SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) જોડાયાં. પત્રકારો, શિક્ષણવિદો, નગરજનો, પ્રૌઢો, યુવાનો, બહેનો સૌ આ સત્યાગ્રહમાં જોડાયાં. સખ્ત માર, જેલવાસ અને મિલકતોની હરરાજી થઈ તે બધું જ સહન કર્યું. ગાંધી-ઇરવિન કરાર થતાં એ લડત સમેટાઈ. ૧૯૪૦માં સૌરાષ્ટ્રમાં રાજકોટ સત્યાગ્રહ થયેલો. ૧૯૪૨-કરેંગે યા મરેંગે'ના આખરી જંગમાં ગુજરાતમાં એક બાજુ અહિંસક લડત અને બીજી બાજુ ભૂગર્ભ પ્રવૃત્તિ સરકારી તંત્રને ખોરવી નાખવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિકો-લોકસેવકો આંદોલનની હાકલ પડતાં લડતમાં જોડાઈ જતા. અને વિરામકાળ વખતે જુદાં જુદાં ગામડાઓમાં થાણું નાખીને, આશ્રમો સ્થાપીને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને સ્વરાજ્ય માટે તૈયાર કરતા હતા. વીસમી સદીને પત્રકારની સદી તરીકે ઓળખાવવામાં આવેલી. રાષ્ટ્રીય આંદોલનો વખતે વર્તમાનપત્રોએ પ્રજાજાગૃતિનું કાર્ય કરેલું. કાકાસાહેબ કાલેલકર તો કહે છે કે “પત્રકાર એટલે લોકસેવક, લોકપ્રતિનિધિ, લોકગાયક અને લોકગુરુ-ચતુર્વિધ પદવી ધરાવતી વ્યક્તિ.” સૌરાષ્ટ્રમાં બ્રિટીશ હદમાં આવેલા રાણપુરમાં ૧૯૨૧ના ઓકટોબરની બીજી તારીખે શ્રી અમૃતલાલ શેઠ ‘સૌરાષ્ટ્ર' પત્ર શરૂ કર્યું ત્યારે સ્વરાજ્યના પગરણ મંડાઈ ચૂક્યાં હતાં. “સૌરાષ્ટ્ર'ના સંપાદક મંડળના સાથીદારો હતા શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી ભીમજીભાઈ “સુશીલ', કકલભાઈ કોઠારી, ગુણવન્તરાય આચાર્ય વગેરે. પછી તો એ મંડળમાં એક પછી એક યુવાનો આવતા ગયા. શ્રી રામનારાયણ ના. પાઠકે કહ્યું છે તેમ “સૌરાષ્ટ્ર” પત્ર એક જીવતી ચિનગારીસમું બની ગયું. સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું એ જ્યોતિર્ધર બન્યું. “સૌરાષ્ટ્ર પત્ર રાજકારણ અને સમાજસુધારાનું વાહન બન્યું. થોડા સમયમાં જ સૌરાષ્ટ્ર બૃહદ્ ગુજરાતના સમગ્ર નકશાને પલટી નાખ્યો હતો. શ્રી મનુભાઈ પંચોળી (દર્શક)એ કહ્યું છે કે “અમૃતલાલ શેઠે “સૌરાષ્ટ્ર પત્ર દ્વારા સૌરાષ્ટ્રની અસ્મિતા પેદા કરી અને પછી ફૂલછાબે તે આગળ વધારી. ગુજરાતમાં એની જોડનો કોઈ નમૂનો નથી.” રાષ્ટ્રવ્યાપી પત્ર તરીકે ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા અને હરિજનબંધુએ પ્રજાજાગૃતિનું કાર્ય કર્યું હતું. ગાંધીજીએ દેશની આઝાદી માટે સંગ્રામ શરૂ કર્યો પરંતુ એ માત્ર રાજકીયરૂપે જ સીમિત નહોતો. મદાવાદમાં સાબરમતી તીરે તેમણે આશ્રમ સ્થાપ્યો. તેમનું લક્ષ્ય તો સમગ્ર સમાજના પુનર્ઘટનનું હતું. જેમાં સર્વનો ઉદય થતો હોય તેવા નવજીવનના નિર્માણ અર્થે તેમની સર્વ પ્રવૃત્તિઓ હતી. અસહકારનાં આંદોલન વખતે એક બાજુ શાળા-કૉલેજોનો બહિષ્કાર કરવામાં આવ્યો. તો બીજી બાજુ યુવાનોના સર્વાગીણ વિકાસને અનુરૂપ રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ. સાબરમતી આશ્રમની શાળાનાં શિક્ષકો હતાં– કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, નરહરિ પરીખ, વિનોબા ભાવે, પ્રેમાબહેન કંટક વગેરે. આશ્રમની શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના શિક્ષણની સાથે ઉદ્યોગ અને જીવનની તાલીમ મળતી હતી. થોડા સમય પછી અમદાવાદમાં રાષ્ટ્રીય વિચારધારાથી રંગાયેલી ગુજરાત વિદ્યાપીઠ-ઉચ્ચશિક્ષણની સંસ્થા પણ શરૂ થઈ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં સ્થળોએ રાષ્ટ્રીય શિક્ષણની શાળાઓની શરૂઆત થઈ. સૌરાષ્ટ્રના પ્રજા જીવનના ઘડતરમાં ત્રણ શિક્ષણ સંસ્થાઓનો મહત્ત્વનો ફાળો છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy