SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯). સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય શાળા સ્થપાઈ વઢવાણ શહેરમાં-૧૯૨૧. તેના સ્થાપક હતા કર્મવીર શ્રી ફૂલચન્દભાઈ શાહ. આચાર્ય હતા સાધુચરિત શ્રી ચમનભાઈ વૈષ્ણવ. તેમની રાહબરી નીચે સ્વામી શિવાનંદજી, શ્રી વજુભાઈ દવે, (જેમણે પછી અમદાવાદમાં ગુજરાત પ્રસિદ્ધ શારદામંદિર સંસ્થા સ્થાપી.) ડાહ્યાભાઈ જાની શ્રી પ્રાણભાઈ આચાર્ય, શ્રી ભોગીભાઈ પરીખ વગેરે ભાવનાશાળી શિક્ષકો કામ કરતા હતા. બીજી સંસ્થા તે ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન. બ્રહ્મનિષ્ઠ શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય નાનાભાઈ ભટ્ટ જેઓ શામળદાસ કૉલેજ, ભાવનગરમાં પ્રાધ્યાપક હતા. એ નોકરી છોડીને તેઓ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિની ધર્મભાવના દઢ થાય એ હેતુથી વિદ્યાર્થીભવનમાં જોડાયા. વિદ્યાર્થીભવનમાંથી શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાનું સર્જન થયું એ સંસ્થા ક્રમશઃ દક્ષિણામૂર્તિ બાલમંદિર, કુમારમંદિર, વિનયમંદિર, બાલ અધ્યાપન મંદિર એ રીતે વિકાસ પામતી ગઈ. નાનાભાઈને સાથ મળ્યો ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીનો. ગિજુભાઈએ બાલશિક્ષણને જીવન સમર્પિત કર્યું. બાલમંદિર, બાલ અધ્યાપન મંદિર ચલાવ્યાં. બાલસાહિત્યનું નિર્માણ કર્યું. નૂતન બાલશિક્ષણ સંઘની સ્થાપના કરી. આમ ભાવિ પેઢીના ઘડતરનો નવો યુગ શરૂ થયો. વિનયમંદિરના આચાર્ય તરીકે શ્રી હરભાઈ ત્રિવેદીએ ડોલ્ટન યોજનાને આધારે પ્રયોગો શરૂ કર્યા. સમય આગળ વધતો ગયો. નાનાભાઈએ દક્ષિણામૂર્તિ, ભાવનગર શહેર છોડીને ગ્રામાભિમુખ શિક્ષણની સંસ્થા લોકવિદ્યાલય, આંબલા અને પછી લોકભારતી સણોસરા સ્થાપી. શ્રી હરભાઈએ ભાવનગરમાં જ જુદી ઘરશાળા સંસ્થા શરૂ કરી. દક્ષિણામૂર્તિ સંસ્થાનું સુકાન ગિજુભાઈ પછી તેમના પુત્ર નરેન્દ્રભાઈ (બચુભાઈ બધેકાએ સંભાળ્યું. ત્યારબાદ શ્રીમતી વિમુબહેન નરેન્દ્રભાઈ બધેકાએ સંસ્થાની જવાબદારી સંભાળી. જેઓ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અદ્યાપિ પર્યત એ જવાબદારી વહન કરે છે. લોકભારતી સણોસરામાં શ્રી મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ ભટ્ટ, શ્રી ન. પ્ર. બુચ જેવા શિક્ષણને સમર્પિત મહાનુભાવો જોડાયા. જેઓ તેને ઉત્તરોત્તર વિકસાવતા ગયા. ૧૯૨૩માં સ્થપાયેલી રાષ્ટ્રીય શાળા રાજકોટની વ્યવસ્થા શરૂઆતમાં જમનાદાસભાઈ ગાંધી કરતા હતા. ૧૯૩૪માં પૂ. ગાંધીજીએ નારણદાસભાઈ ગાંધી (પૂ. નારણદાસ કાકા)ને રાષ્ટ્રીય શાળાનું સંચાલન કરવા રાજકોટ મોકલ્યા. એ સંસ્થામાં પછીથી શ્રી જેઠાલાલ જોશી, વજુભાઈ શુકલ, રતિભાઈ રાવળ જેવા મિશનરી યુવાનો જોડાયા. રાષ્ટ્રીયશાળામાં લોકજાગૃતિ અને લોકશિક્ષણનાં કાર્યો દ્વારા રાષ્ટ્રોત્થાનમાં પણ કંઈક ફાળો આપી શકે તેવી શિક્ષણ પદ્ધતિનું આયોજન કરવામાં આવ્યું. ઉદ્યોગ સાથેનું શિક્ષણ અપાતું થયું. ધીમે ધીમે રચનાત્મક કાર્યોને વેગ મળ્યો. રાષ્ટ્રીયશાળાની એક વિશેષતા તેનું સંગીત વિદ્યાલય. તેમાં શાસ્ત્રીય અને સુગમ સંગીતના વર્ગો પણ શરૂ થયા. રાષ્ટ્રીયશાળા તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થવા લાગ્યું હતું. હિન્દી ભાષા પ્રચારનીકામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. પૂ. નારણદાસકાકા પછી તેમના પુત્ર શ્રી પુરુષોત્તભાઈ ગાંધી અને શ્રીમતી વિજયાબહેન ગાંધીએ સંચાલન સંભાળેલું. હિન્દી ભાષા પ્રચારના કાર્યમાં પછી શ્રી નરેન્દ્રભાઈ અંજારિયા જોડાયેલા. શ્રી વજુભાઈ વ્યાસ, શ્રી દેવેન્દ્રભાઈ દેસાઈ વગેરે ત્યારપછી સંસ્થાની જવાબદારી વહન કરવા લાગ્યા. આજે પણ રાષ્ટ્રીય શાળામાં શિક્ષણકાર્ય, રચનાત્મક કાર્ય, ખાદી-ગ્રામોદ્યોગ વગેરે પ્રવૃત્તિ સુપેરે ચાલી રહી છે. - ભરુચમાં અંબુભાઈ પુરાણીએ રાષ્ટ્રીય શિક્ષણની શાળા શરૂ કરેલી. વેડછીમાં જુગતરામભાઈ દવે અને ચીમનભાઈ ભટ્ટ રાનીપરજનાં બાળકો માટે આશ્રમશાળા સ્થાપી. નઈ તાલીમ અને રચનાત્મક પ્રવૃત્તિઓના Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy