SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) આફ્રિકાનું કામ પૂરું કરીને ભારતમાં આવ્યા. કોંગ્રેસમાં જોડાયા. સમગ્ર હિન્દુસ્તાનનો પ્રવાસ કરીને દેશની પરિસ્થિતિનો પરિચય મેળવ્યો. પોતાનાં કાર્યક્ષેત્રનું થાણું ગુજરાતમાં સાબરમતીને કિનારે અમદાવાદમાં નાખ્યું. તેમનું અમોઘ શસ્ત્ર હતું ‘સત્યાગ્રહ’. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ વિશ્વની સ્વતંત્રતા માટેની લડતો કરતાં વિશિષ્ટ રહ્યો છે. પૂ. મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસ મહાસભાનું નેતૃત્વ સંભાળ્યા પછી લડતનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું. ઉચ્ચ શિક્ષિત જનો-બેરિસ્ટરો–વકીલોની લડત ન રહેતાં સમગ્ર દેશની પ્રજાવ્યાપી લડત બની ગઈ. આ ‘ધર્મયુદ્ધ’ હતું શસ્રો અને દારૂગોળાથી લડવાનું નહોતું. ‘સત્ય, અહિંસા અને પ્રેમના અમોઘ શસ્ત્ર ‘સત્યાગ્રહ’ દ્વારા લડવાનું હતું. પ્રાર્થના, આત્મશુદ્ધિ, અસ્પૃશ્યતા નિવારણ, કોમી એકતા, દારૂનિષેધ, રેંટિયો, ખાદીગ્રામોદ્યોગ, ગામડાં અને ગરીબોની સેવા, સ્ત્રી–જાગૃતિ અને નિરક્ષરતા નિવારણ–એમ અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા લોકજાગૃતિનું કામ શરૂ કરવામાં આવ્યું. વિશ્વના સાંસ્કૃતિક ઉત્થાનના જ્યોતિર્ધરો મહાવિનાશમાંથી નવસર્જન કરવા માટે યુગે યુગે અવતાર ધારણ કરે છે. એ યુગપુરુષના કાર્યને સહાયરૂપ થવા માટે એવી સદ્ગુણ સંપન્ન વિભૂતિઓ અકળ એવા કુદરતી આકર્ષણથી આપોઆપ તેમની પાસે ખેંચાઈને આવે છે. ગુજરાત, સૌરાષ્ટ્રના સર્વાંગી ઘડતર માટે અહીંથી જ ગાંધીજીને અમૂલ્ય માનવરત્નો સાંપડ્યા. લોકહૃદયમાં પ્રજાસેવકનું સ્થાન કેવળ તેના નિઃસ્વાર્થ, નિષ્કલંક ચારિત્ર્યથી જ અંકિત થવું જોઈએ, એવો રાજકારણ અને સમાજકારણને વિશુદ્ધ બનાવતો યુગવર્તી સિદ્ધાંત ગાંધીજીએ ૧૯૧૫માં સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરતાં જ પ્રસ્થાપિત કર્યો. અને સાધનશુદ્ધિના એ સુર્દઢ પાયા પર સમાજજીવનનું ઘડતર થયું. તેમને સૌ પ્રથમ મળનાર વ્યક્તિ હતા સત્યનિષ્ઠ લોકસેવક મોતીભાઈ દરજી, જેઓ વઢવાણના હતા. નવા યુગની નવી યુદ્ધનીતિના ગાંધીજી સેનાપતિ બન્યા. સ્વતંત્ર ભારતના નિર્માણમાં ગાંધીજી અને રાષ્ટ્રીય આંદોલનોનો પ્રભાવ રહેલો છે. સત્યાગ્રહનાં આંદોલનો રાષ્ટ્રીય કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ—બન્ને રીતે થયાં. જેમાં ગુજરાત હંમેશાં મોખરે રહ્યું છે. ૧૯૧૮માં ખેડૂતોના પ્રશ્ને ખેડા જિલ્લાનો સત્યાગ્રહ થયો, તેમાં ગાંધીજી અને વલ્લભભાઈ પટેલે ખેડૂતોને દોરવણી આપેલી. ૧૯૨૩ના નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ગુજરાતના સૈનિકોની ટૂકડીએ અગ્રીમ ભાગ ભજવેલો. જેમાં ભાવનગરના બળવંતરાય મહેતા, વઢવાણના ફૂલચન્દ્રભાઈ શાહ, શિવાનંદજી, યુવાન વિદ્યાર્થી રામનારાયણ ના. પાઠક વેગેરે હતા. ૧૯૨૮ની સાલમાં બારડોલી સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી. ખેડૂતોને મહેસૂલનો ત્રાસ હતો. એ લડતની સફળ કામગીરીને પરિણામે વલ્લભભાઈને ‘સરદાર’નું બિરુદ મળ્યું. ગુજરાત-સૌરાષ્ટ્રના ચુનંદા સૈનિકોએ આ લડતમાં ભાગ લીધો. ખાસ તો સ્થાનિક પ્રજાએ પોતાનું અનેરું ખમીર દેખાડ્યું. સરકારે ભાષણો કરવાની મનાઈ ફરમાવેલી. તો સૈનિકો ફૂલચન્દભાઈ શાહનાં રચેલાં યુદ્ધગીતો દ્વારા અને રામનારાયણ ના. પાઠક વીરરસની વાર્તાઓ કહીને લોકોને પ્રોત્સાહિત કરતા હતા. ૧૯૩૦ની સાલમાં ૧૨મી માર્ચે ઐતિહાસિક દાંડીકૂચ શરૂ થઈ. દેશભરમાં સ્વરાજ્ય માટેની તમન્ના જાગૃત થઈ ઊઠી. ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે ચપટી મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો. ‘નમક સત્યાગ્રહ’નાં આંદોલનો શરૂ થયાં. ધોલેરા, વીરમગામ, ખારાઘોડા, ધરાસણા-આમ ગુજરાતભરના સૈનિકો જુદાં જુદાં સ્થળોએ છાવણીઓમાં Jain Education intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy