SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ભારતના યશસ્વી કલાધરો-સ્થપતિ, સૂત્રધાર, શિલ્પી પ્રા. ડૉ. આર. ટી. સાવલિયા ભારતમાં શિલ્પસ્થાપત્યકલાનો પ્રાચીન વૈભવ વારસો જળવાયો છે. આવો અમૂલ્ય વારસો આપણે ત્યાં ઇસવી સનના કે પછીના સમયમાં નજરે પડે છે. પરંતુ આવી સુંદર કામગીરી કરનાર કોણ તે વિશે જાણકારી પ્રાપ્ત કરવાનું ભાગ્યે જ સૂઝ્યું છે. દેવમંદિરો બંધાવનાર તેમ જ હસ્તલિખિત ગ્રંથો લખાવનાર રાજામહારાજાઓ, ભાવિક શાહુકારો, સંઘપતિઓ અને ઇતર સજ્જનો અને સન્નારીઓનાં ઘણાં નામો આપણને પ્રાચીન શિલાલેખો અથવા ગ્રન્થ પ્રશસ્તિઓમાંથી મળે છે. પણ વિખ્યાત મંદિરો કે મનોહર પ્રતિમાઓના સ્થપતિઓ અથવા શિલ્પીઓનાં નામો ચિત્ જ મળી આવે છે. જો કે મંદિર બંધાવનાર કરતાં મંદિર બાંધનાર ત્રધાર કે સ્થપતિની મહત્તા જરાય ઓછી નથી, તો પણ મોટેભાગે પ્રજા અને ઇતિહાસકારો તો રાજાધિરાજને જ યાદ રાખી રહ્યાં છે, જ્યારે એ ભવ્ય દેવાલય બાંધનાર સૂત્રધાર કે એની બેનમૂન નકશી કરનાર અને પ્રતિમાઓ ઘડનાર શિલ્પીઓને તો આપણે ભૂલી જ ગયા છીએ. વર્તમાન સમયના મૂર્તિકારો નાગજી ૧, હસમુખ પટેલ, દત્તાત્રેય કેલકર, કાન્તિલાલ કાપડિયા, રતિલાલ કાંસોદરીઆ વગેરેને યાદ કરવા જ રહ્યા. એકવીસમી સદીના સૂર્યોદય સમયે એ પૂર્વના કલાધરોનો પણ પરિચય મેળવીએ. આ પરિચયો કરાવનાર પ્રા ડો. રામજીભાઈ ઠાકરશીભાઈ સાવલિયાનો પણ પરિચય જોઈએ. જન્મ : ૧૧, જાન્યુઆરી, ૧૯૫૯ વતનઃ કાથરોટા (તા. ધારી, જિ. અમરેલી). ભારતીય સંસ્કૃતિ વિષયમાં એમ.એ. (૧૯૮૨) અને પીએચ.ડી. (૧૯૮૯). ‘ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમા વિધાન' નામના મહાનિબંધનું ઝસ્જદનવી દિલ્લીના અનુદાન દ્વારા પ્રકાશન (૧૯૯૧) અને ‘ગુજરાતમાંની માતૃકાઓનું મૂર્તિવિધાન' (૧૯૯૩) અને ‘કલાવિમર્શ’ (૨૦૦૦), ‘વિચારવિમર્શ’ (૨૦૦૧) ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશન. ‘ગુજરાતની દિક્પાલ પ્રતિમાઓ' (૧૯૯૮) અને ‘પાશુપતસંપ્રદાય ઉદ્ભવ અને વિકાસ' (૧૯૯૯), ‘આપણાસંતો’ (૨૦૦૪), ‘સરદાર પટેલ ' (૨૦૦૦) પુસ્તક રૂપે પ્રકાશન. ‘ગુજરાતનાં પ્રાચીન સરોવરો તળાવો અને કુંડો' યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત (૨૦૦૦), ‘સંસ્કૃત સાહિત્ય અને ઇતિહાસમાં શાસ્ત્રી' (દ્વિતીય) ની પદવી (૧૯૯૭). ४०७ (૧) ક.ભા. દવે રૌપ્યચંદ્રક : ગુજરાત ઇતિહાસ પરિષદ, ૧૯૯૧ (૨) સમાજગૌરવ પુરસ્કાર : લોકસેવા ફાઉન્ડેશન, અમદાવાદ. મે, ૧૯૯૯ (૩) સ્વ. ડો. હિરભાઈ ગૌદાની સમાજ ગૌરવ પુરસ્કાર : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, અમદાવાદ, ૨૯, જુલાઈ, ૨૦૦૧ (૪) શ્રીમતી સરયૂ વસંતગુપ્તે રૌપ્યચંદ્રક, ગુ.ઈ.પ., ૨૦૦૧ (૫) સમર્પણ સેવા સમિતિ સમ્માન ગુજરાતની સમાજ, કોટા રાજસ્થાન, ૨૦૦૧ કયૂરેટર કમ લેકચરર, વિચાર ટ્રસ્ટ, ધાતુ સંગ્રહાલય' (૧૯૮૨ જુલાઈ થી ૧૯૮૪ જુલાઈ) ૧૯૮૪ થી ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ ભારતીય સંસ્કૃતિ વિષયમાં અધ્યયન-સંશોધન અને અનુસ્નાતક કેન્દ્રમાં અધ્યાપક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy