SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) પ્રણેતા અને આજીવન લોકસેવક ઉત્તમચન્દભાઈ શાહે સ્વરાજય આશ્રમ, બારડોલીમાં શિક્ષણ અને રચનાત્મક કાર્યો શરૂ કર્યા. તો કછોલીમાં ગાંધી વિચારના પ્રચારક અને લોક સેવક કીકુભાઈ નાયકે રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. આ બધી આશ્રમશાળાઓ દ્વારા પછાત વિસ્તારમાં શિક્ષણનો દીપ પ્રગટાવ્યો અને પૂ. ગાંધીજીનો સંદેશ સમસ્ત પ્રજાજીવન સુધી પહોંચાડવાનું કામ કર્યું. કન્યા કેળવણી માટે નડિયાદમાં “શ્રી વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ સંસ્થાનો પાયો પૂ. મહાત્મા ગાંધીજીએ નાખેલો અને સરદાર વલ્લભભાઈ પટેલે તેને વિકસાવી. એ પછી શ્રી મોરારજીભાઈ દેસાઈએ પણ તેના વિકાસમાં સક્રિય રસ લીધેલો. શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળનાં અધ્યક્ષા સુ.શ્રી કુસુમબહેન પટેલે ગાંધી ચીંધ્યા માર્ગે કન્યા કેળવણીને જીવન સમર્પિત કર્યું હતું તો શ્રી હીરુભાઈ પટેલ અને શ્રીમતી ઇન્દુબહેન પટેલે પણ એ સંસ્થાને ખીલવવામાં સાથ આપ્યો હતો. કન્યા કેળવણી અને પછાત વિસ્તારનાં બાળકોના શિક્ષણ માટે વાત્સલ્યધામ, મઢીમાં સુ. શ્રી અન્નપૂર્ણાબહેન મહેતાએ સંસ્થાઓનું સંચાલન કર્યું. એ પછી તો ગુજરાત-સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં સ્થળોએ રાષ્ટ્રીય શિક્ષણની સંસ્થાઓ-આશ્રમશાળાઓ શરૂ થતી ગઈ. રાષ્ટ્રીય કેળવણીની સાથે યુવાનોનાં શરીરસ્વાથ્ય માટે વ્યાયામની તાલીમ આપવાનો પ્રારંભ થયો. રાજકોટમાં શ્રી છોટુભાઈ માંકડે વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરેલી. તેમને “વીર માંકડ'નું બિરુદ મળેલું. ભાવનગરમાં સ્વામી રાવ (ક્રાંતિકારી સરદાર પૃથ્વીસિંહ) ગુપ્તવેશે રહેલા. તેમણે મોતીબાગમાં વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરી. તેઓ “અખાડા માસ્તર' તરીકે ઓળખાતા હતા. તેમને સાથીઓ મળ્યા. શ્રી બહાઉદ્દીનભાઈ શેખ, ચોરવાડના હરખચન્દ મોતીચન્દ શેઠ, શ્રી જાદવજીભાઈ મોદી, ડૉ. કાણે વગેરે. એ સૌએ મળીને “કાઠિયાવાડ વ્યાયામ પ્રચારક મંડળ'ની સ્થાપના કરેલી. મંડળના ઉપક્રમે રજાઓમાં વ્યાયામ શિબિરો યોજાતી હતી. ભરુચમાં છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરેલી. અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં અને વડોદરાના આર્યકન્યા ગુરુકુળમાં બહેનોને વ્યાયામની તાલીમ આપવામાં આવતી હતી. બહેનો આત્મવિશ્વાસથી સ્વરક્ષણ માટે તૈયાર થાય તે અંગેની તાલીમ આપવામાં આવતી. વ્યાયામની તાલીમ યુવાનોના ચારિત્રય ઘડતરની દૃષ્ટિએ રાષ્ટ્રીય પ્રવૃત્તિનું જ એક અંગ બની રહી. રાષ્ટ્રીય ઉત્થાનના કાર્યક્રમોમાં મહિલાઓની જાગૃતિ અને સ્ત્રી કેળવણીની પ્રવૃત્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. અમદાવાદમાં જ્યોતિસંઘ' સંસ્થા સ્થપાઈ. સુ. શ્રી મૃદુલાબહેન સારાભાઈ તેમાં અગ્રેસર હતા. વડોદરામાં જ્યોત્નાબહેન શુકલ જૂનાગઢમાં શ્રીમતી પુષ્પાબહેન મહેતા, પાલિતાણામાં કસ્તૂરબહેન કવિ, સરલાબહેન ત્રિવેદી, ભાવનગરમાં ભાનુબહેન પારેખ, રાજકોટમાં વિદ્યાબહેન શાહ, જામનગરમાં મંજુલાબહેન દવે, વઢવાણમાં અરૂણાબહેન દેસાઈ જેવાં બહેનોએ સ્વાતંત્ર્યસંગ્રામમાં તો ભાગ લીધો હતો પરંતુ મહિલા જાગૃતિના કાર્યને તેઓએ અગ્રતા આપેલી. | ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને લોકજાગૃતિની પ્રવૃત્તિમાં વિવિધક્ષેત્રે અગ્રીમ હરોળમાં રહીને કાર્યરત રહેનારી વિભૂતિઓની જન્મભૂમિ ગુજરાત છે. કવિ કાલિદાસે હિમાલયને પૃથ્વીનો માનદંડ કહ્યો છે. તો વિશ્વવંદ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy