SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) માનવતાના માનદંડ’ છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, માણસાઈના દીવા પ્રગટાવનાર રવિશંકર મહારાજ, હરિજનસેવક અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા), કર્મવીર ફૂલચન્દ્રભાઈ શાહ, અજ્ઞાત તપસ્વી ચમનભાઈ વૈષ્ણવ, કેળવણીના ભેખધારી નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, બાલશિક્ષણના પ્રણેતા ગિજુભાઈ બધેકા, નિર્ભીક પત્રકાર અમૃતલાલ શેઠ અને ઝવેરચન્દ મેઘાણી, રાજનીતિજ્ઞ અને સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, સ્ત્રી જાગૃતિ અને પછાત વર્ગના ઉત્થાન માટે ઝઝૂમનાર પુષ્પાબહેન મહેતા, ધોલેરા સત્યાગ્રહના ૧૩માં સરદાર દેવીબહેન પટ્ટણી, હિન્દ-પાકિસ્તાનના ભાગલા વખતે કોમી હુલ્લડો વચ્ચે જઈને સ્ત્રીઓને બચાવનાર વીરાંગના મૃદુલાબહેન સારાભાઈ-કવિઓ, સાહિત્યકારો, સમાજસેવકો—આમ કેટકેટલી વ્યક્તિઓનાં જીવન અને કાર્ય સમગ્ર પ્રજાજીવનને માટે આદર્શરૂપ બન્યાં છે. આવી વિભૂતિઓનાં પ્રેરણાદાયી વ્યક્તિત્વનો પરિચય બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન’ અને ‘પથપ્રદર્શક પ્રતિભાઓ'માં કરાવવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭–સ્વરાજય તો મળ્યું. પણ ભારત-પાકિસ્તાનના ભાગલા થયા. એ વખતે દક્ષિણ ભારતમાં આવેલા હૈદ્રાબાદના નિઝામે અને સૌરાષ્ટ્રમાં જુનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું વલણ પ્રગટ કર્યું. રિયાસતી ખાતું સરદાર વલ્લભભાઈ પટેલ સંભાળતા હતા. તેમની કુનેહભરી દોરવણી નીચે એ બન્ને રાજ્યો ભારત સાથે જ જોડાય તેવું આયોજન થયું. હૈદ્રાબાદનું કામ કુશળ રાજનીતિજ્ઞ અને પ્રસિદ્ધ નવલકથાકાર કનૈયાલાલ મુનશીએ પાર પાડ્યું. જુનાગઢને પાકિસ્તાન સાથે જતું રોકવા માટે જન્મભૂમિ'ના તંત્રી શ્રી અમૃતલાલ શેઠ અને ‘વંદે માતરમ્'ના તંત્રી શ્રી શામળદાસ ગાંધીના માર્ગદર્શન નીચે “આરઝી હકુમતની સ્થાપના કરવામાં આવી. રાષ્ટ્રીય લિનો વખતે અહિંસક સત્યાગ્રહોમાં ઉંહકારો પણ કર્યા વિના સખ્ત માર સહન કરનારા સૌરાષ્ટ્રના સત્યાગ્રહીઓ “આરઝી હકુમતની લોકસેનામાં શસ્ત્રધારી બન્યા. શ્રી રતુભાઈ અદાણી તેના સરદાર-સરસેનાપતિ બન્યા. આરઝી હકુમતની લોકસેનાની ભૂહભરી રણનીતિ અને ચુનંદા સૈનિકોની સાહસિકતાએ જુનાગઢના નવાબને શિકસ્ત આપી, વિજય મેળવ્યો. જુનાગઢની લોકક્રાન્તિને શ્રી મનુભાઈ પંચોળીએ ‘એક રંગભર્યું ઉજ્વળ પ્રકરણ' તરીકે ઓળખાવેલ છે. આ અભૂતપૂર્વ આંદોલનોનું વર્ણન (બે ગ્રંથોમાં) રતુભાઈ અદાણીએ સ્વાનુભવરૂપે તાદેશ અને પ્રવાહી શૈલીમાં કર્યું છે. સ્વરાજ્ય પ્રાપ્તિ પછી દેશના સર્વાગીણ વિકાસને અનુલક્ષીને આયોજનો થયાં. પંચવર્ષીય યોજનાઓ થઈ. ગુજરાતમાં પંચાયતી રાજ્યની યોજના થઈ. તેના પ્રણેતા શ્રી બળવંતભાઈ મહેતાએ, શ્રી રતુભાઈ અદાણી, શ્રી રસિકભાઈ પરીખ અને અન્ય આગેવાનોએ તેનું અમલીકરણ કર્યું. શિક્ષણક્ષેત્રે નવા નવા અભ્યાસક્રમો દાખલ થયાં. આર્થિક વિકાસ માટે માત્ર કૃષિ પર આધારિત ન રહેતાં, ઉદ્યોગક્ષેત્રના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. મોટા ઉદ્યોગોની સાથે નાના ઉદ્યોગોના વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. સૌરાષ્ટ્રની ભાંગતી જતી ખેતીએ હીરાઉદ્યોગને વિકસાવ્યો. જેમાં, આજે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું વિશેષ સ્થાન છે. મોરબીમાં ઘડિયાળો અને ટાઈલ્સનો ઉદ્યોગ વિકસ્યો છે. મોરબીને “લોકસિટી' તરીકે નામ મળ્યું. ગુજરાતના વિશાળ સાગરકાંઠાને અનુલક્ષીને મત્સ્યોદ્યોગના ઘનિષ્ઠ વિકાસ માટેની યોજનાઓ થઈ છે. પોરબંદર, જાફરાબાદમાં સિમેન્ટ ઉદ્યોગ, સુરતનો જરી અને ટેક્ષટાઈલ ઉદ્યોગ, અલંગનો શિપબ્રેકીંગ ઉદ્યોગ, આણંદમાં ડેરી ઉદ્યોગ, રાજકોટમાં ડીઝલ એન્જિનનો ઉદ્યોગ ઇત્યાદિ ઉદ્યોગો વિકસતા ગયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy