SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કટાવ ચિત્ર સર્જક અને કલા કેળવણીકાર સ્વ. શ્રી જયંતભાઇ શુકલ કલા કેળવણી, ચિત્રસર્જન અને લેખનક્ષેત્રે દીર્ઘ કારકિર્દી બદલ હૈદ્રાબાદની સાંસ્કૃતિક સંસ્થા Young Envuey's International દ્વારા જેમને ૧૯૯૧માં નહેરૂ કલ્ચરલ એવોર્ડ - સન્માનપત્ર તથા ગોલ્ડમેડલથી સન્માનીત કરાયાં હતાં તે કલાકારનું નામ છે ઃ શ્રી જયંતભાઇ બાલાશંકર શુકલ તા. ૧૬ ઓકટો. ૧૯૧૫માં વઢવાણ કેમ્પ (જિ. સુરેન્દ્રનગર)માં તેમન જન્મ. ભણવા કરતા ચિતરવામાં વધુ ધ્યાન આપતા જયંતભાઇને મેટ્રીકના વર્ષમાં જ મુંબઇની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ૧૯૩૯માં પ્રવેશ મળ્યો. અનેક તકલીફો વેઠીને પાંચ વર્ષના અંતે તેમણે પેઇન્ટીંગમાં જ. ડી. આર્ટની પદવી મેળવી. સાથે આર્ટમાસ્ટર પણ થયા. મોડેલીંગ અનેસ્કલ્પચરવિષ્યમાં એડવાન્સ' પરીક્ષા ઉત્તીર્ણ કરી. હોબી વર્ગમાં હાઇટ વર્ડ શીખીને લેધરવર્કમાં પ્રથમ વર્ગ મેળવ્યો. ત્યાં મુંબઇના વનિતા વિશ્રામ ગર્લ્સ હાઇસ્કૂલમાં ફ્લાયિકની નોકરી મળતાં કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૪૩થી ૧૯૬૦સુધી આસ્થાને રહી જવાબદારી સંભાળી. ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના થઇ. વઢવાણમાં શ્રી અગાબેન દેસાઇની સંસ્થા 'વિકાસ વિદ્યાલય' સંચાલિત ‘આર્ટ ટીચર્સ ટ્રેનીંગ કોલેજ'ના પ્રથમ પ્રિન્સીપાલપદે તેમની પસંદગી થતાં મુંબઇમાં જામી ચૂકેલી ૨૫ વર્ષની કારકિર્દી છોડી તેઓ સુરેન્દ્રનગર આવ્યા. ગુજરાતમાં કલાક્ષેત્રે એ વખતે પોતે સૌથી વધુ દિક્ષીત હતા. ૧૯૭૨ સુધી આ સ્થાને રહી તેમણે પોતાના માર્ગદર્શનમાં અસંખ્ય ક્યાર્થીઓ – કલાશિક્ષકોને તાલીમબધ્ધ કર્યા. કલાશિક્ષણની ફરજ ઉપરાંત સંલગ્ન અનેક પ્રવૃત્તિઓ જેવી કે રાજય પરીક્ષા બોર્ડના સભ્યપદે પાંચવર્ષ, રાજય સરકારની કલા શા સમિતિ, મેડ નવા કલા ઉચ્ચ પરીક્ષાઓ ના પ્ર। ની ક, મોડરેટર-પરીક્ષક, મુંબઇ- એસ. એન. ડી.ટી. યુનિ.ના બોર્ડઓફી ફોર આર્ટ એન્ડ પેઇન્ટીંગમાં ૩ વર્ષ સભ્ય, ઉપરાંત ૧૫ વર્ષ એ જ Jain Education International ૩૩૯ યુનિ.માં એમ.એ. સુધીની પરીક્ષાઓમાં કલા પરીક્ષક તરીકે સેવા આપી હતી. કલાશિક્ષણના વર્ષોના અનુભવોના નિચોડ રૂપે મેટ્રીકમાં ‘ચિત્રધામ' વિષય રાખનાર તેમજ ઉગ્યું કલાના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાય તેવું થિયરી-પ્રેક્ટીક્લનું પુસ્તક 'ક્લા રસદર્શન' પ્રસિધ્ધ કરેલ. તદુપરાંત હસ્તકામની વિવિધ વિષયોની પુસ્તિકા શ્રેણી પણ પ્રકટ કરી હતી. નિવૃત્તિ પછી સુરેન્દ્રનગર છોડીને પોતાના સ્વજનો સાથે મધ્યપ્રદેશના દુર્ગ શહેરમાં પોતે સ્થાપી થયેલા. કલાનો જીવ હતા. નવરા બેસવું કાંથી ગમે ? અહીં જયંતભાઈએ પેચવર્ક ચિત્રોનું નિર્માણ શરૂ કર્યું. રંગીન કાપડના નકામા ટુકડાઓને માનવાકૃતિ, પશુ, પંખી, મકાન, વૃક્ષ, વ.ના જોઇતા આકારમાં કાપી-કૂપી તેને ધેરા કે કાળા રંગના કાપડની સપાટી પર ચિપકાવીને ચિત્રોનું સર્જન કરવા માંડયું. વાદળી, ઘેરા મરૂન કે કાળા રંગની સપાટી પર વિષયાનુરૂપ ખુલતા રંગોવાળા વિવિધ આકારોની સુચારૂ ગોઠવી દ્વારા ઊડીને આંખે વળગે તેવાં ‘કસબી’ ચિત્રો સર્જવા એ જયંતભાઇ માટેસહજ બની ગયું. ૨×૧ ફૂટથી લઇને ૧૦-૧૦ ફૂટની લંબાઇ ધરાવતી પેનલો તેમણે રચી છે. એક પબ્લિક હોલ માટે અઢી ફૂટ ઊંચાઇ અને પચ્ચીસ ફૂટ લંબાઇની 'દાંડિયારાસ'ની પેનલ સૌથી મોટું કામ થયું. કાન-ગોપી, દાણલીલા, રાસલીલા, વણઝાર, કન્યાવિદાય, વરઘોડો, વેલડું, ઊંટસવાર, ઘોડેસવાર જેવાં વિવિધ વિષયોની ચિત્રસૃષ્ટિ તેમણે રચી હતી. ૧૯૮૧ થી ૯૧ ના દાયકામાં આવાં લગભગ ત્રણેક હજાર ચિત્રો જયંતભાઇએ કરેલા. મોટા શહેરોના દિવાનખંડ, જાહેર સ્થળો વ,ની દિવાલો શોભાવતા આ ચિત્રોની દેશ-પરદે માં વ્યાપક માંગ રહી છે. તેમની કળાએ તેમને સન્માનના અધિકારી પણ બનાવ્યા છે. ૧૯૮૪માં દુર્ગ શહેરની જાણીતી મહિલા સંસ્થાએ તેમનાં ૧૧૦ જેટલાં કટાવચિત્રોનું પ્રદર્શન યોજેલું. એ પ્રસંગે તેમનું જાહેર સન્માન કરાયું હતું. ૧૯૮૫માં રાયપુર ગુજરાતી સમાજે પ્રદર્શન યોજવાની સાથેસન્માનપત્ર કર્યું. ૧૯૭૭ની રાષ્ટ્રીય ચૈતના ચળવળમાં જયંતભાઇ પણ જોડાયા હતાં. આ સ્વાતંત્ર્ય `ના નીં. કટાવચિત્ર સર્જક, કે ળવણી કા૨ લેખકનું તા. ૩ મે ૧૯૯૪નારોજદુર્ગ ખાતે અવસાન થયું. ગુજરાતે ભલે તેમને વિસરાવ્યા. જયંતભાઇ છેલ્લા શ્વાસ સુધી ગુજરાતને – વતનને – વઢવાણને વિસર્યા ન હતા. કૃષ્ણ અને ગોપીઓ (પેચવર્ક સંયોજન) છેલ્લે છેલ્લે એ સ્મરણોનું પુસ્તક ‘સવરાજ લેવા’નું પોતે લેખન કરી રહ્યા હતા. એવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy