SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કલાશૈલીનો વિસ્તાર અત્યારના પ્રાદેશિક ગુજરાત કરતાં ઘણો મોટો છે, અને તેમાં પણ ગુજરાત અને રાજસ્થાનમાં તો શિલ્પ સ્થાપત્યનો વિકાસ સાથે થયો હતો. અલગારી સ્થપતિ દેપો રાણકપુરનું પ્રસિદ્ધ જૈન મંદિર, જે ધરણવિહાર' નામે ઓળખાય છે એનું બાંધકામ મેવાડના રાણા કુંભારાણાના એક અધિકારી ધરણાશાહે સં. ૧૯૪૬માં પૂરું કર્યું હતું. ધરણશાહ પાસે સ્થાપત્યનો આદર્શ સિદ્ધપુરના રાજવિહારનો હતો. તે સમયના અનેક અગ્રગણ્ય શિલ્પીઓએ દોરેલા નકશામાંથી દેપા નામે શિલ્પીનો નકશો પસંદ થયો હતો અને તે અનુસાર એ મહાપ્રાસાદ બંધાયો હતો. દેપો અર્ધસંન્યાસી અલગારી જેવો અને ધૂની ગણાતો, પરંતુ તેણે નિર્માણ કરેલ ધરણવિહાર એક ચિરંજીવ સ્થાપત્ય છે. મંડન કુંભારાણાનો સમકાલીન મંડન નામે સ્થપતિ હતો. એના પિતા ખેતાજી પાટણના વતની હતા અને મેવાડ રાજ્યના આમંત્રણથી મેવાડમાં આવ્યા હતા. ભારતીય શિલ્પસ્થાપત્યના ઇતિહાસમાં મંડનનું નામ ચિરસ્મરણીય છે. તેણે એ વિષયના અનેક સંસ્કૃત ગ્રંથોની રચના કરી છે. જેમાં રૂપમંડન, દેવતામૂર્તિપ્રકરણ, રાજવલ્લભ, પ્રાસાદમંડન, વાસ્તુમંડન આદિ ગ્રંથોનો સમાવેશ થાય છે. ચિતોડગઢ ઉપરનાં કેટલાંક સ્થાપત્યોની રચના મંડને કરી છે. શિલ્પી નાથુજી : મંડનનો નાનો ભાઈ નાથુજી પણ કુશળ શિલ્પી હતો. અને તેણે ‘વાસ્તુમંજરી’ નામે ગૃહસ્થાપત્યના ગ્રંથની રચના કરી છે. ચિત્તોડના કીર્તિસ્તંભના ઉપલા માળ પર મંડનના સમગ્ર કુળ પરિવારની પ્રતિમાઓ આવેલી છે. સ્થપતિ વસ્તો મેવાડના મંત્રી કર્માશાહે સં. ૧૫૮૭માં શત્રુંજ્યના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેના કેટલાક સૂત્રધારો અમદાવાદના હતા અને કેટલાક કર્માશાહના વતન ચિતોડથી આવ્યા હતા. એ જ મંદિરનો પુનરુદ્ધાર ખંભાતના વતની તેજપાલ સોનીએ સં. ૧૬૫૦ માં કરાવ્યો. એનો સ્થપતિ વસ્તો નામે હતો, જેને વિશે પ્રશસ્તિકાર હેમવિજય કહે છે કે, એનું શિલ્પચાતુર્ય જોઈને વિશ્વકર્મા પણ એના શિષ્ય થવા ઇચ્છે.' 53 Jain Education International ૪૧૩ સૂત્રધાર વીરો અને સ્થપતિ ગજઘર વૈશ્ય ગુજરાત અને રાજસ્થાનમાં વાવ જેવાં જળાશયોનાં સ્થાપત્યની એક વિશિષ્ટ પરંપરા છે, પણ બધી જાણીતી વાવોનાં સ્થપતિઓનાં નામ મળતાં નથી. અમદાવાદમાં અસારવામાં આવેલ દાદાહિરની વાવ હરીર નામે બાઈએ સં. ૧૫૫૬માં બંધાવી હતી. એનો સ્થપતિ ગજધર વૈશ્ય અને સૂત્રધાર વીરો નામે હતો એમ ત્યાંના શિલાલેખમાં જણાવ્યું છે. સ્થપતિ-શિલ્પી પ્રેમચંદ સોમપુરા છેક અર્વાચીનકાલમાં પણ અણિશુદ્ધ પ્રાચીન પદ્ધતિએ અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર આવેલું ‘હઠીસીંગનું જૈન મંદિર' બાંધવામાં આવ્યું છે. એના સ્થપતિ-શિલ્પી પ્રેમચંદ સોમપુરા હતા. સં. ૧૯૦૦ (ઇ.સ. ૧૮૪૪) માં બંધાયેલું આ મંદિર ગુજરાતના સ્થાપત્યના ગૌરવરૂપ છે. કલાવિવેચકોએ આ મંદિરની ભારે પ્રશંસા કરી છે. ‘શિલ્પવિશારદ’ સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા શ્રી પ્રભાશંકર પ્રાચીન પ્રણાલી જાળવી રાખતા સોમપુરા નામે વિખ્યાત સ્થપતિ કુળમાં જન્મ્યા હતા. પુરાણો પ્રમાણે ભૃગુઋષિના ભાણેજ અને પ્રભાસના પુત્ર વિશ્વકર્મા એ તેમના મૂળ પુરૂષ ગણાય છે. શ્રી પ્રભાશંકર સામાન્ય કેળવણી પામ્યા હોવા છતાં તેમણે સ્વપ્રયત્ને આ વિષયનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. શ્રી સોમનાથ જેવા મહામેરૂ પ્રાસાદો આઠસો-નવસો વર્ષ પહેલાં બંધાયેલા. તેથી તેના શિલ્પના નિયમો વ્યવહારમાં ન હોઈ અમુક અંશે વિસ્તૃત થયેલા. શિલ્પ-વિશારદ્ શ્રી પ્રભાશંકર સોમપુરાના કુળમાં પરંપરાગત આ વિજ્ઞાન જળવાઈ રહેલ છે. અને સોમનાથ જેવા ભવ્ય મંદિરનું નવનિર્માણ પ્રાચીન શિલ્પશાસ્ત્રના સંપૂર્ણ નિયમો મુજબ બાંધવાના નિર્ણયને શ્રી પ્રભાશંકર જેવા કુશળ સ્થપતિની દેખરેખ હેઠળ અમલમાં મૂકાયો. શ્રી પ્રભાશંકરજી શિલ્પશાસ્ત્રના ઊંડા મર્મ અને તેનું જ્ઞાન ધરાવતા હોઈ શ્રી સોમનાથ મંદિરના નવ નિર્માણમાં પ્રાચીન ભારતની સમૃદ્ધ શિલ્પ-સ્થાપત્યકલાને તેમણે સજીવન કરી છે. શિલ્પશાસ્ત્રનું પ્રાચીન સાહિત્ય સંસ્કૃત ભાષામાં છે તેમજ શિલ્પ વિષયની પ્રાચીન વિદ્યા તથા તેના ઊંડા અર્થ સમજનાર જ્ઞાતાઓ પણ અલ્પ સંખ્યામાં છે. આ સંજોગોમાં શ્રી પ્રભાશંકર સોમપુરાએ સ્થાપત્ય અને શિલ્પને લગતાં મૂળ સંસ્કૃત ગ્રંથો For Private & Personal Use Only www.jainelibrarv.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy