SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ચિત્રકાર, શિલ્પકાર અને કલા-પ્રાધ્યાપક શ્રી નાગજીભાઇ ચૌહાણ ‘શિલ્પકાર થતાં પહેલાં ચિત્રકારથવુંજરૂરીછે.કારણકે શિલ્પક્કામાં આકારનું મહત્વ છે અને દરેક આકારના પાયામાં આલેખન (ડ્રોઇંગ) રહેલું છે.એટલે કુશળ શિલ્પી થવા માટે સારાં રેખાંકન, આકાર અને સ્પેસની સમજ જરૂરી છે.' આ શબ્દો છે ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર, શિલ્પકાર અને સંનિષ્ઠ-લોકપ્રિય કલાપ્રાધ્યાપક શ્રી નાગજીભાઇના તેમન પુરૂ નામ તો છે શ્રી નાગજીભાઇ વશરામભાઇ ચૌહાણ તા.૧૪ નવે.૧૯૩૮માં જામનગરના પ્રજાપત્તિ પરિવારમાં તેમનો જન્મ.ઘાટ ઘડવા અને ચિતરામણ કરવાના સંસ્કાર તો ગળથૂથીમાં જ મળેલા મેટ્રીક પછી અમદાવાદ ગયા.અનેસી.એન. કલામહાવિદ્યાલયમાં એક વર્ષ અભ્યાસ કરી ડી.ટી.સી. (૧૯૬૦)થયા.એ દિવસોમાં બે વર્ષ વલ્લભવિદ્યાનગર ક્લાકેન્દ્રમાં ક્લાગુરૂ રવિશંકર રાવલના સાનિધ્યમાં રસેવા આપી.૧૯૬૨થી ૬૪ સી.એન. વિદ્યાવિારમાં ચિત્ર શિક્ષક રહ્યા.૧૯૬૫થી કલા મહાવિદ્યાલયમાં ચિત્રકલા વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. વિદ્યાર્થીઓને ભણાવતાભણાવતા પોતે પણ કલાચાર્ય શ્રી રસિકલાલ પરીખન માર્ગદર્શનમાં શિક્ષણ લેતા લેતા ઉચ્ચકલાની વિવિધ પરીક્ષાઓ ઉર્તીણ કરી.જી.ડી.આર્ટઇન પેઇન્ટીંગ (૧૯૬૪), આર્ટ માસ્ટર (૧૯૬૫) અને જી.ડી.આર્ટ ઇન સ્કલ્પચર (૧૯૬૮) ની ત્રિવિધ પદવીઓ પ્રાપ્ત કરી. શેઠ ચી.ન.કલામહાવિદ્યાલયના લગભગ ત્રણ દાયકા ઉપરાંતના કલાશિક્ષણ અનુભવોમાં અનેક કલાકારો, ક્લાના વિદ્યાર્થીઓના સંપર્કમાં પોતે આવ્યા. કુ. ઉર્મિબેન પરીખથી લઇને વિનોદ જે.પટેલ સુધીના અસંખ્ય વિદ્યાર્થી- કલાકારો જે ગુજરાતનું કલાધન ગણાય છે, તેનુ ઘડતર કર્યું. ૧૯૭૪ થી ૭૭- ત્રણ વર્ષ શ્રી લકરદાદાની નિવૃત્તિ પછી શિક્ષવિભાગના વડા તરીકે કાર્ય કર્યું.૧૯૯૪- ૯૫ના Jain Education International પત્ર પ્રદર્શક ગાળામાં પ્રિન્સીપાલ તરીકે સેવા આપી. એક સફળ કલાપ્રાધ્યાપક પછી નાગભાઇના વ્યક્તિત્વના બે બીજાં પાસાં ને ચિત્રકાર અને શિલ્પકાર નાગજીભાઇની ચિત્રસૃષ્ટિના વિષયો અને શૈલી સતત બદલાતાં રહ્યાં છે. માનવપાત્રો, બુલ (સાંઢ), અશ્વ, ખડકો (રોસ), વૃક્ષો, માનવચહેરાઓ- વિશેષ તો પ્રકૃતિમાં રહેલા એન્સ્ટ્રકટ આકારો વ.ને તૈલરંગો- જલરંગો, પેસ્ટલ, ગોળે, કે ગ્રાફીક વુડકટ, ઇંચીંગ, લીંનોકટ અને મ્યુરલમાં કપચી (ટાઇલ્સ), જયપુરી ફ્રેસ્કો અને ટેમ્પરા જેવાં વિવિધ માધ્યમોમાં તેમણે કામ કર્યુંછે.ચિત્રકલામાં વિવિધ વાદો-ઇમ્પ્રેશનીઝમ, ધુબીઝમ, એકટીઝમ, એકસ્પ્રેસનીઝમ પછી ક્રિએટીવ દિશા તરફ તેમનો ઝોક વધ્યો.તેમણે ન્યૂડ એન્ડ નેચર શ્રેણીનાં ચિત્રો તૈયાર કર્યા છે. આ શિબિરમાં ગયા પછી પથ્થરો-ખડકોમાં વ્યક્ત થતા આકારોનું આકર્ષણ થયું. તે પછી તેમની સર્જકત્તામાં પથ્થરીલા ફોર્મ્સ ઉમેરાયા છેલ્લાં બે વર્ષથી તેઓ ઇટાલીના ગ્રેટ આર્ટીસ્ટ માઇકલ એજેલોની ચિત્રશૈલીના અભ્યાસના પરિપાકરૂપે પોતે મૌલિક પણે કલ્પેલી-સર્જેલી ચિત્રશ્રેણીનું સર્જન કરી રહ્યા છે. જેમાં ન્યૂડ ફીગરોના રિયાલિસ્ટીક સંયોજનો સાથે વિવિધ ભાવ પ્રેમ, વિગ્રહ, દુર્વાસના, સ્થળાંતર, ધૃણા, નૃત્ય, શાંતિ વ.દર્શાવતા સંયોજનો વિષયાનુરૂપ છતાં સુમધુર સંવાદીરંગ યોજનામાં રજૂ કર્યા છે.આ ચિત્રોનું પ્રદર્શન અમદાવાદ- રવિશંકર રાવલ કલા ભવનમાં તા.૧૩ થી ૧૯- જૂન- ૨૦૪૪ દરમિયાન યોજાયું હતું. ફૈબીબી (સ્ટોન) For Private & Personal Use Only સૌરાષ્ટ્રના મેર, ભરવાડ, રબારીના લોકજીવનથી લઇને તેમણે પંચમહાલના ભીલ, ડાંગના આદિવાસી, રાજસ્થાની પાર્ગો તથા દક્ષિણ ભારતના તામિલ પાત્રોના માલખ સ્કેચીઝ કર્યા છે.ચિત્રકલા ઉપરાંત શિલ્પકલા બન્નેમાં એકેડમિક અને ક્રિએટીવ- અને રિતીમાં પોર્ટ્રેઇટસ કર્યા છે.જેવાં સફળ ચિત્રકાર છેતેવાં જ સફળ શિલ્પકાર પણ છે.માટીથી લઇને પ્લાસ્ટર ઓફ પેરિસ, સિમેન્ટ, યુ, સ્ટોન અને મેટલ જેવાં વિવિધ માધ્યમમાં તેમણે શિલ્પસર્જનો કર્યા છે. બાહ્ય દેખાવે ખડતલ ભલે લાગે, પણ આ કલાકારનાઅંતરંગમાંૌનરમમાર્ટી જેવીવાળપ અનેસ્નિગ્ધતા જમરીપડીછે.એવાં કલાપ્રાધ્યાપકો બહુ ઓછાં હોય છે, જેમને વિદ્યાર્થીઓનો ચિરંજીવ પ્રેમ અને સદ્ભાવ સાંપડયા હોય. કલાપ્રાધ્યાપક તરીકે ૩૫ વર્ષ પૂરાં કરીને ૧૯૯૭માં પોતે નિવૃત થયા ત્યારે તેમનાં વિદ્યાર્થીઓએ ‘ગુરૂવંદના”નો જે વિશેષ સમારંભ યોજી તેમને અંતરના ઉમળકાથી બહુમાન આપેલું તે એક શરદ પટેલના અપવાદ સિવાય- બીજાં www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy