SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ વિશ્વકર્મા પ્રણિત ‘વાસ્તુવિદ્યાયામ્’, ‘ક્ષીરાર્ણવ’, ‘દીપાર્ણવ’, ‘વૃક્ષાર્ણવ’ જેવા પ્રાચીન ગ્રંથો નવમી સદીથી અગિયારમી સદીના પશ્ચિમ ભારતમાં મળે છે. ઉપરાંત સાતમી–આઠમી સદીના ‘લક્ષણ-સમુચ્ચય’ જેવા ગ્રંથના અનુવાદ ગુજરાતી ભાષામાં કર્યા, જે ગર્વનો વિષય છે. શ્રી પ્રભાશંકરભાઈએ સોમનાથ મંદિર ઉપરાંત જિનમંદિરો, દેરાસરો, ઉપાશ્રયો, ધર્મશાળાઓ, જ્ઞાનશાળાઓ આદિ ધાર્મિક સર્જન પણ કર્યાં છે. એમના અનુવાદ ગ્રંથો ઉત્તમ છે. ગ્રંથ જોતાં જ ગુજરાતની પ્રાચીન મંદિર-રચના-પદ્ધતિના પોતાના વિશાળ જ્ઞાન તથા અનુભવ જોડે આ પ્રાચીન શિલ્પ-શાસ્ત્રીઓની તેમની અદ્ભુત ઊંડી સમજ સ્પષ્ટ જણાઈ આવે છે. કલા અને વિદ્યા ઉભયનો સુયોગ સાધનાર આવા સ્થપતિઓ અને શિલ્પીઓ જ પ્રાચીન ભારતની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર સોમપુરા ધ્રાગંધ્રાના મૂળવતની રા. નર્મદાશંકર મૂળજીભાઈ સોમપુરાએ ઇ.સ. ૧૯૩૯માં ‘શિલ્પરત્ન’ નામે ગ્રંથની રચના કરી હતી. નર્મદાશંકરે જાતે શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વહસ્તે કેટલાક પ્રાસાદો અને દેવાલયોની રચનાનાં કામ કર્યાં હતા. શ્રી નર્મદાશંકરની કુશળતા ધ્યાનમાં લઈ વડોદરા રાજ્યમાં કલા ભવનમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રના અધ્યાપક તથા રાજ્યના સાર્વજનિક બાંધકામ ખાતામાં પણ નીમવામાં આવ્યા હતા. આમ, ગુજરાતના સ્થપતિઓમાં એક સમયે કૃતિ અને શાસ્રવ્યુત્પત્તિ સાથોસાથ હતાં. તેમાંના કેટલાકે શિલ્પ-સ્થાપત્યના સંસ્કૃત ગ્રંથો રચીને એ વિષયના સાહિત્યમાં પણ મૂલ્યવાન ફાળો આપ્યો છે. શિલ્પસ્થાપત્યની આ પ્રાચીન પરંપરા અને કલાને આજે પણ ગુજરાતના સોમપુરા શિલ્પીઓ અને સ્થપતિઓ જાળવી રહ્યા છે. જે આપણા માટે ગૌરવરૂપ છે. તપોનિષ્ઠ મૂર્તિકાર શ્રી કાન્તિભાઈ પટેલ શ્રી કાન્તિભાઈનો જન્મ ડો. બળદેવભાઈ પટેલને ત્યાં ૧૯૨૬ માં દક્ષિણ-પૂર્વ એશિયા બોર્નિયોમાં થયો હતો. એ સમયે ભારતમાં રાષ્ટ્રીય ચેતનાની લહેર વેગવંતી બની હતી. આ વખતે બાળક કાન્તિભાઈ રાષ્ટ્રીય નેતાઓની મૂર્તિઓ બનાવતા હતા. તે પછી એમને રાષ્ટ્રીય સ્વતંત્રતાના આંદોલનમાં સક્રિય ભાગ લેવાની પ્રેરણા મળી અને સ્વતંત્રતા સેનાની તરીકે કારાવાસ પણ ભોગવ્યો. ગાંધીજીનો રાષ્ટ્રપ્રેમ, અનાસકત ભાવ, નિઃસ્વાર્થ સેવા યુવાન કાન્તિભાઈના આદર્શ રહ્યા, જેનો પ્રભાવ એમની દરેક કલાકૃતિમાં નજરે પડે છે. કલા એમને માટે આધ્યાત્મિક સાધના બની ગઈ. Jain Education International પથપ્રદર્શક કાન્તિભાઈનો મનગમતો વિષય ચિત્રકલા હતી. જેથી એમની પ્રતિમાઓમાં ચિત્રાત્મકતા આવી જાય છે. તેઓએ જે.જે. સ્કૂલ ઓફ આર્ટ (મુંબઈ)માં અભ્યાસ પૂરો કર્યા પછી મૂર્તિકલા તરફ વળ્યા, ત્યારે તેઓએ ચિત્રોની સાથે સાથે મૂર્તિ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરી. કોમલ ભાવોના અંકન કરવામાં એમની છીણીટાંકણું જાણે સંગેમરમર પર પીંછી જેવી મૃદુલ બની જાય છે. કાન્તિભાઈની કલાકૃતિઓમાં ગાંધીજી, સરદાર પટેલ, વિવેકાનંદ, મીરા, આદ્ય શંકરાચાર્ય, રામકૃષ્ણ, આનન્દમયીમા, જૈન આચાર્ય, વિનોબા, લાલબહાદુર શાસ્ત્રી આદિની પ્રતિમાઓ શ્રેષ્ઠ ગણાવી શકાય. કાન્તિભાઈની બનાવેલી અનેક કલાકૃતિઓ ભારતના મુખ્ય શહેરો દિલ્હી, બેંગલોર, અણદાવાદ, બરોડા, નિડયાદ વગેરેમાં જાહેર સ્થળોએ મૂકવામાં આવી છે. ગાંધીજીની ‘દાંડીકૂચ’ની કાંસ્ય પ્રતિમા, જે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ પાસેના ચાર રસ્તા પર આવેલ છે, જે નિરંતર આગળ વધતા રહેવાનું આહ્વાન કરે છે. આ જ પ્રકારે ગાંધીજીની ધ્યાનસ્થ મૂર્તિની શાન્ત મુદ્રા સારનાથ સ્થિત બુદ્ધપ્રતિમાની યાદ અપાવે છે. ગોચારણ કરાવતા ગોપ બાળકની પ્રતિમા સમગ્ર ગ્રામ્ય જીવનની ઝાંટવી કરાવે છે. સ્વતંત્રતા સેનાની શહીદો તેમજ રાષ્ટ્ર ભકતોનું નિરૂપણ કરતી પટ્ટિકા રાષ્ટ્રપ્રેમની પરાકાષ્ટાને અંકિત કરે છે. યુવકોને સ્વતંત્રતા માટે મરી મિટવાની પ્રેરણા આપે છે, જે હાલ અડાસ રેલ્વે સ્ટેશનમાં પ્રતિષ્ઠિત કરેલી છે. આવી જ અન્ય એક અવિસ્મરણીય પટ્ટિકામાં પ્રેમ સમાધિમાં લિન-મગ્ન ઝેરનું પાન કરતી મીરાની પ્રતિમા છે. કાન્તિભાઈએ બનાવેલી ગાંધીજીની દાંડીકૂચવાળી કાસ્ય પ્રતિમા અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેનહટન વિસ્તારમાં અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગટન તથા અન્ય વીરોની પ્રતિમાઓની સાથે “શાન્તિદૂત”ના રૂપમાં ૨ ઓકટોબર, ૧૯૯૬માં સ્થાપવામાં આવી છે. અમદાવાદમાં આવેલું કાન્તિભાઈનું શિલ્પભવન એક વિશાળ કલાકેન્દ્ર છે. શહેરી જીવનથી દૂર શાન્ત વાતાવરણમાં આવેલું ભવન આ તપસ્વી કલાકારના દિવ્ય સ્વપ્નને સાકાર કરે છે. સમગ્ર સાધનાઓથી સંપન્ન આ આધુનિક સ્ટુડિયો શ્રી કાન્તિભાઈએ ત્યાગ ભાવનાથી—ત્યાગીને ભોગવવું–પ્રેરાઈને લલિતકલા અકાદમીને ભેટ આપી દીધો છે. માતૃભૂમિ સાથે અનુબંધિત કાન્તિભાઈ દ્વારા સર્જિત મૂર્તિઓ સાંસ્કૃતિક ચેતના, પ્રેમ અને સૌહાર્દથી ઓતપ્રોત છે. એમની કલા વાસ્તવમાં આસ્થા, મૈત્રી તેમજ સૌંદર્યની આધ્યાત્મિક ઉંચાઈ સુધી ઉડ્ડયન કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy