SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પરંપરાગત કલાની સાથે આધુનિક અભિગમ ધરાવતા કલાકાર પદ્મશ્રી ગૌતમ વાઘેલા સંધર્ષમય જીવનથી શરૂઆત કરીને ઉચ્ચ કલાના એક પછી એક શિખરો સર કરતા જઇ પોતાના આજીવન પ્રદાન બદલ ભારત સરકારના ‘પદ્મશ્રી’ સન્માનથી વિભૂષિત એ કલાકાર એટલે શ્રી ગૌતમ વાઘેલા ઈ. ૧૯૩૬માં સાણંદ (જિ. અમદાવાદમાં એકરિજન પરિવારમાં તેમનો જન્મ. ચિત્રનો ઘણો શોખ. પણ પિતાજીની બીક, એટલે એક મિત્રના ઘરમાં છાનામાના ચિત્ર કરે. વધુ ભણવા પાટણ ગયા ત્યાં ‘કિલ્લોલ છાત્રાલયે' તેમનામાં નવા સંસ્કાર સિંચ્યા. લગ્નપ્રસંગોએ પોતાના ગામની ઘોળેલી ભીંતો પર ચિત્રો કરતા ગૌતમ પાટણ-હરિજનવાસની બાલવાડીઓમાં અવારનવાર ભીતચિત્રો કરી આપતા. તે પછી દિલ્હીની ‘હરિજન ઉદ્યોગશાળા'માં ભણવા જવાનું થયું. જયાં તેઓ સુધારીકામની સાથે લાકડાનાં રમકડ્યું - મૂર્તિઓ બનાવવાનું શીખ્યા. સાથોસાથ આસપાસના ગામોમાં જઇ સ્કેચીંગ પણ કરી લાવે. આ ઉદ્યોગશાળામાં ચિત્રકાર શ્રી કુમારિલ સ્વામી તેમના માર્ગદર્શક ગુરૂ બન્યા. ઉદ્યોગશાળાના સંચાલકોનો આ પ્રવૃત્તિ સામે વિરોધ એટલે રાત્રે બે-ત્રણ વાગ્યે ઊઠીને ચિત્રો કરતા. અહીનો ત્રણ વર્ષનો અભ્યાસ પૂરો થતાં તેમને તો શાંતિનિકેતન જવું હતું, પણ ઘરનાએ એટલે દૂર જવાની ના પાડતા ગૌતમભાઇ પાલનપુરમાં એક શાળામાં ચિત્રશિક્ષકની નોકરી કરતાં કરતાં મેટ્રીક થયાં. અમદાવાદમાં શ્રી રસિકલાલ પરીખ પાસે એકવર્ષ ચિત્રકળા શીખ્યા. ત્યાંથી મુંબઇ ગયા અને ડી. ટી. સી. થઇને સવારની શાળામાં નોકરી કરવાની સાથે સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં ઉચ્ચ કક્ષાનો અભ્યાસ ચાલુ રાખી પોતે ૧૯૬૦માં પેઇન્ટીંગમાં. ડી. આર્ટની પદવી પ્રાપ્ત Jain Education International 4 કરી. આ દિવસોમાં તેમનો સંપર્ક કલાકાર શ્રી પ્રદ્યુમ્ન તન્ના સાથે થયો. વનલિ (રાજસ્થાન)માં ભીંતચિત્રોનાં વર્ગો ભર્યા. ખૂબ સ્કેચીંગ કર્યું. એ દિવસો- ૧૯૫૯માં પૂના ખાતે યોજાએલ પ્રદર્શનમાં તેમના ચિત્રને વિદ્યાર્થી વિભાગનું રૂા. ૨૦ નું બીજું ઇનામ મળ્યું. ૧૯૬૦માં રાજસ્થાનમાં યોજાએલા પ્રદર્શનમાં પણ ઇનામ મળ્યું. એવામાં ગૌતમ વાધેલા ભારત સરકારના હેન્ડલુમ વિભાગના વિવર્સ સર્વિસ સેન્ટર - મુંબઇમાં કલાકાર – ડિઝાઇનર તરીકે જોડાયા. લાંબી કારકિર્દી અને આ ક્ષેત્રે અનેક સંશોધનના અંતે છેવટ એ જ વિભાગમાં પોતે નિયામક (કો-ઓર્ડીનેશન) પદે પહોંચેલા અને નિવૃત્ત થયા. ગૌતમ વાધેલાની કલાકાર તરીકેની કારકિર્દી પણ જવલંત રહી છે. તેમણે મુંબઇ (૧૯૬૭, ૭૪, ૮૬), મદ્રાસ (૧૯૬૬), નવી દિલ્હી (૧૯૬૭), બર્લિન-જર્મની (૧૯૬૮), કુવૈત (૧૯૮૮)માં ગ્રુપ શો રૂપે ચિત્રો પ્રદર્શિત કરેલા. તેમનાં ચિત્રોનાં નિજી પ્રદર્શનો મુંબઇ (૧૯૬૮, ૩૪, ૮૬), ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો જેવાં કે પેરીસ બિનાલે (૧૯૬૬), કોમનવેલ્થ આર્ટ ફેસ્ટીવલ - લંડન (૧૯૬૬), નવમું સાયો પાવા ભિનાલે – બ્રાઝીલ (૧૯૬૮), મેન એન્ડ હીઝ આર્ટ - મોન્ટ્રીયલ – કેનેડા (૧૯૭૧), ત્રિનાલે - દિલ્હી (૧૯૭૧)વ.માં ચિત્રો પ્રદર્શિત કર્યા છે. આ કલાકારને અનેક પુરસ્કારો મળેલા છે, તેમાં મહારાષ્ટ્ર રા. કલા પ્રદર્શન - મુંબઇ (૧૯૫૯, ૬૦), મધ્યપ્રદેશ -ગ્વાલિયર (૧૯૬૧-૬૫), રાષ્ટ્રીય લલિત કલા અકાદમી - નવી દિલ્હી (૧૯૬૧, ૬૩), ક્લકના ફાઇન આર્ટ એન્ડ ક્રાફટ સોસાયટી (૧૯૬૫) તથા બોમ્બે આર્ટ સોસાયટી (૧૯૬૫, ૭૧) સહિત અન્ય પુરસ્કારોનો સમાવેશ થાય છે. આ સર્વમાં શ્રેષ્ઠ સન્માન તે હેન્ડલુમ ડીઝાઇનીંગ ક્ષેત્રે તેમણે આપેલા શ્રેષ્ઠ અને સુદીર્ઘ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને ૧૯૮૨માં ‘પદ્મશ્રી”ના ખિતાબથી સન્માનિત કરાયા, તે કહી શકાય. ડૉ. સરયૂ દોશીથી લઇને દેશના અગ્રણી અંગ્રેજ અખબારોએ ગૌતમ વાઘેલાની સિધ્ધિની મુકતકંઠે પ્રશંસા કરી છે. સંદર્ભ – સૌજન્યઃ કુમાર (જુલાઇ - ૧૯૩૧) સીટી વિથઇન - ૧૨ ૩૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy