SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ભારતીય સંસ્કૃતિ વિષયમાં પીએચ.ડી. માટે ગુજરાત યુનિવર્સિટી (ઓકટો.૧૯૯૬) તથા આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યાકેન્દ્ર અને બૌદ્ધદર્શન વિષયમાં એમ.ફિલ અને પીએચ.ડી. માટે ગુજરાત વિદ્યાપીઠ (માર્ચ,૧૯૯૮) દ્વારા માન્ય માર્ગદર્શક અધ્યાપક. ૧૯૯૮-૨૦૦૨માં બૌદ્ધદર્શનમાં સાત વિદ્યાર્થીઓએ અને જૈનદર્શનમાં ચાર વિદ્યાર્થીઓએ એમ.ફિલ.નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. ૨૦૦૧-૨૦૦૩ સુધીમાં બૌદ્ધદર્શનમાં પાંચ વિદ્યાર્થીઓએ • પીએચ.ડી.નો અભ્યાસ પૂરો કરેલ છે. Guide teacher Foreign Students Centre, Gujarat University (Japanis Students–1995, 1997, 1998, 1999, 2000) રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની પુરાતત્ત્વ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની સંસ્થાઓનું આજીવન સભ્યપદ ધરાવે છે. ‘સામીપ્ય’ અધ્યયન અને સંશોધન ત્રૈમાસિક (૧૯૯૨ થી) સહાયક સંપાદક. ગુજરાત ઇતિહાસ પરિષદમાં કોષાધ્યક્ષ (૧૯૯૪ થી ૧૯૯૭) અને મંત્રી (૧૯૯૭ થી) આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અને બૌદ્ધદર્શન કેન્દ્ર અને ઇતિહાસ ભારતીય સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠમાં અનુસ્નાતક કેન્દ્રમાં મહેમાન અધ્યાપક (૧૯૯૬ થી). પુરાતત્ત્વ (ખોજ) શિબિર-ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં (૧૯૯૨થી) તજ્જ્ઞ તરીકે સામીપ્ય, પથિક, કુમાર, સ્વાધ્યાય, સંબોધિ, ગુજરાત ભવોદિધ, શોધાદર્શ, સમ્યક્ વિક ાસ,જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ૧૨૦ જેટલા વિવિધ વિષયોના સંશોધનાત્મક લેખો છપાયા. ગુજરાત વિશ્વકોશમાં પુરાતત્ત્વ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયમાં ૮૦ જેટલાં અધિકરણો છપાયા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભાગ લઈ સંશોધન રજૂ કરી ચર્ચામાં ભાગ લીધેલ છે. હાલ, અધ્યાપક, ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, (એચ.કે.કોલેજ કમ્પાઉન્ડ) અમદાવાદમાં કાર્યરત. —સંપાદક સોમપુરા શિલ્પીઓને હાલ પણ કચ્છમાં ગઈધર' કહે છે. દક્ષિણ ગુજરાતના સુથારોની ‘ગજ્જર’ અટક આ ‘ગજધર’ શબ્દ ઉપરથી વ્યુત્પન્ન થયેલ છે. વળી ‘શિલાપટ’ ઉપરથી થયેલો ‘સિલાવટ-‘સલાટ’ શબ્દ તેને ઘડનાર કારીગર માટે જ વપરાતો થયો. કલાધરો અને કારીગરોની જુદી જુદી શ્રેણીના વાચક આ શબ્દમાંના કેટલાક, કાલાન્તરે, જાણે સમાનાર્થ હોય તેવી રીતે પ્રયોજાવા લાગ્યા. પ્રાચીન સમયમાં વિશિષ્ઠ શિલ્પી કે સ્થપતિને સામાન્ય કારીગર ગણવામાં આવતો નહોતો; ઉત્તમ કલાધર ઉપરાંત વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હોઈ એ વિશિષ્ઠ સન્માનનો અધિકારી હતો. સ્થાપત્યને લગતા જુદા જુદા મુખ્ય અધિકારીઓમાં સ્થપતિ, સૂત્રધાર કે સૂત્રગ્રાહી, તક્ષક અને વર્ધકી એ પ્રમાણે શાસ્ત્રોમાં ગણાવેલ છે. સ્થાપત્યની રચનામાં દરેક રીતે પૂરી યોગ્યતાવાળો હોય તે સ્થપતિ જે ચીફ એન્જિનિયર' કહી શકાય. સ્થપતિની બધી યોજનાઓ બરાબર પાર પાડી શકે તે સૂત્રધાર કે સૂત્રગ્રાહી, કારીગરો એને ‘સૂતર છોડો' કહે છે. સંસ્કૃત સૂત્રધાર ઉપરથી પ્રાકૃત ‘સુત્તહાર’ થઈને ગુજરાતી ‘સુથાર’ શબ્દ આવેલો છે. કેટલાક શિલ્પીઓ પરસ્પરને માનાર્થે ‘ઠાર' કહીને સંબોધતા, તે આ ઉપરથી હશે. તક્ષક એટલે નકશીકામ અને મૂર્તિઓ બનાવવાનું કામ કરનાર શિલ્પી. ‘વર્ધકી’ એટલે લાકડકામ કરનાર કુશળ કારીગર તેમ જ માટીકામ કરનાર ‘મોડેલિસ્ટ’. વર્ધકી ઉપરથી હિન્દીમાં ‘બઢઈ’ શબ્દ આવેલો છે. અને ગુજરાતીમાં ‘વાડિયો' શબ્દ વપરાય છે. જેનો અર્થ ‘વહાણ વગેરેનું સુથારીકામ કરનાર કારીગરો' એવો થયો છે અને પારસીઓની એક અટક ‘વાડિયા’ તરીકે પણ વપરાય છે. આ ઉપરાંત શિલ્પી અને સ્થપતિ માટે પ્રાચીન શિલાલેખોમાં ગજધર અર્થાત્ ‘ગજ ધારણ કરનાર' એ શબ્દ પણ વપરાયો છે. પથપ્રદર્શક Jain Education International જેણે આ શિલ્પસ્થાપત્યની સમૃદ્ધિ રચી તેમણે પૂરા ખંત અને વિશ્વાસથી આ રચના કરી છે. આ પાછળ કેટલીક ધાર્મિક, પરંપરાગત અને વ્યક્તિગત ભાવનાઓ અને માન્યતાઓને લીધે શિલ્પીઓ પોતાની કલાકૃતિમાં પોતાનાં નામોનો ઉલ્લેખ જવલ્લે જ કરતા હોય છે. છતાં પણ ક્યાંક ક્યાંક શિલ્પીઓનાં નામો મળી આવે છે. ભારતનાં શિલ્પો વિશે ઘણાં ગ્રંથો લખાયાં છે. ક્યાંક સર્વોત્તમ કલાકૃતિઓ પણ નજરે પડે છે. છતાં પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy