SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મહાવીર સ્વામી અને પુષ્ટિમાર્ગ ચિત્રશ્રેણીના સમર્થ ચિત્રકાર સ્વ. શ્રી ગોકુલદાસ કાપડીયા ‘કલાકારે કુશળતાથી જુદાં જુદાં સ્થળની રાજસભાઓ, અનેક તરેહનાં થવાળા માનવ સમુદાય, અંતઃપુરો અને વિવિધ પ્રકારના ગૃહ સરંજામો દ્વારા પ્રાચીન સમાજની પૂરી કલ્પના આ ચિત્રોમાં રજૂ કરી છે. તેમજ રંગવૈભવ, વસ્ત્રો અને અધિકાર પ્રમાણે વ્યક્તિઓનાંભાવાનિોમાં ખૂબ ચિવટ રાખી છે. માર્ચીન અજંતા ચિત્રોનું સ્મરણ કરાવવા આ પૂરતું છે.’ ‘તિર્થંકર ભગવાન શ્રી મહાવીર' ચિત્રસંપૂટ વિષે કલાગુરૂ રવિશંકર રાવલે ‘કુમાર'માં ઉપરોકત શબ્દોમાં સદર્શન કરાવી જેને બિરદાવેલ હતાં તે કલાકાર છે મુંબઇનાં - શ્રી ગોકુલદાસ કાપડીયા તા. ૪ ફેબ્રુઆરી - ૧૯૬૫માં અગતરાય (જિ. જૂનાગઢ)માં તેમનો જન્મ, તેમના પિતાશ્રી લમંડળી અને હિંડોળા ભરવાની કળામાં કુશળ. તેમની સાથે હવેલીમાં જતાં નાના ગોકુલને કલાની પ્રેરણા મળી. મુંબઇમાં બોરીબંદરની ભાટિયા શાળામાં પાંચ અંગ્રેજા ધોરણ સુધી ભણેલા ગોકુલદાસ પોતાના સંબંધીના સાબુના કારખાનામાં રોજના રૂા. ૨ લેખે છુટક મજૂરી કરતા અને પ્રિન્સેસ સ્ટ્રીટમાં દેવકરણ મેન્શનમાં ચાલતા કલાકાર દંડવતેના 'નૂતન કલામંદિર’માં ચિત્રનું શિક્ષણ લેતા. ૧૯૨૮-૩૦નો એ સમય. એવામાં સંોગવશાત્ ગોકુલદાસનો સંપર્ક ભાટીયા શેઠ કરશનદાસ વીસનજી સાથે થયો. તેમણે ગોલની શિક્ષા ફીનો ભાર લીધો અને એ રીતે પછી ગોકુલ કાપડીયા મુંબઇની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં દાખલ થયા. જયાં જગન્નાથ અહિવાસીજીજેવાં ભારતીય ચિત્ર પરંપરામાં સિધ્ધહસ્ત કલાકારગુરૂના સાનિધ્યમાં પાંચ વર્ષ અભ્યાસ કરી ૧૯૩૭માં પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ પદવી પ્રાપ્ત કરી. વધુ બે વર્ષ મ્યુરલ ડેકોરેશન અભ્યાસ કરી અનુસ્નાતક થયા. એ દરમિયાન તેમના ચિત્રને 'ડોલી ખરશેદજા સુવર્ણચંદ્રક મળેલો, તેમજ આર્ટ સોસાયટી ઓફ બોમ્બેના ત્રિશલાદેવીના ચૌદ સ્વપ્ન (તિર્થંકર ભગવાન શ્રી મહાવીર ગ્રંથના લેખક-પ્રકાશકના સૌજન્યથી.) Jain Education International પથ પ્રદર્શક પ્રદર્શનમાં જલરંગી ચિત્ર માટે રજતચંદ્રક મળેલો. એસાથે જ તેમણે સ્વતંત્ર કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. મ્યુરલના અનુભવે મુંબઇના મેટ્રો સિનેમામાં મ્યુરલ સુશોભન કર્યું. પ્રાણસુખ મફતલાલ સ્નાનાગારમાં ૧૭ ફૂટ લાંબુ ‘સ્નાન સુંદરીઓનું સ્વર્ગીય દ્રશ્ય' ભીંતચિત્ર કર્યું. ૧૯૩૯-૪૦માં બિહાર કોંગ્રેસ અધિવેશન વખતે બિહારના નામાંકિત નેતાઓના વિચિત્રો કર્યા. અજંતા ચિત્રશૈલીના ઊંડા અભ્યાસે ગોકુલદાસે આ પ્રસંગે તૈયાર કરેલ ‘શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ગૃહત્યાગ'નું ચિત્ર નિહાળીને પ્રદર્શન આયોજક - ઇતિહાસ સંશોધક વિદ્વાને તેમને આ સંદર્ભમાં ીજા છ વિષયો આપ્યાં. ભગવાન શ્રી મહાવીરનાસમય વનપર ચિત્રશ્રેણીસર્જવાનોએ વખતે ગોકુલદાસને વિચાર આવ્યો. અને એમ ‘ભગવાન શ્રી મહાવીર'ના ૪૮ ચિત્રો તૈયાર થયાં. ચિત્રસંપૂટ રૂપે તે પ્રકટ થયાં. શ્રી મહાવીર સ્વામીની ૨૦મી નિાિનિધિની ઉજવણી પ્રસંગે મુંબઇમાં બીરલા માતુશ્રી સભાગૃહમાં તે લાવવામાં આવ્યાં. ચિત્રોની સાથે મુનિવર્યશ્રી યશોવિજયસૂરિ મહારાજ તેમના શિષ્યગણ સાથે છેક ગોડીજીના જૈનમંદિરથી શોભાયાત્રા સાથે સભાગૃહ સુધી ચાલતા આવ્યા. તા. ૧૬ જૂન ૧૯૭૪ની આ થાત. ભૂતકાળમાં કોઇ કલાકારની ક્લાનું સન્માન નહોતું થયું એટલું ગોકુલદાસ કાપડીયા સર્જિત આ ચિત્રસંપૂટનું સન્માન થયું. ૧૯૯૬માં આ સંપૂટ ‘તિર્થંકર ભગવાનશ્રી મહાવીર' ત્રણ ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ૪૮ ચિત્રો સાથે ગ્રંથસ્વરૂપે પકટ થયો. જેમાં લેખક આચાર્યશ્રી યશોદેવસૂરિ છે. એ પછી તો ગોકુલદાસે બાવીસમા તિર્થંકર નેમ-રાજુલની પ્રસિધ્ધ થયેલી રેકોર્ડનું આવરણચિત્ર તૈયાર કરી આપેલું. ઉપરાંત આદિકવિનરસિંહ મહેતાના જીવનપ્રસંગોની દર્શનીય ચિત્રાવલી પણ તૈયાર કરી. પિતાના સંસ્કારને કારણે હવેલી For Private & Personal Use Only સંગીત અને ચોર્યાસી વૈષ્ણવોની કથામાં રસ હોઇ વૈષ્ણવ ધર્મપુષ્ટિમાર્ગના ૫૬ ચિત્રો પૂરાં કર્યા. ૧૯૮૬માં મુંબઇના ‘અભિવાદન’ ટ્રસ્ટેતેમનુંસન્માન કરેલું. 'ચિત્રકાર પુરૂષોત્તમ વિશ્રામ માવજી'ની શતાબ્દી નિમિત્તે તેમના સૂચનથી હાલાઇ ભાટિયા મહાજને ગૌકુલદાસ કાપડીયાને સુવર્ણચંદ્રક અર્પણ કરી સન્માનિત કર્યા. ૧૯૯૯માં મુંબઇ ખાતે તેમનું દેહાવસાન થયું. * સંદર્ભ – સૌજન્ય : કલાપાથેય – લે. કનુ નાયક. www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy