SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ પ્રતિભાઓ જાગ્યું” જેવાં તો અસંખ્ય ગીતો-લોકગીતો સાંભળ્યા જ કરીએ, બસ સાંભળ્યા જ કરીએ એમ થયા કરે! શ્રી આશિત દેસાઈ અને સૌ હેમાંગીની દેસાઈની બેલડીએ પણ ગળથુથીમાંથી મળેલાં સંગીતને કેળવી કેળવીને એટલે હદ સુધી નિખાર્યું છે કે તેમનાં ગીતો, ગઝલો ભજનો વિ. સાંભળીએ ત્યારે આપણું હૃદય તરબતર થઈ જાય. ગુજરાતી સીરીયલોમાં તથા દૂરદર્શન પરથી પ્રસારિત થતા “ચાણક્ય' એ પણ સંગીત પીરસ્યું છે. લંડનના એક સમારંભમાં તેમણે ગાયેલું, “રામ તમે સીતાજીની તોલે ન આવો' એ ઘણું અનન્ય બની ગયું છે. સંગીતનો રસથાળ પીરસીને જનતાની સેવા જ કરી છે. સંગીતમાં ગાયકીની સાથે સાજની પણ જરૂર પડે. અને તેના સાજીંદાઓ પણ નાગરમાં એક કરતાં એક ચઢિયાતા છે. તબલામાં શ્રી આશિત દેસાઈના સ્વ. કાકા શ્રી પરાશરભાઈ અને શ્રી આશિત દેસાઈના પુત્ર, ઊગતા કલાકાર શ્રી આલાપ દેસાઈ- (તેમનો સમગ્ર પરિવાર સંગીતમાં ઓતપ્રોત છે) તો છે જ. શ્રી વિનાયક વોરાએ તાર શહનાઈમાં પ્રવીણતા મેળવી તો તેમના પુત્ર શ્રી ઉત્તમ વોરા અને શ્રી સર્વેશ વોરા સંગીતમાં પણ આગળ છે. આજે, દૂરદર્શન પરથી પ્રસારિત થતી, સામાન્ય રીતે, કોઈપણ ગુજરાતી શ્રેણીમાં શ્રી ઉત્તક વોરાનું સંગીત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જણાય છે જ! શ્રી ગૌરાંગ વ્યાસને તો પોતાના માતાપિતા શ્રી અવિનાશ વ્યાસ અને શ્રીમતી સુલોચનાબહેન પાસેથી જ સંગીતના સંસ્કારો મળ્યા અને “બાપ કરતાં બેટો સવાયો' એ કહેવત યથાર્થ કરી બતાવી છે. ગુજરાતી ફિલ્મી સંગીત ઉપરાંત દૂરદર્શન ઉપર અને અન્ય અનેક સ્થળોએ અહીંયા અને વિદેશમાં તેમના સંગીતે લોકોને મુગ્ધ કર્યા છે. દૂરદર્શન જ્યારથી વધુ પ્રચલિત બન્યું. ત્યારથી તેના કલાકારોમાં નાગરોએ ધૂમ મચાવી છે. “એક મહલ હો સપનો કા’ અને ‘સાસ ભી કભી બહુ થી' માં અભિનયનાં અજવાળાં પાથરનાર શ્રીમતી અપરા મહેતા કે “સો દહાડા સાસુના'માં અભિનય કરતાં શ્રીમતી નેહા મહેતાએ પ્રેક્ષકો અને દર્શકોના મન ઉપર સારો એવો જાદુ કર્યો છે. ઝા પરિવારના શ્રી મુનિ ઝા, શ્રી હેમંતભાઈ ઝા અને તેમના પુત્રો પણ દૂરદર્શન પર આવતી અનેક શ્રેણીઓમાં અભિનય આપી ચૂક્યા છે. અને અગ્રેસર રહ્યા છે. શ્રી મેહુલ બુચ પણ આવા જ ઉગતા કલાકાર છે. આવા જ કલાકારો શ્રી દિલીપભાઈ ધોળકિયા (તારી આંખનો અફીણી) તથા શ્રી રજત ધોળકિયા પોતાની કલાના પ્રદર્શન દ્વારા પોતાનું નાગર જીવન ધન્ય માને છે. શ્રી રાસબિહારીભાઈ દેસાઈ ને તો યાદ કરવા જ પડે. એમણે લગભગ ૧૯૬૨ માં સંગીતક્ષેત્રે ભેખ લીધો. જાતે ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક હોવા છતાં, નાગર જીવડો એટલે કાંઈક કર્યા સિવાય ના ચાલે. તેમણે “શ્રુતિ” ગાયકવૃંદની સ્થાપના કરી. તેઓના નેતૃત્વ હેઠળ તેમણે “શ્રુતિ” ના ભાવવાહી ગીતોની કેસેટ પણ પ્રસિદ્ધ કરી. તેમના ભાવવાહી ગીતો, “ના જા, ના જા સાજના” કે પછી “કે આવે મેહુલિયો રે” કર્ણપ્રિય છે. તેમણે ગાયેલાં ગીતો “આ જ મેં તો મધરાતે સાંભળ્યો મોર” તથા “માડી તારું કંકુ ખર્યું” જેટલા ભાવથી ગાયાં છે તેટલી જ અસર સાંભળનારના મન ઉપર થયા વગર રહેતી નથી. તેમનાં પત્ની શ્રીમતી વિભાબહેન દેસાઈનું “નજરું ના કાંટાની ભૂલ” કે પછી “વરસાદે કેવી ભીંજાતી હું એ વાગોળવાનું મન થાય એવાં ગીતો છે. સ્વ. નીનુભાઈ મઝમુદારનો સંગીત વારસો તેમના પુત્ર શ્રી ઉદયભાઈએ તથા પુત્રીઓ શ્રીમતી મીનળ મહેતા અને શ્રીમતી રાજુલ મહેતાએ જાળવી રાખ્યો છે. શ્રી ઉદય મઝમુદાર એક સારા સંગીતકાર છે. બન્ને દીકરીઓ સારું ગાય છે. “રક્ષા કરો જગદંબા” અને “એક સવાલે સાજન હારી ગયો” માં સૂરની મીઠાશ માણવા જેવી છે. ગુજરાતના સંગીત ઉસ્તાદ શ્રી પંડિત ઓમકારનાથ ઠાકુરને જે શિષ્યો મળ્યા તેમાં મોટા ભાગના નાગરો જ હતા. શ્રી અતુલભાઈ દેસાઈ, શ્રી કેતુમાન પારઘી અને સ્વ. શ્રી કીર્તિભાઈ વૈષ્ણવ, શ્રી અતુલભાઈ દેસાઈનાં ઘણાં શાસ્ત્રીય ગીતો પ્રચલિત છે. પરંતુ ભૈરવીમાં તેમની ગાયકીની તોલે બહુ ઓછા આવે. ફિલ્મી કલાકાર સ્વ. શ્રી વી. એચ. દેસાઈના લઘુબંધુ શ્રી લોમેશભાઈ દેસાઈના નિવાસે થતા ઉસ્તાદ ફૈયાઝખાના જલસાઓ ઘણાએ માણ્યા છે. શ્રી લોમેશભાઈની પુત્રી શ્રીમતી શુભદાબહેને પણ રસુલનબાઈ પાસેથી સંગીતની તાલીમ મેળવી અને વડોદરાની મ્યુઝીક કોલેજમાં તેઓ અધ્યાપિકા હતાં. અમદાવાદના જ કલાકાર પરિવાર શ્રી શ્યામલ મુનશી. શ્રી સૌમિલ મુનશી અને શ્રીમતી આરતી મુનશી તો આજીવન સંગીત માટે સર્જાયાં છે. તેમનો પ્રોગ્રામ ગોઠવવાના આયોજનમાં તેમને મળવા માટે પૂર્વ મંજૂરી લેવી પડે તેમ છે. નવરાત્રીના ગરબા, સુગમ સંગીત કે શાસ્ત્રીય સંગીતમાં મુનશી પરિવારે ગુજરાતને સંગીતના રંગે રંગ્યો છે. વિદેશોમાં પણ સંગીતક્ષેત્રે શ્રી હરેશભાઈ બક્ષી તથા શ્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy