SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ વાસ્તવદર્શી તસવીર ચિત્રકાર શ્રી દામોદર આર. કાલીદાસ ‘નાજ મને મારા આ કામનો પૂરો બદલો મળી ગર્યો !' ૧૯૭૭ની સાલમાં પોરબંદર ખાતે યોજાએલ ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે યોજાએલા પ્રદર્શનમાં સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકરનું તૈલચિત્ર નિહાળીને પોરબંદર - મહારાણાથી તથા ઉપસ્થિત સાહિત્યકારોએ મુકત કંઠે કલાકારની છબીચિત્રણાની પ્રશંસા કરેલી ત્યારે કલાકારના હ્રદયમાંથી સંતોષ સાથે ઉપરો ત ઉદ્ગારો સરી પડે છે. આ કલાકાર તે મુંબઇ સ્થાયી જાણીતા તસવી૨ કલાકાર - શ્રી દામોદર રામજી કાલિદાસ તા. ૪ મે ૧૯૨૩માં તેમનો જન્મ. મૂળ વતન વંથલી.૩૩૬૩૩૭૩૩૬૩૩૭ બાળપણ વિત્યું પોર્ટુગીઝ આફ્રિકાના લોરેન્ઝે માઇવિસમાં. પિતાના અકાળ અવસાન પછી ત્રણેક વર્ષ મોસાળ (વરાડ)માં ગાળ્યા. રાજકોટમાં અભ્યાસ કરી મેટીક થયા. પછી મુંદ્રા (ડ)માં બનેવી પાસે ફોટોકલા શીખવા ગયા. કલાનો વ્યવસ્થિત અભ્યાસ માટે કલાગુરૂ રવિશંકર રાવલના ‘ગુજરાત કલાસંઘ’ ચિત્રશાળામાં જોડાયા. રવિભાઇએ તેમના રસ અને રુચિ ાણીને પોર્ટ્રેઇટ વિષયમાં પારંગતતા મળે તે રીતે પ્રોત્સાહન આપ્યું. જેના ફળસ્વરૂપે જલરંગો અને તૈલરંગોમાં હૂબહૂ આલેખન કરી શકવા જેટલી હોટી તેમણે કેળવી લીધી. રાજકોટમાં જયુબિલી બાગના કોનોટ હોલમાં અંગ્રેજી કલાકાર બુકસે ચિતરેલા રાજા મહારાજાઓ- કોરોનાં તૈલચિત્રો સંગ્રહિત મતા હવે આ ચિત્રો વોટસન મ્યુઝિયમમાં રખાયા છે.) દાર્થોદરભાઇએ વેકેશનમાં તે ચિત્રોની અનુકૃતિઓ કરી. બાવીસ વર્ષની વયમાં તો તેઓ સ્વતંત્ર તસવીરો દોરતા થઇ ગયા હતા. આપો સાહિત્ય વારસો' નામક ગ્રંથમાં શ્રી રવિભાઇની રાહબરીમાં ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાથી લઇને ન્હાનાલાલ સુધીનાસાહિત્યકારોની તસવીરો મુકાઇ છે, તેમાં દાોદરભાઇએ કરેલાં કેટલાંક બીચિત્રો પણ છે. એમ તો વ્યવસાયી કારકિર્દીમાં સ્વ. કનુ દેસાઇ સાથે ફિલ્મકલા નિર્દેશનનું કામ કર્યું છે. દામોદરભાઇ ૧૯૫૦ના આખરમાં મુંબઇ આવ્યા. અનેસ્વતંત્ર કલાકાર તરીકે વિવિધ વ્યાવસાયિક કામ સંભાળ્યું. ૧૯૫૯થી તો માત્ર છબીચિત્રણા જ તેમનો મુખ્ય વિષય બની રહ્યો. ત્રણ દાયકાથી વધુ વર્ષોથી તેઓ પોર્ટ્રેઇટ પેઇન્ટીંગ જ કરતા રહ્યા છે. ચિત્રકલાના બીજા વિષયો લેન્ડસ્કેપ, સંયોજન, સ્ટીલ લાઇફ કે Jain Education International ૩૮૦ અમૂર્ત ચિત્રણામાં કલાકારને જે અભિવ્યકિતની મોકળાશ મળે છે તે છબી ચિત્રણામાં મળતી નથી. ખાસ કરીને ધંધાદારી ચિત્રોમાં. અહીં તો માત્ર ચહેરો, વસ્ત્ર વિન્યાસ કે કેશ વિશ્વાસની કેટલીક મર્યાદાઓ ક્લાકારે સ્વીકારવી પડે છે. મર્યાદિત રંગોમાં જ વ્યક્તિના ચહેરાનું વ્યક્તિત્વ ઉપસાવવું, ભાવ તથા ઉંમર દર્શાવવી અને ક્યારેક તો માત્ર જિર્ણ શિ તસવીરો કે કેવળ વર્ણનના આધારે સર્જન કરવું તે પશ્ચિમની સાથે સુક્ષ્મ નિરીક્ષણ માગી લે છે. ચિત્રની પશ્ચાદભૂ પણ એવી પૂરક બનવી જાઇએ કે જેથી જે તે ચહેરા સાથે સંવાદિતા સાથે, દામોદરભાઇના કાર્યમાં આ કૌશલ્ય દ્રષ્ટિગોચર થાય છે. ૧૯૫૦માં રાજકોટ ખાતે 'સૌરાષ્ટ્ર કલા મંડળ'નુંપ્રદર્શન યોજાએલું. તેમાં દામોદરભાઇના તૈલચિત્રને પ્રથમ પારિતોષિક મળેલું. પછી તો ૧૯૫૧માં અને ૧૯૮૬માં મુંબઇમાં અને ૧૯૫૬ - પોરબંદર ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેમને ઇનામો મળેલાછે. પાલિતાણાના જૈન મ્યુઝિય માટે બે વર્ષની જહેમતે તેમણે તૈયાર કરેલી શ્રી વિજયનેમિસૂરીજી મહારાજશ્રીની લાઇફ સાઇઝ તસવીર મૂકાઇ છે. ગોંડલના શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં તેમ જ અનેક વ્યક્તિઓના અંગત સંગ્રહમાં તેમના તૈલચિત્રો સચવાયા છે. દાર્થોદરભાઇની પીંછીની સુવાસ ગુજરાત- મહારાષ્ટ્રથી લઇને છેક બિહાર-બંગાળ સુધી પ્રસરેલી છે. ચિત્રકળાની આજે વિકસેલી અનેક શૈલીઓ અને ચિત્રવિષયવસ્તુના અવનવા પ્રયોગોની વચ્ચે આ પ્રકારનું દસ્તાવેજી છતાં ક્લાસંસ્પર્શવાનું કાર્ય કરનારા બહુ જ કલાકારોમાં દામોદરભાઇનું સ્થાન સ્હેજે અગ્રહરોળમાં આવે કલાગુરૂ રવિશંકર રાવળનું દામોદરભાઇએ દોરેલું રેખાચિત્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy