SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ પથપ્રદર્શક ગુજરાત યુનિ.ના ભૂતપૂર્વ કુલપતિ શ્રી પી. સી. વૈદ્ય, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર મુંબાઈની જશલોક હોસ્પિટલના નિયામક ડૉ. પિંડાણી, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ઓર્થોપેડીક સર્જન ડૉ. કે. ટી. ધોળકિયા, અનેક એવોર્ડ જીતનાર અને સાહિત્ય રસિક–લેખક શ્રી સુધીરભાઈ દેસાઈ તથા તેમનાં પત્ની શ્રીમતી તારિણીબહેન દેસાઈ ઇસરોના શ્રી ધીરેનભાઈ અવાસિયા. જેઓ છેલ્લે ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રહસ્ય મંત્રી પણ બન્યા છે. એલિસબ્રીજ-અમદાવાદનું બાંધકામ અંદાજી (રૂા. ૪.૫ લાખ) કરતાં ઓછા ખર્ચે (રૂા. ૨.૫ લાખ) પૂરું કરનાર શ્રી હિંમતલાલ ભચેચ વિ. નાગર મહાનુભાવો માટે સ્વાભાવિક આપણને માન થાય. નર્મદાની પરિક્રમાને ગ્રંથસ્થ કરનાર શ્રી નર્મદાનંદજી યોગનું જીવનમાં મહત્ત્વ સમજાવીને તેની વૈજ્ઞાનિક તાલીમ આપનાર પૂ. શ્રી અધ્યાત્માનંદજી (અમદાવાદ શિવાનંદ આશ્રમના ભૂતપૂર્વ વડા), દૂરદર્શનમાં ગુજરાતી અને હિંદી ધારાવાહિકોમાં પોતાના અભિનય વડે ખ્યાતિ પામનાર શ્રી કમલેશભાઈ ઓઝા, રંગભૂમિના તેજસ્વી અદાકાર શ્રી ઉત્કર્ષ મઝમુદાર અને બીજાં તો કેટલાંય મોતી આ નાગર પરિવારોમાં સંજીવ મુનશી અને શ્રીમતી મીનાબહેન મુનશીનાં નામો મુખ્ય છે. શ્રી જ્યોતિર્ધર દેસાઈ મૂળ તો પાટણના નાગર! એ પણ જૂની પેઢીના સંગીતના નિષ્ણાત. શ્રીમતી નીલધારાબહેન દેસાઈ પણ એવાં જ સરસ ગાયક: શ્રી જ્યોતિર્ધરભાઈએ ઘણા કાર્યક્રમો આપ્યા અને મુંબઈના આકાશવાણી કાર્યાલનું વડપણ સંભાળ્યું છે. | વહીવટના ક્ષેત્રમાં આગળ પડતાં નામોમાં શ્રી ચિન્મય ધારેખાન તથા વડોદરાના સમાહર્તા (કલેકટર) શ્રી ભાગ્યેશ ઝાનાં નામો ઘણા મોખરે છે. સ્વભાવે બને નમ્ર અને વિવેકી. આટલો મોટો હોદ્દો પણ આડંબર કે અભિમાન લેશમાત્ર નહીં. સામાજિક સંબંધો સાચવવાની નાગરોની લાક્ષણિકતાને તેઓ કુશળતાથી સંભાળે છે. ચિન્મયભાઈ ભારતનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેકવાર કરી ચૂક્યા છે. ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરા જિલ્લાને E,Governanceમાં મૂકવાનું શ્રેય શ્રી ભાગ્યેશભાઈને ફાળે જાય છે. તેઓ અગાઉ ખેડાના કલેકટર હતા ત્યારે શ્રેષ્ઠ કલેકટરનું પારિતોષિક જીતી ચૂક્યા છે અને વડોદરામાં પણ તેમનો વહીવટ કૂદકે ને ભૂસકે અદ્યતન બની રહ્યો છે. કલેકટર તરીકે વ્યસ્ત રહેવા છતાં જ્ઞાતિના કે ધાર્મિક પ્રસંગોમાં તેમની હાજરી સામાન્ય રીતે હોય જ! તેમનો કાવ્યરચનાનો શોખ અદ્વિતીય છે. તે માણવી ગમે તેવી છે. તેની કેસેટ અને પુસ્તક પણ તેમણે પ્રકાશિત કર્યા છે. સાચા ધર્મ તરફની તેમની ગતિ વિચાર, વાણી અને વર્તનમાં જણાયા વગર રહેતી નથી આમ, બહુમુખી પ્રતિભા ધરાવતા નાગર કલેકટર મળે તે નાગરો અને બીજાઓનું પણ સૌભાગ્ય જ છે ને? પથદર્શક બની ચૂકેલા હજી તો ઘણા મહાનુભાવો છે. હજી એ પ્રક્રિયા ચાલુ જ છે. તેઓનો માત્ર નામોલ્લેખ કરીને જ સંતોષ માનીએ. જની ગુજરાતી-હિંદી ફિલ્મોના અદાકાર શ્રી ઉમાકાંતભાઈ દેસાઈ. ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી રમેશભાઈ મહેતા, જૂની ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના કલાકાર સ્વ. લાલજીભાઈ નંદલાલ, (જેઓના નામનો ચોક-વડોદરામાં અસ્તિત્વ ધરાવે છે, અને પલ્લવીબહેન મહેતા અચ્છા કલાકાર હતા. માત્ર સ્વમાનને ખાતર પોતાનો ઊચ્ચ હોદ્દો-દિલ્હી યુનિ.નું કુલપતિપદ–છોડી દેનાર, શ્રી ઉપેન્દ્રભાઈ બક્ષી (જેઓ દ. ગુ. યુનિ.ના કુલપતિ રહી ચૂક્યા છે). શ્રી જે. જે. અંજારિયા, લૉર્ડ મેઘનાદ, સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી શૈલેશ મઝમુદાર, ગુજરાત ઉચ્ચ અદાલતના ન્યાયાધીશો, શ્રી સી. કે. બુચ સાહેબ, શ્રી કમલભાઈ મહેતા તથા ઊચ્ચ ગણિતજ્ઞ અને પડેલાં છે. ફિલ્મોમાં જ્યારે આધુનિક સમયમાં ધાર્મિક ફિલ્મોનું મહત્ત્વ નહોતું ત્યારે “જય સંતોષી મા ઉતારીને ફિલ્મ જગતમાં ક્રાંતિ સર્જી તે શ્રી નાનાભાઈ ભટ્ટ અને તેમનો પરિવાર શ્રી વિજય ભટ્ટ (રામરાજ્ય ખ્યાતિ પ્રાપ્ત), શ્રી મહેશભાઈ ભટ્ટ, શ્રી વિક્રમભાઈ ભટ્ટ, શ્રી મુકેશભાઈ ભટ્ટ અને કુ. પૂજા ભટ્ટને કેમ ભૂલાય? “બાગબાન” માં અભિનયથી લોકોનાં મન ઉપર એક જુદી જ છાપ ઉપસાવનાર શ્રી પરેશભાઈ રાવળ પણ નાગર જ છે ને? તેઓ કોઈપણ પાત્ર ભજવે પણ તેમાં તેઓ પોતે ઓતપ્રોત થઈ જાય છે. લલિતકલાઓમાં ચિત્રકલા ઘણી મુશ્કેલ-કપરી કલા ગણાય છે. નાગરો તેમાં પણ પાછા પડ્યા નથી. વડોદરાના શ્રી જલેન્દુભાઈ દવે આ જ પ્રકારના અદના કલાકાર છે. કલાને જ જીવન માની લઈને તેઓએ સંગીતમાં તથા ચિત્રકલામાં વડોદરા પાસે જ તાલીમ લીધી. સ્થાનિક શાળામાં ચિત્રશિક્ષક તરીકે જોડાયા. આજસુધીની કારકિર્દી દરમ્યાન તેઓએ ૨૧ થી વધુ પુરસ્કારો મેળવ્યા છે. ૧૭ થી વધુવાર તેઓના one man show અથવા સામુહિક પ્રદર્શનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયાં છે. હાલ નિવૃત્ત જીવનમાં પણ આ જ પ્રવૃત્તિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy