SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨) કાર્યનો યથાર્થ પરિચય કરાવતાં લખ્યું છે : “કેટલીક વ્યક્તિઓ ભેખધારી હોય છે અને તેઓ જે ક્ષેત્ર કે વિષયમાં ઝંપલાવે છે એને જ પોતાનું જીવનલક્ષ્ય બનાવે છે. પોતાના આવા ભેખની પાછળ એ કોઈ દુન્યવી અવરોધ કે આર્થિક મુશ્કેલીઓના અવરોધને ગાંઠતા નથી. એમનું જીવન અને જગત એટલે એમનું કાર્ય. શ્રી નંદલાલ દેવલુક આવી એક ભેખધારી વ્યક્તિ છે. જેણે સમાજને રાષ્ટ્ર, રાજ્ય, ધર્મ કે સંસ્કૃતિના વિરાટ ગ્રંથો આપવાનો સદૈવ પ્રયત્ન કર્યો છે. છેલ્લા સાડાત્રણ દાયકામાં ઓગણીસ ગ્રંથોનું સફળ સંપાદન કાર્ય કર્યું છે. આમાં વિશ્વથી માંડીને એશિયા, ભારત, ગુજરાત, સૌરાષ્ટ્ર કે છેક ગોહિલવાડ વિશે વિસ્તૃત સામગ્રીનું ચીવટભેર સંકલન કર્યું છે. એમણે એકત્રિત કરેલી એ સામગ્રીની પ્રમાણભૂતતા તેઓ પૂરી ચકાસે છે અને તેથી જ એમના વિરાટ માહિતીગ્રંથો ઉપરાંત ધર્મ અને સંસ્કૃતિ વિશેના ગ્રંથો પણ અભ્યાસીઓને માટે મુલ્યવાન માહિત રહ્યા છે.” શ્રી નંદલાલભાઈ તેમના સંપાદન કાર્યની ઉપલબ્ધિના સંદર્ભમાં નમ્રતાથી કહે છે કે “ગુજરાતના ગ્રંથાલયોમાં પચીસ હજાર ગ્રંથો સચવાયા છે તેનો પરમ સંતોષ અને જીવનમાં એક નક્કર કાર્ય થયાની લાગણી અનુભવું છું. એકોતેર વર્ષની ઉંમરે (આ સંધ્યા સમયે) મનન ચિંતનમાં મન વધું ખેંચાયું છે. કોઈ સ્પૃહા નથી રહી.” ગુર્જર દેશ અને ગુજરાતીઓ ગુજરાત અને ગુજરાતી પ્રજાને પોતાની એક આગવી ઓળખ છે. ભૂમિ વૈવિધ્ય આજનું બૃહદ્ ગુજરાત એટલે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ અને કચ્છ. તેની સૌ પ્રથમ ધ્યાનાકર્ષક વાત છે તેનું ભૂમિવૈવિધ્ય. ભારત એક દ્વીપકલ્પ છે. અને તેનો દ્વીપકલ્પ છે ગુજરાત. ભારતનાં બધાં જ રાજ્યોમાં સૌથી વિશાળ દરિયાકાંઠો ધરાવનાર ગુજરાત છે. ભારતના પશ્ચિમના દેશો સાથેના દરિયાઈ સંબંધો કચ્છ અને સૌરાષ્ટ્ર સાચવ્યા છે. એક જમાનામાં પોર્ટુગીઝોએ ભારતમાં ત્રણ સ્થળોએ સત્તા સ્થાપેલી તે માંહેનાં બે સ્થળોદીવ અને દમણ ગુજરાતમાં છે. પારસીઓ સૌ પ્રથમ સંજાણ બંદરે ઉતરેલાં. “લંકાની લાડી અને ઘોઘાનો વર” એ કહેવત પાછળ દરિયાઈ માર્ગ નિમિત્ત હશે તેમ ગણી શકાય. ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈ કહે છે તેમ ગુજરાતીની એક ઓળખાણ, ‘દરિયાલાલ'ની યે છે.” ગુજરાતનો સમુદ્રકાંઠો પણ વિવિધતાભર્યો, ક્યાંક રેતાળ, ક્યાંક ખડકાળ અને ક્યાંક કાદવમરેલો છે લીલા કંજાર બાગબગીચાથી શોભતા તળ ગુજરાતની ફળદ્રુપ વાડીઓ અને લીલી નાઘેર જેવા સમથળ મેદાનો તો ગીર અને ડાંગનાં સમૃદ્ધ જંગલો પણ અહીં છે. અનેક ઇતિહાસ અને પ્રાચીન કથાઓ સંઘરીને બેઠેલા નાના-મોટા ડુંગરાઓ કાઠિયાવાડની અનેરી વિરાસત છે. ઘુમલીને સાચવતો બરડો, સાણો ડુંગર, પાવાગઢ, તારંગા હીલ, તળાજા-તાલધ્વજગિરિ જેવા નાના ડુંગરાઓ છે. ગરવો ગઢ ગિરનાર હિમાલયથી પણ પ્રાચીન છે. તેથી તો પૂજ્ય મોરારીબાપુ તેને હિમાલયનો ‘વડદાદો' કહે છે તો દેવગિરિ શત્રુંજય-જૈનોનું મહત્ત્વનું તીર્થ પણ ગુજરાતમાં જ આવેલ છે. શિયાળામાં જ્યાં દેશપરદેશનાં પંખીઓનો મેળો ભરાય છે એવાં નળ સરોવર અને નારાયણ સરોવર (કચ્છ) ગુજરાતમાં છે. ગુજરાતની પ્રકૃતિ અને જનતાને સદાયે રસ તરબોળ રાખતી નદીઓ-નર્મદા, તાપી, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy