SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ સૌરાષ્ટ્રના લોકજીવનનાં સિધ્ધહસ્ત ચિત્રકાર, સન્માનિત કલાશિક્ષક અને કલા પ્રસારક શ્રી પ્રતાપસિંહ જાડેજા વર્ષોથી ‘ફૂલછાબ' (રાજકોટ)માં પ્રકટ થતાં જેમનાં વાર્તાચિત્રોએ સૌરાષ્ટ્ર-ગુજરાતથી લઇને છેક મુંબઇ સહિત વિદેશો સુધી ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવાં ખ્યાતનામ ચિત્રકાર પ્રતાપસિંહ જાડેજાનો જન્મ તેમના વતનના ગામ વેજાગામ (જિ. રાજકોટ)માં ૧૯૪૦માં થયો. પ્રાથમિકથી લઇને કોલેજ સુધીનું શિક્ષણ તેમણે રાજકોટમાં મેળવ્યું. પણ બધાં વેકેશન તો ગામડામાં જ વિતાવે. પરિણામે સૌરાષ્ટ્રનું લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકસંગીત અને ગ્રામ્ય રહેણીકરણીનો તેમને આકંઠ અનુભવ. * અભ્યાસઃ ઇન્ટર સાયન્સ પૂરું કર્યા પછી ચિત્રકળાપ્રત્યેના રસથી તેઓ ફાઇન આર્ટસના અભ્યાસ તરફ વળ્યા. ૧૯૬૨માં રાજકોટમાં જ શરૂ થયેલી કલાસંસ્થા “પં. નહેરૂ ફાઇન આર્ટસ'માં સ્વ. કલાચાર્ય ડૉ. શ્રી રમેશભાઇ ભટ્ટના માર્ગદર્શનમાં પેઇન્ટીંગ, સ્કલ્પચર અને કલાશિક્ષણમાં પૂરા બાર વર્ષ તાલિમ મેળવી. ગુજરાત રાજય દ્વારા લેવાતી ઉચ્ચ કલાપરીક્ષાઓમાં બાહ્ય વિદ્યાર્થી તરીકે પરીક્ષાઓ આપતા જઇ તેમણે પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ (૧૯૬૬), આર્ટ માસ્ટર (૧૯૭૪) અને સ્કલ્પચરમાં જી.ડી. આર્ટ (૧૯૭૫)ની પદવી પ્રાપ્ત કરી. ડૉ. રમેશ ભટ્ટની જ પ્રેરણાથી ઇન્ટર સાયન્સ પછી છોડી દીધેલો. એકેડેમીક અભ્યાસ પુનઃ શરૂ કર્યો. ‘પ્રાચીન ભારતીય સંસ્કૃતિ' વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિ.માંથી બાહ્ય વિદ્યાર્થી તરીકે ૧૯૭૯માં બી.એ. અને પથ પ્રદર્શક ૧૯૮૩માં દ્વિતીય વર્ગ સાથે એમ. એ.ની પદવી પ્રાપ્ત કરી. તાલિમી ચિત્રશિક્ષક થવા ૧૯૭૨-૭૩ના વર્ષમાં અમદાવાદની શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં પ્રવેશ મેળવ્યો. જયાં સ્વ. કલાચાર્ય શ્રી રસિકલાલ પરીખ સહિત નટુભાઈ પરીખ, સી. ડી. મિસ્ત્રી, નાગજીભાઇ ચૌહાણ, વિનોદ રાવલ અને દત્તાત્રેય કેલકર જેવાં પ્રાધ્યાપકોનાં માર્ગદર્શનમાં અભ્યાસ કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ વર્ગ પ્રથમ (ડીસ્ટીંકશન) સાથે ડી.ટી.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. જે બદલ તેમને “શ્રી કાલીદાસ શાહ એવોર્ડ' (૧૯૭૩) અર્પણ થયો. સાથે કલાના શ્રેષ્ઠ વિદ્યાર્થીની શ્રેષ્ઠ કારકિર્દી બદલ “કેમલીન બેસ્ટ ટુડન્ટ ઓફ ધ યર-૧૯૭૩'નું પારિતોષિક પણ મેળવ્યું. એ જ વર્ષે સી. એન. | ફિગર સ્ટડી (કલમોડેલીંગ) કલામહાવિદ્યાલયમાં તેમનાં ચિત્રોનો વન મેન શો યોજાયો. * કલા શિક્ષણ : ૧૯૬૭થી રાજકોટની આઇ. પી. મિશન ગર્લ્સ હાઈસ્કૂલમાં તેઓ કલાશિક્ષક તરીકે જોડાયા. ૧૯૯૮માં નિવૃત્ત થયા ત્યાં સુધી પૂરા ખંતથી સેવા આપી હજારો વિદ્યાર્થિનીઓને ચિત્રશિક્ષણ આપવાની સાથે રાસગરબા જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં સંચાલનમાં સક્રિય યોગદાન આપ્યું. સ્થાનિકથી લઇને રાજયકક્ષા અને જાપાન-કાનાગાવા જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લેનાર તેમની વિદ્યાર્થિનીઓએ અનેક ક An a મા ' ડાયરો (રેખાંકન) Jain Education Intemational nal For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy