SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ વડોદરામાં થયો હતો. બી.એ. વ્યાયામ વિશારદ થયા. ગુજરાતના મલખમ એસોસિએશનના પ્રમુખની કામગીરી બજાવી હતી. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના પ્રમુખ, નાગરિક સંરક્ષક દળ વડોદરાના ચીફ વોર્ડન, નાગરિક રક્તદાન સમિતિના મંત્રી તેમજ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ જેવા હોદ્દાઓ પર રહી કાર્યરત છે. શ્રી મુકુંદભાઈને ઉપરાષ્ટ્રપતિના હસ્તે વિજયશ્રી એવોર્ડ, નાગરિક સંરક્ષણક્ષેત્રે મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ તેમજ અમેરિકામાં મેયરના હસ્તે આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયા છે. નવીનભાઈ ઓઝા આયુર્વેદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળના પ્રમુખ શ્રી નવીનભાઈ ઓઝા (વૈદ્ય) નો જન્મ ૨૦-૯-૧૯૪૦ ના રોજ રાજકોટમાં થયો હતો. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિ.ના સેનેટ સભ્ય, ગુજરાત એસ.એસ.સી. પરીક્ષા બોર્ડના સભ્ય, ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળના ડાયરેક્ટર તેમજ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના પરામર્શક છે. શ્રી નવીનભાઈએ ૪૦૦ થી વધુ આરોગ્યલક્ષી પુસ્તકોનું લેખન કર્યું છે. સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલછાબ વગેરે વર્તમાનપત્રોમાં તેમની આરોગ્યવિષયક કટારો આવે છે. જન આરોગ્ય' નામની પરિચય પુસ્તિકાના તેઓ સંપાદક છે. આયુર્વેદ પરિવાર ‘વૈદ્ય કલ્પતરુ’, ‘અમૃતા’ ના સંપાદક તરીકેની પણ સેવા બજાવી હતી. તેમણે વૈદ્ય વાચસ્પતિ, વૈદ્ય મહારથી, આયુર્વેદ ઉત્તમા તેમ જ આયુર્વેદ જેવી વિશેષ ઉપાધિ મેળવી હતી. ચંપકભાઈ સુખડિયા ગરીબોના બેલી, સેવાના ભેખધારી લોકસેવક શ્રી ચંપકભાઈ પ્રભુલાલ સુખડિયાએ આજીવન અપરણિત રહી ગરીબોની સેવાને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો. રક્તપિત્તના સેંકડો દર્દીઓની સેવા કરનાર, અનાથ બાળકોને ઉછેરી નવજીવન આપનાર, અકસ્માતે મૃત્યુને વરેલા અજાણ્યા મૃતકોના આત્માની શાંતિ માટે સર્વ પિતૃ શ્રાદ્ધનો અનોખો ભોજન યજ્ઞ કરનારા ચંપકભાઈ ખરા અર્થમાં લાખો ગરીબોના આંસુ લુછનારા હતા. શિયાળામાં ઠંડીથી ઠુઠવાતા ગરીબોને કપડાં દ્વારા હૂંફ આપતા તો ઉનાળામાં પગે બળતા જરૂરિયાત- મંદને ચંપલો અપાવતા, ગરીબોને આઈસ્ક્રીમ ખવડાવતા, દર્દીઓને ફૂટ વહેંચતા, ગરીબ વિદ્યાર્થીઓને ચોપડા અપાવતા. Jain Education Intemational ૪૧૭ લોકસેવક ચંપકભાઈનો ૧૫-૩-૨૦૦૪ના રોજ રાજપીપળા ખાતે ૮૯ વર્ષની જૈફ વયે જીવન દીપ બુઝાતાં જાણે કે સમગ્ર પ્રદેશ નધણિયાતો બન્યો છે. ચંપકકાકાની અવિરત સેવાને જનતાજનાર્દન ક્યારેય નહીં વીસરી શકે. નરેન્દ્રસિંહ મહીડા આઝાદીના સ્વાતંત્ર્ય સેનાની નરેન્દ્રસિંહજી મહીડાનો જન્મ ૧૬-૯-૧૯૧૨ના રોજ છોટા ઉદેપુરમાં થયો હતો. તેમણે શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં લીધું હતું પછી લંડન અને કેમ્બ્રિજમાં તેમણે ઉચ્ચશિક્ષણ મેળવ્યું. તેમણે Air Service of India ની સ્થાપના કરી, તેના ડિરેક્ટર પદે રહીને તેમણે ભારતમાં ઘણાં નાગરિક વિમાનઘરો બનાવ્યાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રતિભાથી અંજાઈને તેઓ મહાત્મા ગાંધીજીના અનુયાયી બન્યા હતા. રવિશંકર મહારાજ અને વિનોબા ભાવેની ગ્રામ્ય કલ્યાણ યોજનાઓમાં પણ તેમની સાથે રહી સક્રિય કામ કર્યું. શ્રી નરેન્દ્રસિંહજી મુંબઈ ગુજરાતી સમાજના સ્થાપક હતા. ગુજરાતના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર માટે પણ તેમણે સક્રિય ફાળો આપેલો. નેશનલ શીપીંગ બોર્ડ, શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હતા. પાર્લામેન્ટની ઘણી બધી અગત્યની સમિતિઓમાં તેઓશ્રી સભ્ય તરીકે હતા. ભારત-ચીન અને ભારત-પાકિસ્તાનની લડાઈ વખતે તેમણે પાર્લામેન્ટના સભ્યોની આગેવાની લઈ દેશસેવા કરી હતી. લોકસભાના સભ્ય તરીકેની કામગીરી પ્રશંસનીય રહી હતી. અંતે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના મંત્રીપદેથી નિવૃત્ત થઈ, સમાજકલ્યાણની પ્રવૃત્તિ એ જ એમનો જીવનમંત્ર બની ગયો છે. ડૉ. વિરંચિભાઈ ત્રિવેદી ગુજરાતી સાહિત્યિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંકળાયેલા અધ્યાપક શ્રી વિરંચિ ત્રિવેદીનો જન્મ ૧૪-૭-૧૯૪૭ ના રોજ ખેડા જિલ્લાના, બાલાશિનોર ગામે થયો હતો. એમ.એ.એમ.એડ. નું ઉચ્ચ શિક્ષણ લઈ પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ગુજરાતી વિષયના અધ્યાપક તરીકેની સેવા બજાવે છે. તેમણે ગુજરાત રાજ્ય પા. પુ. મંડળ આયોજિત પાઠ્યસામગ્રીના સેમીનાર, ભાષા અભિવ્યક્તિ અંગેની શિબિરમાં નોંધપાત્ર સેવા આપી છે. આકાશવાણી પરથી શિક્ષણના પાઠો પર વાર્તાલાપો આપ્યા છે. સાહિત્યક્ષેત્રે ‘અર્વાચીન ગુજરાતી શોકોર્મિ કાવ્યોનો સમીક્ષાત્મક અભ્યાસ' તેમનું પ્રશસ્ય સંશોધન છે. તેમનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy