SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ રણધીરસિંહજી ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક' પ્રાપ્ત કરનાર ગુજરાતના સૌ પ્રથમ નવયુવાન રાજકુમાર શ્રી રણધીરસિંહજીનો જન્મ ૬-૪૧૯૪૭ ના ઐતિહાસિક વર્ષમાં થયો હતો. અજમેરની કોલેજમાં શિક્ષણ લઈ, ખડકવાસલાની નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાઈ ઇ.સં. ૧૯૬૮ માં દહેરાદૂનની ઇન્ડિયન મિલીટરી એકેડેમીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા. બ્રિગેડીઅર રણધીરસિંહજીએ તેમની લશ્કરી ફરજ દરમિયાન જુદા જુદા કમાન્ડ, સ્ટાફ અને ઇન્સ્ટ્રુમેન્ટલ એપોઈન્ટમેન્ટસ સંભાળી વેલિંગ્ટનની ડિફેન્સ સર્વિસીઝ સ્ટાફ કોલેજમાંથી લાયકાત પ્રાપ્ત કરી હતી. બાંગ્લાદેશના યુદ્ધમાં દાખવેલ શૌર્ય માટે રણધરસિંહજીને મેન્શન ઇન ડીસ્પેસીઝ’ તેમજ મણિપુરના ‘એન્ટી-ઇન્ટરજન્સી ઓપરેશન'માં બતાવેલ બહાદુરી માટે ‘સેના મેડલ'થી નવાજ્યા હતા. ઉપરાંત ૨૦,૦૦૦ ફીટની ઊંચાઈના સ્થળે કાતિલ ઠંડીમાં બહાદુરીપૂર્વક સામનો કરવાનો હોય એવા વાતાવરણમાં રહીને સતત બાજનજરથી ચોકી કરવા બદલ ‘ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક' આપી એમનું બહુમાન કર્યું હતું એટલું જ નહિ પણ રણધીરસિંહજીની પ્રશંસાપાત્ર કામગીરીની ગણના કરી તેઓશ્રીને ભારતીય પાયદળના એકમાત્ર પ્રતિનિધિ તરીકે લંડન જવા માટે પસંદગીપાત્ર બન્યા. આવું સન્માન મેળવી તેઓશ્રીએ સમગ્ર ગુર્જરભૂમિનું ગૌરવ વધાર્યું છે. શ્રી કાંતિ-શાંતિ શાહ સદાબહાર ટુ ઇન વન શ્રી કાંતિભાઈ શાહ અને શાંતિભાઈ શાહનો જન્મ ૧૭-૧૧-૧૯૧૪ માં રાજપીપળામાં થયો હતો. ધાર્મિક વાતાવરણમાં બંને બાળકોનું બાળપણ પસાર થઈ રહ્યું હતું. માત્ર ૧૨ વર્ષની વયે એક પછી એક બંને ભાઈઓની આંખની રોશની જતી રહી. મક્કમ મનોબળે જીવનમાં નવી મંજીલ તરફ પ્રયાણ કરાવ્યું. બરોડા અંધશાળામાં બ્રેઈલ લિપિ બંને ભાઈઓએ શીખી લીધી અને અંધ વ્યક્તિઓ માટે એમણે ‘દીપક' મેગેઝીન બહાર પાડ્યું. મુંબઈની ‘નેશનલ એસોસીએશન ફોર ધી બ્લાઈન્ડ' સંસ્થામાં જોડાયા અને બ્રેઈલ પ્રેસ શરૂ કર્યો. જુદા જુદા વિષયોનાં પુસ્તકો બ્રેઈલ ભાષામાં છાપવા માંડ્યા. બંને જોડીયા ભાઈઓને રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય માન્યતા મળવા લાગી. નિરાભિમાની એવા શ્રી કાંતિ-શાંતિ શાહે અંધ વ્યક્તિઓના જીવનમાં આશાનો સંચાર લાવવા કઠોર પરિશ્રમ કર્યો. બંને Jain Education International ૪૧૯ ભાઈઓને પેરીસનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ ઇન્ટરનેશનલ કાઉન્સીલ ફોર એજ્યુકેશન ઓફ ધી વિઝ્યુઅલી હેન્ડીકેપ્ટ’ એનાયત થયો હતો. ઉપરાંત ધીરુસ્તમ મહેરવાનની અલ્પાઈવાલા મેમોરીયલ એવોર્ડ પણ એનાયત થયેલ. દીર્ઘાયુષ્ય ભોગવી શ્રી શાંતિલાલ શાહ શ્રીજીચરણ પામ્યા છે. જ્યારે કાંતિલાલ શાહના દીર્ઘાયુષ્ય માટે નમ્ર પ્રાર્થના. શશીબહેન જાની ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળાના જાજરમાન મહીલા શશીબહેન જાની ધૈર્ય, સાહસ અને સેવાની અજોડ મૂર્તિસ્વરૂપ છે. બાળપણથી જ માતા-પિતાના સેવાના સંસ્કાર રેડાયા. અન્નક્ષેત્ર, દવાખાનું અને મંદિર બંધાવી સેવાકીય કાર્ય કર્યું. તેમણે યૌવનના કિંમતી વર્ષો મુંબઈના પેટ્રોલ પંપ સંચાલિત વિકાસમાં પસાર કર્યા. એમને બેસ્ટ સેલીંગ અને સ્વચ્છતાનો એવોર્ડ એનાયત થયો હતો. ‘મા-બાપનું મંદિર' પાછલી ઉંમરે કુટુંબીજનોથી વિખુટા પડેલા વૃદ્ધો માટે વિસામો છે. જ્યાં નેત્રયજ્ઞ જેવા કેમ્પનું આયોજન કરી સેવાકીય સુવાસ પ્રસરે છે. મુંબઈમાં શશીબહેને ‘આદર્શ સર્વિસ સ્ટેશન બી.પી.સી.એલ. ડીલર તરીકે સફળતાનાં શિખરો સર કર્યા છતાં અભિમાનનો અંશ નહિ અને ધીકતી કમાણીનો પ્રજાહિતમાં ઉપયોગ કર્યો. કાર્ય પ્રત્યેની લગન, જલારામબાપા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા હજુ પણ તેમને વધુ સેવા કાર્યો કરવા પ્રેરણા આપશે એમાં શંકા નથી. રમણલાલ મહેતા પ્રેરણામૂર્તિ રમણલાલ વૃજલાલ મહેતાનો જન્મ ૨૩-૪- ' ૧૯૦૫ ના રોજ રાજપીપળામાં થયો હતો. કાયદાનો અભ્યાસ કરી વકીલાત કરી. ત્યાંની નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે સેવા પણ બજાવી. રાજપીપળા એજ્યુકેશન ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે દીર્ધકાલીન સેવા આપી. નાગરિક સહકારી બેંકમાં પણ એમની સેવા અમૂલ્ય હતી. રમણલાલ મહેતાએ બૃહદ મુંબઈમાં વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉપરાંત લોકલબોર્ડમાં ચેરમેન પદે અને આદિવાસી સેવાસંઘમાં પણ યોગદાન હતું. વિધવાઓના કલ્યાણ માટે પણ કાર્ય કર્યું હતું. સમાજનો વિકાસ થાય એવા કાર્યોમાં એમણે રસ દાખવ્યો હતો. સમાનતાનો આદર્શ, સ્રીસન્માનની ભાવના, સમાજ સુધારણા, દાનધર્મ, જીવનધર્મ અને કાર્ય પ્રત્યેની લગન એમના આદર્શો હતા. એમનું જીવન પ્રત્યેનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy