SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પ્રવેશ નિમિત્તે ગુજરાત રાજય લલિત કલા અકાદમીના ઉપક્રમે જાન્યુ. ૧૯૯૬માં અમદાવાદમાં પ્રદર્શન યોજાયું હતું. તેમના ચિત્રો ભારતની અગ્રગણ્ય લલિત કલા અકાદમીઓ, ખાનગી સંગ્રહો, સંસ્થાઓ તથા વિદેશોમાં સંગાયા છે. અમરેલીમાં શ્રી ગિરધરલાલ સંગ્રહાલયનો નિયામક શ્રી હીરાભાઇ શાહનાં પ્રયત્ન અને સહકારથી આ સંગ્રહાલયના એક ખંડમાં તુફાનભાઇનાં ચિત્ર કાયમી ધોરણે સંગ્રહાયા છે. જેને ‘તુફાન રાઈ કલા વિધિકા' નામ સંયોજી પોતાના નગરના આ ગૌરવરૂપ કલાકારની ચિરંજીવ કદર કરાઇ છે. આજે તો આઠ દાયકા વટાવી ચૂકેલા અને ફકીરમાંથી કલાક્ષેત્રના બાદશાહ બનેલાં તુફાન રફાઇ માત્ર અમરેલી કે સૌરાષ્ટ્ર જ નહિ, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. અલૌકિકવાદી ચિત્રકાર શ્રી મુસા કચ્છી ‘અતિ વાસ્તવવાદ (સર રિયાલીઝમ)ના વમળોમાં પલોટાઇને જીવન-મૃત્યુની ફિલોસોફી રજૂ કરતા તેમના ચિત્રો વિચારોની ગહનતાએ પહોંચેલા છે, કે કલાસમીક્ષક અને મુંબઇની આંતર ભારતી ક્યા અકાદમીનાનિયા ક શ્રી કનુનાયકે આ શબ્દોમાં જેની ઓળખ આપી છે તે ક્લાકાર છે વડોદરાના - મુસાભાઇ ગીગાભાઇ કયી તા. ૧૩સપ્ટે. ૧૯૪૩માંસુમરા તરઘરી (જિ. જામનગર) માં એક સુમરા પરિવારમાં તેમનો જન્મ. ૧૯૬૦માં મેટ્રીક થયા. વડોદરાની ફાઇન આર્ટ ફેકલ્ટીમાં સાત વર્ષ અભ્યાસ કરી વિએટીવ પેઇન્ટીંગમાં પ્રથમ વર્ગ સાથે પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. મુસા કચ્છીની ચિત્ર અભિવ્યક્તિ અતિ-વાસ્તવિકત્તાતરફ ઢળેલી છે. ‘જીવ માત્રને મૃત્યુ છે તેનો અનુભવ તેણે ક૨વો જ રહ્યો. આ પંકિતને પોતાના ચિત્રોના મધ્યવર્તી વિષય તરીકે સ્વીકારીને તેમણે ‘મૃત્યુ' વિષયક ચિત્રમાળા સર્જી છે. મોત અને મૃતદેહની સૌંદર્યાત્મક રજૂઆત કરવામાં મુસા કચ્છીને જે આનંદ મળે છે તેને તેઓ માસુમ ચહેરા પરની મોદક મુસ્કાન સાથે સરખાવે છે. 15 દવાખાના, શબપર, અંતધડીની પ્રતીક્ષા કરતાં બિમારો અને તેમના દુ:ખી આપ્તજનોના વિષાદી ચહેરા- આ સર્વના નિરીક્ષકને તેઓ કલ્પનાના રસાયળથી રંગે છે. સંયોજે છે અને પછી તેને પેન્સીલ ડ્રોઈંગ, જલરંગો, તૈલરંગોમાં કે કયારેક માત્ર શ્ર્વેત-શ્યામ રંગોમાં કાગળ કે કેનવાસ પર ઉતારે છે. પ્રતીકો તેમના ચિત્રોનો પ્રાણ છે. કબરના પ્રતીકરૂપ પીરામીડ, મૃત્યુના ગૂઢ ઊંડાણ વ્યકત કરતી ગંદી Jain Education International ૩૫૭ નાલીઓ, મોતના દૂત જેવા ગોરંભાતા વાદળ, આત્માના પ્રયાણને વ્યક્ત કરતી દૂધસરી, મોતનો ભયંકર પંજો ફેલાવતા સૂક્કાં વૃક્ષો કે પાંખાળા હાથ, જીવ સાથે આકાશગમન કરતા દેવદૂતો, ખંડમાંથી બ્રહ્માંડની ખોજમાં નીકળી પડતા આત્મા વ. જેવા સુષુપ્ત મનના ગુડબાય (સરરીયાલીસ્ટીક કીશન) તરંગોને તાદ્વપ કરવામાં અલૌકિકવાદની સાથે આ બધાં પ્રતીકો તેમની મદદે આવે છે. ‘મૃત્યુ’ સિવાય મુસા કચ્છીએ જીવનના ચાર પુરૂષાર્થમાંના એક 'કામ' ને પણ ‘સેકસ વીથ ફિલોસોફી' એ ચિત્રશ્રેણીમાં રજૂ કરેલ છે. એ સિવાય સમાજમાં ઘટતી સાંપ્રત ઘટનાઓ - પછી તે સુખદ હોય કે દુઃખદ તેને પણ પોતાના સર્જનમાં વિષય તરીકે રજૂ કરે છે. જેમ કે વડોદરામાં વારંવાર ભડકી. ઉઠતી કીમી જવાળાઓ, લઠ્ઠાકાંડ વ.ને તેમની પીંછીએ કેનવાસ પર પ્રતીકાત્મક રૂપે ઊતારેલ છે. મુસા કચ્છીના ચિત્રો રાષ્ટ્રીય પ્રદર્શનોમાં સ્થાન પામ્યા છે. મુંબઇ, વડોદરા અને અમદાવાદમાં નિજી પ્રદર્શનો થયાં છે. અમેરિકા- સાન ફ્રાન્સીસ્કોની હુરિયન ફાઇન આર્ટ ગેલેરી ઉપરાંત યુસી હોટેલ-બર્કલી (યુ.એસ.એ.) માં ૧૯૯૩માં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજાયાં છે. મુસા કચ્છીના ચિત્ર સંમાર્કોમાં સ્વ. શ્રીમતી ઈંદિરા ગાંધી, સ્વ. રાજીવ ગાંધી, તીનમૂર્તિ ભવન મ્યુઝિયમ, નવી દિલ્હી થી લઈને અમેરિકા અને ઈગ્લેન્ડની દેશ-વિદેશના અનેક સંસ્થા-ખાનગીસંગ્રહોમાં જળવાયાં છે. વડોદરાની એમ. ઇ. એમ. હાઇસ્કૂલમાં કલાશિક્ષક તરીકે તેમણે સેવા આપેલી છે. * સંદર્ભ સૌજન્ય : કલા પાથેય અને ગુજરાત. લે. કનુ નાયક. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy