SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) મહીસાગર, સાબરમતી, શેત્રુજી, ભાદર, ઓઝત, મચ્છુ તો લોકમાતાઓ છે. ગુજરાતનાં મહત્ત્વનાં નગરો, ગામડાંઓ, આશ્રમો, મંદિરો નદીકિનારે વસેલાં છે. નાની મોટી નદીઓનાં સંગમસ્થાને તીર્થસ્થળો આવેલાં છે. પ્રભાસ પાસે હિરણ્ય, કપિલા અને સરસ્વતીનો સંગમ છે. વૌઠા પાસે વાત્રક અને સાબરમતીનો સંગમ છે. અહીં લોકમેળાઓ ભરાય છે. સસલાંથી માંડીને ડાલામથ્થાં સિંહો ગિરમાં છે. નાનાં મોટા પશુઓ જંગલમાં વસે છે. લીલી નાઘેરમાં મોરલાઓનો ગહેકાટ અને કોયલનો ટહૂકાર છે. તો સમુદ્રકિનારે સુરખાબ અને સારસ ઊડતાં જોવા મળે છે. પક્ષીઓના કલરવથી બગીચાઓ ગૂંજતા રહ્યા છે. આ સાંસ્કૃતિક વિરાસત વર્તમાન અતીતના ખભા પર વિકસે છે. આજના ગુજરાતની ઓળખ તેના ભવ્ય ભૂતકાળની ભૂમિકામાં વિશેષરૂપે જોવા મળે છે. એમ કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં પ્રકૃતિનાં રમણીય સ્થળોએ વિહારધામો બન્યાં છે. જ્યારે ભારતમાં, ગુજરાતમાં, રમણીય સ્થળોએ તીર્થધામો-મંદિરો બન્યાં છે. ભારતની સંસ્કૃતિ ત્યાગ અને તપસ્યાને જીવનમાં વિશેષરૂપે સ્વીકારે છે. ઇતિહાસમાં પ્રાચીનતમ નગરોમાં જુનાગઢનો ઉલ્લેખ મળે છે. ગિરનાર, સૌરાષ્ટ્રની અનેક ચડતી પડતીનો સાક્ષી છે. ગિરનારના અલૌકિક પ્રભાવથી અનેક સંતો, મહંતો, ઋષિઓ અને કવિઓ આકર્ષાયા છે. ગિરનાર માત્ર પ્રવાસધામ કે યાત્રાધામ જ નહિ પણ ભક્તિ અને તપશ્ચર્યા કરવાનું પાવન સ્થળ પણ છે. બૌદ્ધધર્મની ગુફાઓ અને અશોકનો શિલાલેખ અહીં મળે છે. જૈન ધર્મના નેમિનાથજીનું મંદિર છે, મહાદેવજી તો હોય જ, અંબાજીનું મંદિર છે. પાસે જ જમિયલશાહ દાતારનો ચિલ્લો છે. તદુપરાંત ગિરનારની ટૂકો ઉપર અન્ય તીર્થો આવેલાં છે. હિન્દુ, મુસ્લીમ, જૈન, બૌદ્ધ ધર્મના મંદિરો, ગુફાઓથી પવિત્ર થયેલો ગિરનાર સાક્ષાત્ મહાદેવજીનું સ્વરૂપ ગણાય છે. જૈન સાધકોમાં શત્રુંજય તીર્થરાજ શાશ્વત તીર્થ તરીકે ઓળખાય છે. જૈનોના પ્રથમ તીર્થકર આદિનાથજી (ઋષભદેવજી)એ શત્રુંજયની ૯૯ વખત યાત્રા કરી હતી. ઋષભદેવની શ્વેત પ્રતિમાના દર્શનાર્થે તેમ જ તેમના સાન્નિધ્યમાં તપનું પારણું કરવા માટે દર વર્ષે દેશભરમાંથી લાખો જૈન યાત્રાળુઓ આવે છે. શત્રુંજય ઉપર એકસોથી વધુ દેરાસરો અને ૫૦૦થી વધુ દેરીઓ છે. તેની તળેટીમાં જૈનધર્મનો ઇતિહાસ અને ઉપદેશ કોતરાયેલા છે. ગુજરાતમાં જૈનોનાં અન્ય તીર્થો-શંખેશ્વર, ગિરનાર, સમેતશિખર, ભદ્રેશ્વર, રાજગૃહી-પાવાપુરી, આબુ, ક્ષત્રિયકુંડ વ. સ્થળોએ આવેલાં છે. નર્મદા તીરે ચાણોદ-કરનાળી, ગરુડેશ્વર જેવાં પવિત્ર તીર્થોનો મહિમા છે. પ્રાગૈતિહાસિક કાળથી વિખ્યાત પ્રભાસ ગુજરાતનું જ નહિ ભારતનું એક શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાંનું સોમનાથ મહાદેવનું મંદિર બાર જ્યોતિલિંગો માંહેનું એક ગણાય છે. સાત સાત વખત વિધર્મી આક્રમણોથી ખંડિત થવા છતાં આ મંદિર પુનઃ ઊભું થતું રહ્યું છે. સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy