SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) નવનિર્માણનો સંકલ્પ કરેલો. આજે તો એ પુનઃ નવનિર્મિતરૂપે ભવ્ય મંદિર શોભે છે. વલ્લભાચાર્યજીએ ત્રિવેણીતીરે ભાગવત સપ્તાહ કરેલી. એ વેષ્ણવોનું પણ તીર્થધામ છે. ત્રિવેણીઘાટ પાસે જ સૂર્યમંદિર આવેલું છે. સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાની પટ્ટી પર ઠેર ઠેર સૂર્યમંદિરો જોવા મળે છે. પ્રભાસમાં જૈનોના દેરાસરો પણ છે. મુસ્લિમોનાં પવિત્ર સ્થાનો પણ છે. આમ, પ્રભાસ સર્વધર્મના શ્રદ્ધાળુઓ માટે પવિત્ર સ્થળ છે. અનેક દેવોથી વિભૂષિત આ ભૂમિના મુખ્ય દેવ મહાદેવજી જ છે. આદિકાળથી વર્તમાન સમય સુધી વિવિધ સંસ્કૃતિઓને પોતાના અંતરમાં સંધરીને બેઠેલું પ્રભાસ ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યનું નગર અને શ્રેષ્ઠ તીર્થ કહેવાયું છે. પ્રાગૈતિહાસિક સમયથી સમુદ્રકાંઠે વસેલી દ્વારિકા નગરી જેની ધરતીની રજેરજમાં કૃષ્ણનો મહિમા ભરેલો છે. સંશોધકોએ એમ કહ્યું છે કે મધ્ય એશિયામાંથી સમુદ્રમાર્ગે જે આર્યો ભારતમાં પ્રવેશ્યા એ યાદવો હતા. તેઓ દ્વારકા બંદરે આવ્યા હશે. એ મત મુજબ દ્વારિકા ભારતનું પ્રવેશદ્વાર હતું તેમ કહી શકાય. દ્વારિકામાં દ્વારકાધીશ રણછોડરાયજીનું મંદિર આવેલું છે. તો ઉત્તર ગુજરાતમાં વિષ્ણુતીર્થ દ્વારકા છે. શ્રી સહજાનંદ સ્વામીએ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આવીને આમ જનતાને સદાચારનો માર્ગ ચીંધ્યો. સ્વામીનારાયણ ધર્મે ભક્તિ, સદાચાર, વ્યસનમુક્તિ ઇ. ઉપર ભાર મૂક્યો. ગઢડા, વડતાલ, સાળંગપુર, ગોંડલ, ગાંધીનગર વગેરે સ્વામીનારાયણ ધર્મના મહત્ત્વનાં તીર્થસ્થાનો છે. આજે તો દેશ-પરદેશમાં સ્વામીનારાયણ ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે અને પરદેશની ભૂમિ પર વિશાળ મંદિરો બંધાયાં છે. ગુજરાતમાં ઇષ્ટ ઉપાસનાનાં જે મંદિરો-પ્રતીકો મળ્યાં છે તેના સમય અંગે, શિલ્પ સ્થાપત્ય અંગે સંશોધનો થતાં રહ્યાં છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ-ત્રિમૂર્તિની ઉપાસનાના અને શક્તિપુજા–માતાજીનાં મંદિરો છે. ગિરનાર પર અંબાજી, પાવાગઢમાં કાલિકામાતા, હર્ષદ-મિયાણીમાં હરસિદ્ધિ માતાનાં મંદિરો છે. ઉપાસના-શ્રદ્ધાની દૃષ્ટિએ મહત્ત્વનાં તીર્થસ્થાનો પુરાતત્ત્વની દૃષ્ટિએ અને શિલ્પસ્થાપત્યકલાની દૃષ્ટિએ પણ દર્શનીય અને મહત્ત્વનાં છે. પ્રાચીન ઇતિહાસ સાચવીને બેઠેલા શિલાલેખોનો જુદા જુદા સમયે અભ્યાસ થતો રહ્યો છે. તેમાં ગિરનારની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ વિશેષ મહત્ત્વ ધરાવે છે. અનેકતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે, એ ભાવાત્મક એકતા રાષ્ટ્રીયતાનો પાયો છે. આશરે બાવીસસો વર્ષ પહેલાં કોતરાયેલા આ લેખના ૧૨ ખંડોમાં બૌદ્ધધર્મનો ઉપદેશ અંકિત છે. જેમાં ભારતીય સંસ્કૃતિનો આદર્શ પ્રતિબિંબિત થાય છે. રાષ્ટ્રીય એકતાના અંગભૂત લક્ષણ સમી વ્યાપક ધર્મભાવના અને માનવજાતને માટે આચારસંહિતા રજૂ કરી છે. ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈએ “બૃહદ્ ગુજરાત પ્રતિભા દર્શન’માં જણાવ્યું છે તેમ-“આ શિલાલેખ ગુજરાતના ઇતિહાસની પહેલી ખીંટી છે, તો ગુજરાતનાં સંસ્કારબળોનો પ્રથમ આલેખ છે. ગુજરાતે અહિંસા અને જીવદયાની ભાવના જીવનમાં અનુભવેલી, ઉતારેલી અને જીવી જાણેલી છે.” માનવ માનવ વચ્ચેના વ્યવહારની શુદ્ધિ પર ભાર મૂકી વ્યક્તિ સુધારણા અને સમાજમાં સમન્વય સાધવાનો પ્રારંભ કરનાર પ્રિયદર્શી અશોક હતો. વીસમી સદીમાં અહિંસા, સત્ય અને પ્રેમને સર્વોપરી ધર્મ તરીકે સ્વીકારીને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય માટેની લડત ચલાવી. ભારતને આઝાદી અપાવી. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy