SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ કાવ્યસંગ્રહ ‘નગરી પિત્તળ ચહેરો', લેખોનું સંપાદન ‘રંગમંચન’ અને જોડણી વિશે કેટલાંક સૂચનો' નું પ્રકાશન થતું રહ્યું. ગુજરાતી ચલચિત્રોના તે ગીતકાર પણ છે. ગીત, ગઝલ અને ગરબાક્ષેત્રે પણ તેમનું યશસ્વી પ્રદાન છે. વિરંચિ ત્રિવેદીને નૃત્ય નાટિકા ‘મીરાં’ ના લેખન અને સંકલન માટે વિદ્યોતેજક મંડળ તરફથી સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાની સંખ્યાબંધ સાહિત્ય, શિક્ષણ અને કલા સંસ્થાઓએ તેમનું ભવ્યાતિભવ્ય સન્માન કર્યું હતું. વડોદરાના પ્રથમ મેયર શ્રી નાનાલાલ ચોક્સીના હસ્તે શાલ ઓઢાડી તેમનું સન્માન થયું હતું. ડૉ. દેવદત્ત જોશી મ.સ. યુનિ. વડોદરામાં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન અધિકારી ત સેવા આપતા ડૉ. દેવદત્ત શિવપ્રસાદ જોશીનો જન્મ ૧૯-૧-૧૯૩૬ ના રોજ રાજપીપળા ખાતે થયો હતો. એમ.એ.નું શિક્ષણ મેળવી પી.એચ.ડી. થયા. લેખન પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા તેમણે પાંચ પુસ્તકો અને ૩૫૦ જેટલા લેખો લખ્યા છે. ત્રણ વર્ષ સુધી તેમણે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટના રામાયણ વિભાગમાં ક્રિટીકલ એપેરેટ્સ રાઈટર તરીકે કામ કર્યું. શ્રી રંગ અવધૂતજીના આશ્રમ નારેશ્વરના મુખપત્ર ‘નારેશ્વરનો નાદ' ના તંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે. ઈ. ૧૯૮૭માં પશ્ચિમ જર્મનીના બોન ખાતે Contemporary Ramayana Traditions t વિષયના આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે આમંત્રણ મળ્યું હતું અને તેમણે એ વિષય ઉપર શોધપત્ર રજૂ કરી ગુજરાતની સાહિત્યિક અને કલાકીય રામાયણ પરંપરાઓનો વિશ્વના પ્રતિનિધિ વિદ્વાનોને પરિચય કરાવ્યો હતો. ડૉ. અશ્વિનીકુમાર દેસાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્ય વિભાગ દેશમાં બીજો અને પશ્ચિમ ભારતમાં પ્રથમ છે, જ્યાં અનુસ્નાતક કક્ષાએ આઠ જેટલા વિષયો ભણાવાય છે તેના રીડર અને અધ્યક્ષ પ્રા. ડૉ. અશ્વિનકુમાર કીકુભાઈ દેસાઈનો જન્મ ૩૧-૧-૧૯૪૪ ના રોજ થયો હતો. એમ.એ.નું શિક્ષણ પ્રાપ્ત કરી પી.એચ.ડી. થયા. તેઓશ્રીએ ઇન્ટરનેશનલ ગુજરાતી ફોરમના મંત્રી તરીકે પણ સેવા બજાવી છે. ઇંગ્લેન્ડનો પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિ વિષે વ્યાખ્યાનો આપ્યાં છે. ડૉ. અશ્વિનીકુમારે ૧૧ થી વધુ પુસ્તકોનું લેખન કર્યું છે. Jain Education International પથપ્રદર્શક ‘દક્ષિણાયન’ અને ‘વિશ્વ નીડમ્’ ના તંત્રીપદે તેઓ કાર્યરત છે. તેમને ગુજરાત યુનિવર્સિટી તરફથી ૧૯૬૭ માં ટાગોર ચંદ્રક તેમ જ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સંપાદિત વિભાગમાં ‘સરોજ પાઠક’ ઇનામ મળ્યું. બમન શા મેધોરા ટ્રક ડ્રાયવરના ઓલિયા ફકીર બાદશાહ પારસી ગૃહસ્થ શ્રી બમન શા મેધોરા ૮૫ વર્ષની વય સુધી તેની પાંચ દાયકા જૂની ટૂક રસ્તા પર દોડાવી છે. ૫૦ વર્ષથી જીવના જતનની જેમ સાચવનાર આ ટ્રેક ક્યારેય બગડી નથી. તેમણે હંમેશા ૩૦ કિ.મી.ની ઝડપે જ ગાડી ચલાવી છે. પોતે જ મીકેનીક, પોતે જ સુપરવાઈઝર એટલે પોતાની ગાડીની સ્થિતિ ટીપટોપ રાખે. તેમના ટ્રક પર લખેલું સૂત્ર જીવનમાં ઉતારવા જેવું છે. ‘વિચાર મુક્ત અવસ્થા એ મનની સ્વસ્થ વ્યવસ્થા.’ શ્રી બમન શા ક્લાસીક સંગીતના પણ અચ્છા જાણકાર. શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો કાર્યક્રમ મુંબઈમાં આપેલો તેને આજે પણ સંગીતજ્ઞો યાદ કરે છે. તેમણે શાસ્ત્રીય સંગીત હરીફાઈમાં જિલ્લા કક્ષાએ શિલ્ડ પણ મેળવ્યો છે. ઉપરાંત હળવા સંગીતમાં સ્વરચિત ભજનો સુંદર રીતે રજૂ કરી મહેફિલોમાં રંગત જમાવે છે. પૂજ્ય પ્રધુમન શાસ્ત્રીજી શ્રીમદ્ ભાગવતના વક્તા અને જ્ઞાતા પરમ પૂજ્ય પ્રદ્યુમનભાઈ બટુકશંકર શાસ્ત્રી પૂજ્ય બદરીનાથ શાસ્ત્રીજીની છત્રછાયામાં મોટા થયા અને ભાગવત સંસ્કાર પામ્યા. શાસ્ત્રીજીએ વડોદરા અને વારાણસી વિશ્વ વિદ્યાલયમાંથી સાહિત્ય અને વેદાન્ત શાસ્ત્રની આચાર્ય (M.A.) પદવી સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી. પૂજ્ય શાસ્ત્રીજીએ શ્રીમદ્ ભાગવતના કથામૃતનું રસપાન કરાવવા ભારતના મોટાભાગના પ્રદેશોમાં તેમજ વિદેશોમાં પ્રવાસ કરેલો છે. તેમની કથાશૈલીની ભાષા ખૂબ જ સરળ છે અને ગૂઢ તત્ત્વજ્ઞાન પણ સામાન્ય શ્રોતા સમજી શકે તેવી રોચક અસ્ખલિત વાણીમાં વર્ણન કરે છે. સંસ્કૃત વિદ્સભાના અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના કાર્યકારી અધ્યક્ષ, તેમજ પુષ્ટિમાર્ગના ધર્મોપદેશક તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. શ્રી વલ્લભાચાર્યજીનું ચરિત્ર તેમજ સંસ્કૃત ભાષામાં ગીતગરબાના સર્જક છે. પૂજ્ય શાસ્ત્રીજીનું જીવન અને વ્યક્તિત્વ સાક્ષાત ભાગવતસ્વરૂપ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy