SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કલાકારોને તો તેના સ્વપ્ના આવે ! તા.૧૭ મે- ૧૯૯૭માં રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં તેમના અને શિષ્યોનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું. તેમનું ભાવ-સન્માન યોજાયું. ‘શિક્ષણના કલાકાર અને સર્જનના શિક્ષક' એ વિશેષણથી શ્રી માધવ રામાનુજે તેમને ઓળખાવ્યા.. નાગજીભાઇના ચિત્રો ગ્રુપ શો (૧૯૬૭, ૬૮. સુધિત પાષાણ ૬૯, ૭૬, ૭૭)રૂપે અમદાવાદ અને |મુંબઇ- જહાંગીર (૧૯૬૯, ૭૪)માં રજૂ થયા છે.તેમના નિજી પ્રદર્શનો જામનગર (૧૯૬૨), અમદાવાદ (૧૯૬૫,૯૬, ૯૭ અને ૨૦૦૪)માં યોજાયા છે.તેમના ચિત્રોને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનોમાં ૧૨ જેટલાં એવોર્ડઝમળેલાંછે.જેમાં ગુજરાત રા લ કલા અકાદમી (૧૯૬૦, ૬૩, ૭૬, ૭૮, ૮૬) મુંબઇ સ્ટેટ કલા પ્રદર્શનમાં ‘ભરવાડ' શિલ્પને ઇનામ (૧૯૫૮), ગુજરાતરા.સાંસ્કૃતિક પ્રદર્શન-રાજકોટ (૧૯૬૧)માં બ્રોન્ઝ મેડલ, માયસોર (૧૯૬૪), અમૃતસર (૧૯૭૮), ચતુર્થ ઓલ ઇન્ડિયા પોર્ટ્રેઇટ એકઝી.(૧૯૭૬)માં સિલ્વર મેડલ, રાયપુર (૧૯૭૭)માં પમાણપત્ર, અ.મ્યુ. કોર્પો.ના બે (૧૯૯૦, ૯૦⟩ઇનામો ગુજરાત રો.લ. કલા અકાદમી શિલ્પ 'સૈનિક'ને ૧૯૭૪મા એવોર્ડ નો સમાવેશ થાય છે.ગુજરાત રા.લલિતક્લા અકાદમી (૧૯૦૧)માં સભ્ય તરીકે તેમણે સેવા આપી છે. ગુજરાત રાજય લલિત કલા અકાદમીથી લઇને એર ઇન્ડિયા, રાષ્ટ્રીય કલા અકાદમી, અ.મ્યુ.કોર્પો,જેવી સંસ્થાઓથી લઈને દેશ વિદેશના ખાનગી સંગ્રહોમાં તેમની કૃતિઓ સંગ્રહાઇ છે. નાગજીભાઇનું વિશેષ પ્રદાન બારડોલી રાષ્ટ્રીય મ્યુઝિમ માટે કરી આપેલું સરદાર પટેલનું પોર્ટ્રેઇટ ઉપરાંત અમદાવાદ મ્યુ.કોર્પો.માં સ્થાપિત ધાતુ શિલ્પ મુખ્ય છે. તેમણે ગુજરાત રા.શાળા પાઠય પુસ્તક મંડળ તેમજ નેશનલ બુક ટ્રસ્ટનાં બાળકો માટેના બહુરંગી ચિત્રોવાળા પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. તે માટેના વર્કશોપમાં માર્ગદર્શન આપ્યું છે.ગાંધી દર્શન- નવી દિલ્હી માટે સર્જનાત્મક સેવા પણ આપી છે. અનેક યુવા ક્યાર્થીઓના કલામાર્ગમાં પથદર્શકની અનોખી ભૂમિકા ભજવનાર નાગભાઇચૌહાણ ગુજરાતના પ્રતિભાવંત- ગૌરવ સમા કલાકારોની પ્રથમ પંક્તિમાં સ્થાન પામનાર કલાકાર છે. * સંદર્ભ સૌજન્ય- ‘ગુરૂવંદના'- લે.શ્રી માધવ રામાનુજ Jain Education International ૩૪૩ ચિત્રકાર અને કાર્ટૂન ફિલ્મોના સર્જક શ્રી લક્ષ્મણ વાં ‘છું..હું લક્ષ્યલ વર્મા . . આ ઘડીથી સંકલ્પ કરૂં છું.હું કાર્ટૂન ફિલ્મ તૈયાર કરી બતાવીશ.” ખ્યાતનામ કલાકાર સ્વ.કનુ દેસાઇની ફિલ્મ ક્વાનિર્દેશક તરીકેની કારકિર્દીથી પ્રેરિત થઇને આ ક્ષેત્રમાં પડેલા અને પ્રથમ ફિલ્મ ‘મળેલા જીવ'ના શ્રેષ્ઠ કલાનિર્દેશક માટેનો એવોર્ડ મેળવનાર ક્લાકાર એટલે શ્રી લક્ષ્મણ વર્મા (મોદી) તા.૧૧ જુલાઇ- ૧૯૧૪ના રોજ ચોટીયા (જિ.મહેસાણા) ગામે તેમનો જન્મ.પિત્તાશ્રી ગુલાબરાયને ગામની ભીંતો પર ચિત્રો દોરતા જોતા નાનકડા લક્ષ્મણના મનમાં પણ સંકલ્પ ઘૂંટાયો કે ‘જીવનમાં બસ, ચિત્રકાર જ બનવું.'પિતાના અવસાન પછી નાનાભાઇબંસી વર્મા (ભવિષ્યના કાર્ટૂનિસ્ટ કલાકાર ‘ચકોર') સાથે ૧૯૨૩માં વડનગર આવીને કબીર આશ્રમમાં રહીને શાળાકીય અભ્યાસની સાથે વ્યાયામ, કુસ્તી, મોડેસવારી વ.જેવાં તન-મનના વિકાસમાં ઠીક ઠીક કાઠું કાઢયું. એ દિવસોમાં જ બેઉ ભાઇઓના ચિત્રો વખણાતા થયા.એ વખતે વડનગરમાં ઘે૨ ઘેર રાજા રવિવમાંના ચિત્રો જોવાં મળતાં તેથી લોકોએ આ ભાઇઓને હેતથી ‘વર્મા બ્રધર્સ’ના સંબોધનથી બોલાવવાનું શરૂ કર્યું.બસ, ત્યારથી તેઓ મોદી અટના બદલે લક્ષ્મણ વર્મા અને હંસી વર્મ'તરીકે ઓળખાવા માંડયા.કબીરશ્રમનો અભ્યાસ પૂરો કરીને અમદાવાદ આવ્યા અને નાટક- સિનેમાના પરદા- બેનર્સ ચિતરવાનું ધંધાદારી કામ શરૂ કર્યું. ૧૯૩૭માં ત્રિપુરા કોંગ્રેસ અધિવેશન વેળાએ લક્ષ્મણભાઇને પોતાની કાર્યલિયન દેવિવાની તક મળી.ચેલેન્જ ઝીલીને ૫૧ ફૂટ x ૬ ફૂટનું વિશાળ બેનર તેમણે માત્ર અર્ધો કલાકમાં પુરૂં કરી દીધું.તે નિહાળીને ખુશ થઇ ઉઠેલા શાંતિનિકેતનના કલાચાર્ય સ્વ.નંદલાલ બચુ બોલી ઉઠ્યા કે ખૂબ ભાલો!' ! For Private & Personal Use Only કલાગુરૂ રવિશંકર રાવલના ‘ગુજરાત કલાસંપ' ચિત્રશાળામાં લક્ષ્મણ વર્મા અભ્યાસ કરતા.ફિલ્મો જોવાનો પૂરો શોખ.ખાસ કરીને કાર્ટૂન ફિલ્મો જોવી બહુ ગમે .એ રીતે કલાકા૨ ૨ મિત્રો સાથે એક રાતે કાર્ટૂન ફિલ્મ જોઇને આવતા હતા ત્યારે ? વાતવાતમાં શરૂઆતમાં નોંધેલો સંકલ્પ જાહેર કર્યો .બીજા દિવસથી : જ રોજના પચાસ- સી કાર્ટૂન સ્કેચીઝ કરવા મંડી પડયા. તેની । ટેકનીક જાણી ફિલ્મ તૈયાર કરતા ગયા.બે ફિલ્મો બનાવી ‘ચાચાજીકા મુન્ના' અને 'સુવાલીન', વેનિસમાં યોજાએલ કાર્ટૂન www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy