SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ પ્રાકૃતિક રંગોમાં પાંગરેલા કલાપુષ્પનો પરાગ શ્રી તુફાન રફાઇ તા. ૨૬ જાન્યુઆરી, ૧૯૨૧માં અમરેલીનાએકકીરપરિવારમાં જન્મેલા શ્રી તુફાન રફાઇને એવાં સંજોગો સાંપડયા કે બાર વર્ષની કૂમળી વર્ષથી જ સ્વમાન, આત્મ-નિર્ભરતા અને સ્વાવલંબનની સીડીએ પહોંચી ગયા. મુંબઇમાં લાકડાની લાતીમાં કામ કરતી વેળા લાકડા વહેરતા ડાબા હાયની એક આંગળી અને અંગૂઠો ગુમાવી બેસનાર તુફાનભાઇએ દવાખાનામાં બિછાને રા-ર, નેતા- અભિનેતાઓના કરેલા પેન્સીલ સ્કેમ્પીઝ નિહાળીને અમરેલીના આધ્યાત્મિક ગુરૂ- કેળવણી કારચિત્રકાર શ્રી નવલકોન ોષીએ તેમને સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટનો માર્ગ દેખાડો. સ્વ. શ્રી જગન્નાથ અહિવાસી જેવા ભારતીય કલાના પુરસ્કર્તા ક્લાકારના માર્ગદર્શનમાં પવર્ષ ખંતપૂર્વક અભ્યાસ કરી તેમણે પેઇન્ટીંગમાં જી . આર્ટની પદવી મેળવી. ભારત સરકારની શિષ્યવૃત્તિ મળતા ખડકવાસલા સંરક્ષણ એમીમાં છે. વર્ષ અભ્યાસ કરી મ્યુરલ ડેકોરેશનમાં અનુસ્નાતક બન્યા. ૧૯૫૭માં બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં તેમના ચિત્ર 'પતંગ'ને પ્રશંસા પ્રમાણપત્ર મળેલું. ૧૯૫૯માં તુફાનભાઇ ભારત સરકારના હેન્ડલૂમ બોર્ડના વીવર્સ સર્વિસ સેન્ટરમાં ઉચ્ચ અધિકારી તરીકે નિમાયા. આ સ્થાને રહી તેમણે પ્રાકૃતિક રંગો (નેચરલ ડાઇઝ) અને પ્રાચીન સુશોભનકલા પર અનેક સફળ પ્રયોગો કર્યાં. દેશભરના વિવિધ પ્રાંતોના પ્રવાસ ખેડી દરેક પ્રદેશની લોકપ્લાનો સંસ્પર્શ પામ્યા. તેમાં પોતાની મૌલિક અભિવ્યકિત ઉમેરી હાથવણાટના કાપડને આગવી મોહકતા બક્ષી. લોકકલા કસબીઓ સાથે પ્રત્યક્ષ નિર્દેશન, ગ્રામીા રંગાટીઓ દ્વારા વપરાતા પ્રાકૃતિક રંગ અને છપાઇ Jain Education International પથ પ્રદર્શક કામની વિવિધ પ્રક્રિયાના બહોળા અનુભવથી ાનભાઇએ પ્રયોગાત્મક અભિગમ અપનાવ્યો. કેનવાસ અને કાપડ પર પ્રાકૃતિક રંગોની રચનાઓમાં આધુનિક પ્રવાહોનો સુમેળ કરી નવસર્જનો કર્યા. પ્રિન્ટીંગની મુલતાની, કલમકારી, અને સૌદાગરી જેવી વિવિધ શૈલી વિષે સંશોધન પેપર્સ રજૂ કર્યા. પોતાના જ્ઞાનને વધુ લોકોપયોગી બનાવવા પ્રત્યક્ષ નિર્દેશન, વાર્તાલાપ, સેમીનારો અને વર્કશોપનું સંચાલન કર્યું. અમદાવાદથી લઇને બિહાર, ૫. બંગાળ, ઢાકા, શ્રીલંકા અને છેક મોસ્કો તથા યુ.એસ.એ.ના વિવિધ શહેરોને ક્લાનો પરિચય કરાવ્યો. પ્રાકૃતિક રંગોની રંગાઇ તથા છપાઇકામના આ ક્ષેત્રના તેમના આજીવન પ્રદાનને લક્ષ્યમાં લઇને ગુજરાત રાજયના યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમને લોકકલા ક્ષેત્રનો ‘શ્રી ઝવેરચંદ મેધાણી' એવો ર્ડ (ફા એક્લ ખ) અર્પણ કરી સન્માનીત કરાયા છે. સુજ્ઞાન રફાઇની અભિવ્યક્તિનું બીજું માધ્યમ પેપર કોલાજ છે. રંગીન પોસ્ટરો, મેગેન,વર્તમાનપત્રોની રંગીનતસવીરો વ.નાનાનામોટા ટુકડા સંયોજને તેમણે સર્જેલા પેપરકોલાજ ચિત્રો તેમનું આગવું પ્રદાન છે. વિશિષ્ટ વ્યકિતના વ્યક્તિત્વને તેમણે કોલાજમાં સોટ રીતે ઉતારેલ છે. ૧૯૫૯ થી જ અમરેલીથી લઇને અમદાવાદ, કલકત્તા, ઈંદોર, ઉજ્જૈન, ભોપાલ, દિલ્હી, વારાણસી, મદ્રાસ, લખનૌ, વિજયવાડા, ઢાકા અને યુ.એસ.એ. વ. સ્થળોએ તેમના ડ્રોઈંગ્ઝ, પેપર કોલાજ, વોલ પીસીઝ વાનાં ચિત્રપ્રદર્શનો યોજાયા છે. પ્રાકૃતિક રંગોની રચના For Private & Personal Use Only મોસ્કો (રશિયા) ખાતે યોજાયેલ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયાના પ્રવેશદ્વા૨તથા ન્યૂ જર્સી (અમેરિકા)માં શ્રી યોગીજી મહારાજ શતાબ્દી મર્મોત્સવ પ્રસંગે હેન્ડલૂમ કાપડથી પ્રવેશ દ્વાર સુશોભન તેમણે કરેલું. વારાણસી, રાયપુરની વિવિધ સંસ્થાઓને યોગદાન આપી ચૂકેલા આ કલાકાર આર્ટ કાઉન્સીલ ઓફ ઇન્ડિયન આર્ટીસ્ટના ફાઉન્ડર મેમ્બર છે. અમદાવાદની એન.આઇ.ડી. તથા ‘સેવા’ સંસ્થામાં સલાહકાર રહી ચૂકયા છે. તેમની કૃતિઓ વિવિધ પ્રદર્શનોમાં સન્માનીત થઇ છે. પેપર કોલાજમાં યુ.પી. લલિત કલા અકાદમીનું નામ. અમદાવાદ મ્યુ. કોર્પો, પ્રદર્શનમાં ઇનામ મેળવનાર આ કલાકારના ૭૫મા વર્ષ www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy