SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૩૬૫ ‘રમકડું' માં પ્રગટ થતી બાળવાર્તાઓ, ખાસ કરીને પ્રાણી કથાઓ, સ્વ. શ્રી વિજયગુપ્ત મૌર્યની “કપિના પરાક્રમો', ‘હાથીનાં ટોળામાં અને શેરખાન', આ ત્રણ પ્રાણીકથાઓમાં રવિશંકર પંડિતે દોરેલાં વિવિધ પ્રાણીઓનાં ચિત્રોએ એવું તો આકર્ષણ જમાવેલું કે બાળકો સહિત મોટેરાંઓ સુધ્ધાં નવાં ‘રમકડું' ની દરમહિને રાહ જોતા. સ્વ. શ્રી જીવરામ જોષીનાં અમર પાત્રો છકો-મકો અને મિયાં ફૂસકી-તભાભટ્ટને સર્વપ્રથમ કંડારનાર પંડિત જ હતાં. “રમકડું'માં દરમહિને પ્રગટ થતી. ‘મિયાં ફૂસકી'ની રંગીન ચિત્રવાર્તા તથા પોતે સર્જેલી “હંબો હંબો હાથીડો' ની રંગીન ચિત્રવાર્તા, પંચતંત્ર, કહેવત કથાઓ વ. આજે પણ વાંચકને વાંચવી ગમે. રવિશંકર પંડિતે કહેલું: “મારી કલાપ્રવૃત્તિમાં મેં મોટા તૈલચિત્રો, પોર્ટેઇટ કે લેન્ડસ્કેપ ચિત્રો નથી કર્યા. નાના જલરંગી દ્રશ્યચિત્રો તથા સામયિકો તેમજ પુસ્તકો માટેના પ્રસંગચિત્રો પૂરતી મારી કારકિર્દી મર્યાદિત રહી.” સ્વ. દેશળજી પરમારના બાળકાવ્યપુસ્તક ‘ગલગોટાં', શ્રી રામ શર્માની ‘પ્રાણોંકા સૌદા'ની શિકાર કથાઓ, તા. પો. અડાલજાની ઐતિહાસિક વાર્તાઓના સંગ્રહ ‘વીરની વાતો (૪ - ભાગ), વિરાંગનાની વાતો (૨ ભાગ), ધૂમકેતુના ‘તણખામંડળ’ તેમજ ઝવેરચંદ મેઘાણીના ‘રસધાર’ અને ‘બહારવટિયા'નાં પ્રસંગચિત્રોએ તેમને ખૂબ પ્રસિધ્ધિ અપાવી હતી. પંડિતની ચિત્રણાશકિત વિષે અશ્વની તાકાત જેવું જ સબળ આલેખન (વીરની વાતોમાંથી) ‘કુમાર'માં નોંધ પ્રકટ થઇ છે તેમ : ‘રવિશંકર પંડિતની ખરી શકિત અને પ્રતિષ્ઠાતો પ્રાણી ચિત્રણામાં છે. કોઇપણ પ્રાણી - જંગલી હોય કે પાળેલું - તેની લાક્ષણિકતા, ગતિશીલતા, અંગભંગી ને મુખભાવ તેની વિશિષ્ટ ખાસીયત પ્રમાણે ઉતારવામાં તેમની બરોબરી કરી શકે એવો ચિત્રકાર ભાગ્યે જ હશે.' તેમની કલાની અંતે કદર થઇ. ૧૯૫૮માં શ્રી રમણલાલ સોનીના બે પુસ્તકો ‘ગાંધીજીના ઉખાણાં' અને “ક' ની કથાને મુંબઇ સરકાર તરફથી બાળસાહિત્ય વિભાગના ઇનામો અપાયાં તેમાં લેખકની સાથે ચિત્રકાર રવિશંકર પંડિતને પણ અર્ધા ભાગનું ઈનામ રૂા. ૫૦૦/અર્પણ કરવામાં આવેલ. ઐતિહાસિક વાર્તાઓના પાત્રોના પહેરવેષ, હથિયારોતથા અશ્વો, ઊંટ કે હાથી જેવાં પ્રાણીઓની વિવિધ મુવમેન્ટ તેઓ એટલી સુપેરે રજૂ કરતા કે વાર્તાચિત્રો એક અર્થમાં કલાકૃતિ બની રહેતા. તેમણે મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર’ તેમ જ “સોરઠી બહારવટિયા'ની લોકકથાઓનાં જે ચિત્રો કર્યા છે તે તળપદી કાઠિઆવાડી સંસ્કૃતિનાં દર્શન કરાવે છે. આવા આ પ્રતિભાવંત, ખાસતો પ્રાણીચિત્રણામાં એક અને અદ્વિતીય સ્વયંસિધ્ધ ચિત્રકારનું મુંબઇ ખાતે તા. ૧૬ માર્ચ, ૧૯૮૭માં અવસાન થયું. શ્રી પંડિતની ચિત્રસૃષ્ટિ સામયિકો અને પુસ્તકોની દુનિયામાં જ સિમીત રહી. આ ચિત્રો કોઇ આર્ટ ગેલેરી કે સંગ્રહાલયોમાં ભલે સ્થાન ન પામ્યા. પરંતુ આવાં સુંદર, સાચાં અને ભાવવાહી રેખાંકનો વડે બાળસાહિત્ય દ્વારા બાળ-કિશોરોને નિર્દોષ આનંદની સાથે પ્રકૃત્તિનો, પ્રાણીઓનો જે વાસ્તવિક પરિચય તેમની તાકાતવાન પીંછીએ કરાવ્યો તેના કારણે જ બાળ હૃદય વિથીમાં તેમનું નામ સદાય કોતરાયેલું રહેશે. અમર રહેશે. હૃદયથી વિશેષ મોટી ગેલેરી બીજી કઈ હશે ? અને એક ચિત્રકાર માટે આથી વિશેષ એવોર્ડ બીજો કયો હોઈ શકે? સ્વ. શ્રી રવિશંકર પંડિત પ્રાણીચિત્રણાનાં સાચા પંડિત' હતા. * સંદર્ભ સૌજન્ય: કુમાર - માર્ચ-એપ્રિલ-૧૯૮૭ - સરસ્વતી – ફેબ્રુ. ૧૯૫૩ * * % Jા એક ઐતિહાસિક વાર્તાનું પ્રસંગચિત્ર (વીરની વાતોમાંથી સાભાર) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy