SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ❀ (૨૧) અમદાવાદમાં જૈન સંઘના અગ્રણી ‘ગુજરાત સમાચાર'ના મેનેજિંગ ટ્રસ્ટી-પ્રેયાંસભાઈ શાહે તેમનું સન્માન કર્યું. ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં જૈન રત્નચિંતામણી ગ્રંથના વિમોચન પ્રસંગે શ્રી દીપચન્દભાઈ ગાર્ડીએ તેમનું સન્માન કર્યું. ભાવનગર ટાઉનહોલમાં ‘શ્રમણ ભગવન્તો’નું કેન્દ્રીય મંત્રી શ્રી જયંતીભાઈ શાહના હસ્તે વિમોચન થયું અને જૈન સમાજના અગ્રણી શ્રી મનમોહનભાઈ તંબોળીએ નંદલાલભાઈને સન્માન્યા. સુરેન્દ્રનગરમાં ‘શ્રમણ ભગવન્તો' ગ્રંથને હાથીની અંબાડી પર ફેરવ્યો અને જૈન સમાજે તેમનું અભિવાદન કર્યું. મુલુન્ડ (મુંબઈ)માં ‘યક્ષરાજશ્રી મણિભદ્ર દેવ' ઉપરના ગ્રંથના વિમોચન પ્રસંગે જૈન સમાજે તેમને સન્માન્યા. શંખેશ્વરમાં જૈનસંઘના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં શ્રી દીપચંદભાઈ ગાર્ડીના હસ્તે તેમનું સન્માન થયું. આ બધા જ સમારંભોમાં જૈનસમાજના અગ્રણીઓએ સ્નેહાદરપૂર્વક શ્રી નંદલાલભાઈને ફૂલહાર કર્યા, તેમનું બહુમાન કર્યું. એ સંદર્ભમાં નંદલાલભાઈએ વિનમ્રપણે કહ્યું છે કે “જ્યારે જ્યારે શ્રુતદેવતા સરસ્વતીજીનું અર્ચન અભિપ્સિત હોય ત્યારે ગ્રંથ સંપાદકને અર્પિત શાલ દુશાલા, અલંકાર, પ્રતીક એ સરસ્વતીને જ સમર્પિત અર્ચના છે. આ ભાવાર્ચન શ્રી શારદાંબાનું જ છે એમ અમે સ્વીકારેલ છે. સંપાદકનું સન્માન યથાર્થમાં શ્રી શારદાંબાનું જ ભાવભક્તિ પૂજન છે. આ સત્ય ત્રણે કાળમાં અમે નિભાવ્યું છે.” શ્રી નંદલાલભાઈ એમના સમગ્ર કાર્યને મા શારદાની કૃપારૂપે ગણાવી પોતે તો નિમિત્તરૂપ છે તેમ કહે છે. આ સંદર્ભગ્રંથો માટે સંપાદક પ્રત્યેના સદ્ભાવથી લેખો લખી આપનારા જ્ઞોના તેઓ હંમેશા ઋણી રહ્યા છે. થોડી અંગત વાત. શ્રી નંદલાલભાઈને મેં સૌ પ્રથમવાર જોયેલા પાલિતાણામાં. જોરસિંહ કવિ (મારા માસા થાય)ને ઘેર. જુદી જુદી યુવક પ્રવૃત્તિઓના યુવાન કાર્યકર્તા તરીકે. એ રીતે પરિચય વર્ષો જૂનો. ૧૯૬૪માં તેઓ ભાવનગરમાં આવીને સંપાદનકાર્ય કરવા લાગ્યા. ત્યારે માર્ગદર્શન માટે મારા પિતાશ્રી (રામનારાયણ ના. પાઠક) પાસે અવારનવાર આવતા હતા. મારા પિતાશ્રીને તેમના પ્રત્યે સદ્ભાવ. નંદલાલભાઈની નિષ્ઠાપૂર્વક કામ કરવાની ધગશ, ચોક્સાઈ અને પરિશ્રમની તેઓ હંમેશાં પ્રશંસા કરતા. સાલસ અને ભાવનાશાળી લેખક તરીકે તેમની ઓળખાણ આપતા. સૌમ્ય અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા નંદલાલભાઈ ખભે થેલો લઈને શક્ય હોય ત્યાં ઉતાવળી ચાલે ચાલતા જાય. નિર્ધારિત કામ પાર પાડવાની તત્પરતા અને બને ત્યાં સુધી બધું જ કામ જાતે કરવાનો સ્વભાવ. અક્ષરો સુંદર અને મરોડદાર. જરૂર પડે ત્યારે લેખોની સાફ નકલો તૈયાર કરવી, પ્રૂફ જોવા, ટપાલ લખવી, પોસ્ટ કરવી એ દરેક કામ ચોક્સાઈપૂર્વક જાતે જ કરનારા. આજે પણ હાથમાં થેલી અને લખાણો સાથે જાતે પ્રેસમાં જવાનો, મળવા જવાનો ક્રમ તેમણે જાળવી રાખ્યો છે. ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈએ ‘બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન'ની પ્રાસ્તાવિક નોંધમાં નંદલાલભાઈના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy