાકરણ સાહિત્યનો અભ્યાસ કરી પારંગત બન્યા. તેઓ વલ્લભ સંપ્રદાય અંતર્ગત આવેલી સાત ગાદીઓ પૈકી વડોદરા સ્થિત ષષ્ટ ગાદીના પીઠાધિશ્વર છે. પુષ્ટિ સંપ્રદાયના વર્તમાન સમયના સૌથી નાની વયના તેઓ ગાદીપતિ છે. ચિત્રકળા અને સંગીતકલામાં નિપુણ છે. પુષ્ટિ કીર્તનોમાં અનહદ રસ ધરાવે છે. પુષ્ટિ સંપ્રદાય ઉપરાંત ખ્રિસ્તી, મુસ્લિમ, પારસી ધર્મના ગ્રંથોનું અધ્યયન તેમણે કર્યું છે. ધાર્મિક-સામાજિક લેખો લખવાનું કામ પણ તેઓ કરે છે. યુવાનોમાં ધર્મભાવના જાગૃત થાય તે હેતુથી ‘યુવા સંગઠન’ ની સ્થાપના કરી છે. શ્રીમદ્ જગદ્ગુરુ વલ્લભાચાર્યનો દિવ્ય સંદેશ પ્રસારી ધર્મપ્રવર્તક તરીકેનું કાર્ય બજાવે છે. ચિનુભાઈ શાહ રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના નિવૃત્ત શિક્ષક શ્રી ચિનુભાઈ પુરુષોત્તમદાસ શાહનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy