SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ‘ટોપ વ્યૂ' ચિત્ર સર્જક અને કલા વ્યાખ્યાતા સ્વ. પ્રા. શ્રી જયંત સિધ્ધપુરા ‘ઊંચા ઝરૂખેથી નીચે નજર નાખતા જીવનની રોજિંદી હલચલ જે વિશિષ્ટ આકૃતિ રૂપે દેખાય છે એ વિશિષ્ટતાને તેમણે પોતાના ચિત્રોમાં ઉતારી છે. જાણીતી સૃષ્ટિના લગભગ અજાણ રહેતા સૌંદર્યને રજૂ કરતા આ ટોપ વ્યૂ ચિત્રો ગમે તે બાજુથી જોતાં તે સરખાં જ રસપ્રદ લાગે તેવું તેમાં આકર્ષણ છે.' ‘કુમારે' આ શબ્દોમાં જેની ચિત્ર શૈલી વિષે નોંધ કરી છે તે ક્લાકાર હતા મુંબઇના - શ્રી જયંત મોહનલાલ સિધ્ધપુરા તેમનું મૂળવતન શિહોર (જિ. ભાવનગર) પણ વ્યવસાયના કારણે મુંબઇ સ્થાયી થયેલ. પરિવારમાં તા. ૨૯ ડિસેમ્બર-૧૯૩૫માં તેમનો જન્મ. મેટ્રીક થયા ત્યાં પરનીઆર્થિક જવાબદારી તેમના શિરે આવી પડી. તેથી મુંબઇની શેઠ ગોકુલદાસ તેજપાલ હાઇસ્કૂલમાં ખંડસમયના ચિત્રશિક્ષકતરીકે જોડાયા. ૧૯૫૯માં ડી.ટી.સી. પાસ કરી પૂર્ણસમયના શિક્ષક બન્યા. ૧૯૬૧માં સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી પેઇન્ટીંગ ડિપ્લોમા અને આર્ટ માસ્ટર પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી. ચિત્રશિક્ષક તરીકે જયંતભાઇની કારકિર્દી જજવળહીછે.દેશ-પરદેશની ચિત્રસ્પર્ધાઓમાં તેમના વિદ્યાર્થીઓએ બે સુવર્ણ ચંદ્રકો, પાંચ રજત ચંદ્રકો અને સાત જેટલાં કાંસ્ય ચંદ્રકો મળી લગભગ ૮૪ ઉપરાંત પુરસ્કાર- પ્રમાણપત્રો મેળવી તેમના કલાશિક્ષણને દિપાવ્યું છે. જયંતભાઇએ કલાશિક્ષણની સાથે ઓડિયો-વિઝ્યુઅલ તાલિમ (૧૯૬૪), પપેટ્રી અને ગ્રાફીક કળાની જાણકારી પણ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત ઇન્ટીરીયર ડીઝાઇનીંગમાં પણ પારંગત થયેલા. જયંતભાઇના ટોપ વ્યૂ ચિત્રોએ તેમને કલાવિશ્વમાં અનોખા ક્લાકાર સાબિત કર્યા. ૧૯૬૫માં ડાંગીર આર્ટ ગેલેરીમાં તેમના ચિત્રો | પ્રથમ પ્રદર્શિત થયા હતા. જયંત સિધ્ધપુરાએ તૈલરંગો, જલરંગો, કોલાજ, પાન, એક્રેલીક સીટસ જેવાં વિવિધ મધ્યમોમાં પ્રતીકાત્મક રૂપે ચિત્રોની રજૂઆત કરી છે. ધર્મયુગ, વીકલી, પરાગ, સમર્પલ, કુમાર, ભવન્સ જર્નલ વ. જેવાં ફૂદરડી (ટોપ વ્યુ સંયોજન) Jain Education International ૩૮૧ સામયિકોમાં તેમના ચિત્રો પ્રકટ થયા છે. ૧૯૬૬માં મુંબઇનાં ઓડિયોવિઝયુઅલ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે, ૧૯૭૧થી મુંબઇની એસ. એન. ડી. ટી. મહિલા વિદ્યાપીઠમાં એજ્યુ. ટેકનોલોજી વિભાગમાં ગ્રાફીક કળાના વ્યાખ્યાતાની જવાબદારી નિવૃત્તિ સુધી સંભાળી. જયંતભાઇએ ઇન્ડિયન માયથોલોજીચિત્રમાળાનું સર્જન ભારતીય પરંપરા પ્રમાણે કર્યું છે. ઉત્તરરામચરિત્ર, નળ-દમયંતિ, કુમારસંભવમ્, વિક્રમોર્વશીય, શાકુંતલમ્ વ. પૌરાણિક કથાઓના પ્રસંગોને તેમણે સુંદર સંયોજન અને ભારતીય પરિપાટીમાં ઉતાર્યાછે. એક જ વિષય ‘ગણપતિ’ પર આખી ચિત્રશૈલી સર્જી છે. જેના મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં બે પ્રદર્શનો (૧૯૮૧, ૮૪) યોજાયા હતા. મુંબઇની જાણીતી પ્રકાશનપેઢીઓ વકીલ અને હાક જયંતભાઇના ચિત્રોસિટીઝ કાર્ડ તથા કેલેન્ડર્સ રૂપે પ્રકાશિત કર્યા છે. પાંચ જેટલા વનમેન શો કરી ચૂકેલા કલાકારને ગ્રાફીક આ કૃતિ માટે બોમ્બે આર્ટ સોસાયટીનું પ્રથમ ઇનામ (૧૯૬૮), ગણેશ પ્રદ ન મા રૌપ્પનક તેમજ ઑલ ઇન્ડિયા ડેન્ટલ એસો. વાલ્મિકી આશ્રમમાં સીતા અને લવ - કુશ યોજીત પોસ્ટર પ્રદર્શનમાં પ્રથમ ઇનામ મળેલ છે. જયંતભાઇના ચિત્રો નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, એર ઇન્ડિયા સહિત દેશ-વિદેશમાં સંગ્રહાયા છે. તેઓ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. ૧૯૬૮થી તેમણે લખેલા કલા પરિચર્ચા, ‘કુમાર'માં પ્રકટ થતા રહ્યાં છે, તેમને વિવિધ સન્માનો મળ્યા છે. તેમાં તેમના શિષ્યો એવાં શ્રી ઘનશ્યામદાસ બીરલા અને આદિત્ય બીરલાએ કરેલું સન્માન, શિહોર મિત્ર મંડળ દ્વારા સન્માન (૧૯૮૭), અભિવાદન ટ્રસ્ટ- મુંબઇ દ્વારા સન્માન (૧૯૮૮) વ. મુખ્ય છે. તા. ૨૪ ડિસેમ્બર - ૧૯૯૪માં હૃદયરોગના હુમલાથી ૫૯ વર્ષની વયે તેમનું અવસાન થયું. શ્રી જયંતભાઈએ આસપાસના જગતને ‘ટોપ વ્યૂ’થી જોયું તો હવે તેઓ આ વિશ્વને જે એંગલથી નિહાળતા હશે તેનું ચિત્ર કેવું હશે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy