SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો —બિપીનચંદ્ર યુ. પરીખ છેલ્લા સૈકામાં ગુજરાતનાં વિવિધ ક્ષેત્રે અનેક સમાજસુધારકોએ પોતાનાં ક્ષેત્રમાં રહીને આગવા મૂલ્યોનું જીવનભર જતન કરીને સમાજને એક નવસંસ્કરણ અને એક નવી જ દિશા આપવા સતત મથામણ કરી છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી બિપીનભાઈ પરીખનો જન્મ રાજપીપલામાં આવેલ પ્રખ્યાત વકીલ ઉમંગલાલનાં ઘરે ઇ.સ. ૧૯૩૨ની ૧૭મી તારીખે એપ્રિલ માસમાં થયો હતો. પિતાશ્રી ઉમંગલાલ ગીરધરલાલ પરીખ વકીલાત કરતા હતા. પ્રામાણિક જીવન જીવનાર એક સેવાભાવી માનવી હતા. ધર્મનિષ્ઠ માતા હીરાબહેનની છત્રછાયામાં બાળ ઉછેર ખૂબ જ લાલનપાલનથી થયો હતો. અભ્યાસ કરવામાં હોંશિયાર એવા બિપીનભાઈએ ડી.સી.ઇ. સુધીનો અભ્યાસ કર્યો હતો. ૪૧૫ બિપીનભાઈ વ્યવસાયે ઇજનેર પરંતુ કલમના ખોળે માથું મૂકી સમાજના સાચા રાહબર બન્યા. તેમણે લેખન કાર્યમાં ૭૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે ઝંપલાવી ધારદાર કલમ વડે વ્યસન, કુરિવાજો, ખોટા આડંબર, ધર્મસંદેશ, કન્યાકેળવણી, દહેજપ્રથા, ખરાબ કુટેવો, સેવા, શ્રમ, ભક્તિ, મમતા, લાગણી, પરોપકાર, સ્વાશ્રય જેવા અનેક વિષયો પર ચાબખા મારી ક્યાંક તો મૃદુ ભાષામાં વક્તવ્ય આપતા. તેમણે “ચિંતનનાં ચાંદરાણાં, પ્રેરણાની પરબ, ચેતનાની ચિનગારી” જેવા ઉત્તમ કોટિનાં જન ઉપયોગી પુસ્તકો પ્રગટ કરેલાં છે. શ્રી બિપીનભાઈનું લેખન, પુસ્તકો પ્રગટ કરવા માટે દાદ માંગી લે તેવું છે. માનવીમાં પડેલી શક્તિઓને ખીલવવા તેમનાં પુસ્તકો ખરેખર પ્રેરણારૂપ છે. વાચકનાં જીવનમાં આદર્શ સિદ્ધાંતો આપોઆપ સહજ રીતે આવી જાય છે! તેઓ સમાજનાં અંધારાં ઉલેચવા માટે સમાજરૂપી રથના સારથિ બન્યા છે. તેમણે સમાજ સેવામાં પણ પાછીપાની કરી નથી, ફૂલ નહિ તો ફૂલની પાંખડી એમ દાનમાં પણ અગ્રેસર રહ્યા છે. એમનામાં સમર્પણની ભાવના છે. સમાજના તેઓ પોતે રાહબર છે. એમના દ્વારા સમાજ ખરેખર ઉચ્ચ શિખરે બિરાજમાન છે. શ્રી બિપીનભાઈ અને એમનાં ધર્મપત્ની જ્યોતિબેનના સેવાના વિચારો તો જુઓ પોતાની જાતમાંથી પ્રાણપંખેરૂ ઊડી ગયા બાદ તેઓનો નશ્વરદેહ લાકડાના ઢગલામાં બાળીને રાખ ન બનાવતાં પોતાનાં દીકરીજમાઈની સંમતિ મેળવી બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારા ભાવિ ડૉક્ટરોને અભ્યાસ માટે આપી દેવાનો નિર્ધાર કરી, એફિડેવીટ કરી આપ્યું. આવું ઉમદા કાર્ય કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આ મૃત્યુ પછી પણ પરોપકાર કરવાની જેમની ઝંખના છે, એવા આ વૃદ્ધ દંપતિને કોટી કોટી વંદન. —સંપાદક ઓચ્છવલાલ પટેલ મ.સ. યુનિવર્સિટી, વડોદરા ટેકનોલોજી ફેકલ્ટીના નિવૃત્ત ડીન ઓચ્છવલાલ હિંમતલાલ પટેલનો જન્મ ૩-૮-૧૯૨૫ ના રોજ સંખેડામાં થયો હતો. બી.ઇ. (સિવીલ) અને એમ. ઇ. (સિવીલ) ની ડીગ્રી પ્રાપ્ત કરી. તેમણે વડોદરા રાજ્ય અને Jain Education International મુંબઈ રાજ્યમાં પી. ડબલ્યુ. ડી. માં પ્રથમ વખત રિસર્ચ ટેસ્ટીંગ પદ્ધતિ દાખલ કરી હતી. તેમણે સિવિલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના માજી ચેરમેન તેમ જ ઇરીગેશન મેનેજમેન્ટ અને ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યૂટ મ.સ. યુનિનાં પ્રોજેક્ટ ડાયરેકટર તરીકે પણ સેવા આપી હતી. ઉપરાંત સિવિલ એન્જિનિયરીંગ બોર્ડ ઓફ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy