SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) અશોકના શિલાલેખો ઉપરાંત પ્રભાસપાટણમાં ભદ્રકાલીન મંદિરમાં રાજા કુમારપાળના સમયનો શિલાલેખ છે. માંગરોળથી ચોરવાડ જતાં વચ્ચે વિસનાવેલી ગામની વાવ ઉપર અનેક શિલાલેખ છે. મહુવામાં લક્ષ્મીનારાયણ મંદિરના સિંહાસન નીચે એક શિલાલેખ છે. આ ઉપરાંત પણ કેટલાક શિલાલેખો પ્રાપ્ત થયેલા છે. શિલાલેખોનું ઐતિહાસિક મૂલ્ય છે તદુપરાંત તેમાં જીવન ઉપદેશ, સાહિત્યની સૌરભ પણ જોવા મળે છે. પુરાતત્ત્વ સંશોધનક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર કામ થતું રહ્યું છે. વલ્લભીનું મૈત્રકકાલીન સંસ્કૃતિ સાથેનું અનુસંધાન જોવામાં આવ્યું છે. હિન્દુસ્તાનનું વિભાજન થયું પછી હડપ્પા અને મોહેન્જો દડો પાકિસ્તાનમાં ગયા. ભારતના પુરાતત્ત્વવિદોએ ભારતમાં એ સંસ્કૃતિનાં અન્ય સ્થળોની શોધ આદરી. ગુજરાત રાજ્યમાં વ્યવસ્થિત ખોદકામ કરતાં લોથલ પાસે, ગોંડલથી ૧૧ માઈલ દૂર રોઝડી ગામ પાસે અને ઝાલાવાડમાં રંગપુર ગામે જે ટીંબાઓ મળી આવ્યા તેમાં હડપ્પા સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતાં ૧૦૦ જેટલાં સ્થળો શોધાયાની માહિતી છે તેમ ગુજરાત સરકારના પુરાતત્ત્વવિદ્ શ્રી જયેન્દ્રકુમાર નાણાવટીએ જણાવ્યું છે પુરાતત્ત્વક્ષેત્રે ગુજરાતના અન્વેક્ષકો અને ઇતિહાસવિદોએ મૂલ્યવાન કામગીરી કરી છે. ડૉ. હસમુખ સાંકળિયા, ડૉ. મોરેશ્વર દીક્ષિત, ડૉ. નરોત્તમ પલાણ, ડૉ. મનુભાઈ ભટ્ટ, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેએ સંશોધનો કરીને અભ્યાસલેખો આપ્યા છે. ડૉ. પનુભાઈ ભટ્ટે કહ્યું છે કે “સૌરાષ્ટ્ર નદીઓનો પ્રદેશ છે. હડપ્પા સંસ્કૃતિનાં સ્થળો બીજી કેટલીયે સૌરાષ્ટ્રની નદીઓ પાસેથી મળી આવ્યાં છે.” . પ્રજાના ક્ષેમકુશળ માટે સદાય તત્પર એવા વત્સલ રાજવીઓ ગુજરાતની વિશેષતા છે. ટેકીલા, દીર્ઘદ્રષ્ટિ ધરાવતા રાજવીઓ અને પ્રધાનોએ વ્યવસ્થિત નગરો વસાવ્યાં, મંદિરો બંધાવ્યાં. શ્રી અને સંસ્કૃતિનો વિકાસ સાધવા સદાયે રાજવીઓ-મંત્રીઓ પ્રયત્નશીલ રહ્યા. રાજાઓના આશ્રયે ધર્મ, સાહિત્ય, કલાનો વિકાસ અને પ્રસાર થયો. સિદ્ધરાજ જયસિંહે આચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યસૂરિ પાસે “સિદ્ધહેમ' વ્યાકરણની રચના કરાવી. જે ગુજરાતી ભાષાના સ્વતંત્ર વ્યક્તિત્વનું પ્રારંભબિન્દુ છે. માનવ સંસ્કૃતિના વિકાસ સાથે કલાનો વિકાસ થતો રહ્યો છે. સૌન્દર્યપ્રીતિ એ માનવની સહજવૃત્તિ છે. ગુજરાતની અનેક આગવી સમૃદ્ધિ, લોકજીવન, લોકગીતો, ભજનો, લોકકલા અને લોકસાહિત્ય છે. લોકજીવનમાં જીવનની રોજબરોજની વસ્તુઓને શણગારવાની કલાષ્ટિ રહેલી છે. ઘર અને ઘરવખરી, ભરતગૂંથણ અને પહેરવેશમાં વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે. લોકસંગીતમાં શૌર્ય, ખમીર, ખાનદાની, ઉદારતા, ભક્તિના ભાવોને દૂહા-સોરઠા, રાસડાઓ, ગીતો, ભજનોમાં ગૂંથ્યા છે. ગુર્જરભૂમિને મહાન સંગીતકાર ભગવાન શ્રીકૃષ્ણ તરફથી ગીત-સંગીતનો વારસો મળ્યો છે. પ્રાચીનકાળથી ગુજરાત શિષ્ટ સંગીતના સંસ્કારથી અને લોકસંગીતથી પરિપ્લાવિત થતું રહ્યું છે. ખૂંદી તો ખમે માતા પૃથિવી, અને વાઢી તો ખમે વનરાઈ કઠણ વચન મારા સાધુડા ખમે, નીર તો સાયરમાં સમાય. ગુજરાત આવા સંતજનોની ભૂમિ રહી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy