SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ સૌંદર્યસાધક ચિત્રકાર શ્રી ચેતનકુમાર આર્ય ‘મારી કલા દ્વારા કોઈ પઝલ રમવાનો કે મારી અંગત હાર, નિરાશા કે ફ્રસ્ટ્રે શનની રંગ-રેખામાં અભિવ્યકિતનો વિરોધી છું. હું તો તે સોનેરી ક્ષણોને રજૂ કરું છું જે મને રણકતી ઘંટડીઓ, ઘૂઘવતા સાગર, હરિયાળા ખેતરો અને મુસ્કુરાતા ચહેરાઓમાં જોવા મળે છે. મારા માટે બ્યુટી એ જ બ્યુટી છે. કુરૂપતા એ બ્યુટી નથી.' આ તેજાબી શબ્દો વ્યકત કરે છે ચિત્રકાર શ્રી ચેતનકુમાર આર્યના એમનું મૂળ વતન તો કચ્છનું માંડવી. નાનપણમાં માતા-પિતાની છાયા ગુમાવનાર ચેતનકુમારને કલા વારસાગત સાંપડેલી. તેમની માતા મઝાની ઢીંગલીઓ બનાવતા, પિતાજી એકસિધ્ધહસ્તચિત્રકાર હતા. એ દિવસોમાં તેઓ મોરબીમાં રહેતા. મુંબઇ સ્થાયી થવામાં તેમને પાજોદ દરબારશ્રીનો સાથ-પ્રેરણાસાંપડેલા.ચેતન આર્યની જેમતેમના નાનાભાઇ કુમાર આર્યને પણ ચિત્રકલાનો ઊંડો શોખ. બન્ને ભાઈઓએ મુંબઇની જહાંગીર આર્ટ ગેલેરીના ઉપરના ભાગે ‘ટેરેસ આર્ટ ગેલેરી' નામથી સુડિયો સ્થાપેલો. ચેતન આર્યના ચિત્રો એટલે સૌંદર્યની પૂર્ણત્તમ અભિવ્યકિત. સંસારમાં જે કંઈ સુંદર છે, રંગબેરંગી છે, જયાં ચારે ય દિશાઓ ખુશી અને આનંદથી ઉભરાય છે, તેવી ભાવાનુભૂતિ તેમનાં ચિત્રો નિહાળતાં અનુભવાય. શરૂઆતમાં યથાર્થવાદી રીતિમાં તેઓ કામ કરતા. કુદરતની સર્વસુંદરમનમોહક વસ્તુઓનું ચિત્રણ તેમના આ ચિત્રોમાં જોવા મળે. પછીથી તેમાં રેખાનું પ્રાબલ્ય વધતું ગયું. અજંતાની શૈલીની જેમ આકારોમાં છાયા-પ્રકાશ તથા કાળી રેખાઓની સીમાબધ્ધતા ઉમેરાઈ. સાથે આધુનિક ટપકાંવાદી ચિત્રકારોનું ટેન્ચર પણ હોય. કલાજગતમાં તેમની ગણના ડેકોરેટીવ પેઇન્ટર' તરીકે કરવામાં આવે છે. તેના પ્રતિભાવમાં ચેતન આર્ય કહે છે : “જો લોકોને એકડેકોરેટીવ પેઈન્ટર તરીકે ઓળખાતા હોય તો તે મારા માટે એક સારી કોમ્પ્લીમેન્ટ હશે. કારણ કે આ વિશ્વની ૮૦ ટકા કલા ડેકોરેટીવ જ છે. ભારતીય પ્રતિમાઓ, પહાડી-રાજસ્થાની લઘુચિત્રો કેયામિની રોયના ચિત્રો જો અવગણવામાં આવતાં હોય તો મારી કલા ભલે નકારાય.' ભારત ઉપરાંત વિદેશોમાં ચેતન આર્યનાચિત્રપ્રશંસકો પથ પ્રદર્શક અને સંગ્રાહકો ઘણી સંખ્યામાં છે. ૧૯૫૭માં મુંબઇમાં તેમના ચિત્રોનો વનમેનશો શ્રીમતી લીલાવતી મુન્શીના હસ્તે ખુલો મુકાયો હતો. પં. નહેરૂજી, શ્રીમતી ઈંદિરા ગાંધી, ડૉ. ઝાકીરહુસેન જેવાં રાજપુરૂષોથી લઇને જે જે. ભાભા, શ્રીમતી સુમતિબેન મોરારજી, આર.કે. કરંજીયા, ક. મા. મુન્શીવ. જેવી વિવિધ ક્ષેત્રની વ્યકિતઓ તેમની કલાની ચાહકસંગ્રાહક રહી છે. મુંબઈ ઉપરાંત લંડન અને અમેરિકામાં તેમની કૃતિઓ પ્રદર્શિત થઇ છે. સામાન્ય પોસ્ટરથી શરૂ કરીને નાટકો-નૃત્યનાટિકાઓની વેશભૂષા, તથા સેટ ડીઝાઇન બનાવવા સુધીના વિવિધ અનુભવોમાંથી પસાર થયેલા ચેતન આર્યને કેદાર શર્માની ફિલ્મ ‘ચિત્રલેખા'ની કોમ્યુમ ડીઝાઇન’ માટે એવોર્ડ અર્પણ થયેલો. તે ઉપરાંત તેમને “કચ્છ શકિત' એવોર્ડથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્રને જરૂર પડી ત્યારે પોતાની પીંછીની સેવા તેઓએ દેશને અર્પણ કરેલી છે. ૧૯૬૨ના ચીન આક્રમણ વેળા જન-જાગૃતિ માટે પોસ્ટર્સનું સર્જન કરી મુંબઇમાં પ્રદર્શિત કરેલા. ૧૯૬૬માં પાક. સાથેના યુધ્ધ વખતે બન્ને ભાઈઓએ યુધ્ધમાં શહીદ જવાનોના પોર્ટેઇટસ તૈયાર કરી પ્રદર્શિત કરેલા, જે પછીથી ભારતીય સેનાને સમર્પિત કરાયાં હતા. આધુનિક કલા, કલાકારો અને સૌંદર્યબોધ અંગેનાં તેમના વિચારો સમજવા જેવાં છે: “મારું માનવું છે કે કલાકારના કાર્યથી દર્શકમાં સુખનો અનુભવ થવો જોઇએ. તેના માનસમાં સ્થિરતા અને શકૂનની લાગણી જન્મવી જોઇએ. જેઓ કેવળ પાશવતા (CRUELTY)માં સૌંદર્ય (BEAUTY) નિહાળે છે. તેઓ આ ખીલા, ખીલીઓ, સળીયા કે નાઈફના માધ્યમમાં કડવાશને પ્રસારે છે. કુરૂપતા અને ડિસ્ટોર્શનમાં તેઓ રૂપ (સૌંદર્ય) નિહાળે છે. આ આધુનિક ચિત્રકારો કુદરતથી લઇને ઇશ્વરની વ્યાખ્યા તો કરી લે છે પણ પોતાના ચિત્રોની વ્યાખ્યા જાતે કરી શકતા નથી. તો કલાપ્રેમીઓને શો દોષ દેવો ? બજાર તૈલરંગી સંયોજન) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy