SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૯૨૩થી પોંડીચેરી જઇ વસેલા અંબુભાઇ પુરાણી સાથેના પત્રવ્યવહારે તેમને શ્રીમાતાજીના સાનિધ્યમાં પહોંચવાની સ્ફુરણા જાગી. ૧૧ ઓગષ્ટ-૧૯૩૩ના રોજ તેમણે પોંડીચેરીમાં પ્રવેશ કર્યો. ત્યારથી લઇને જીવનની છેલ્લીપળ સુધી શ્રી અરવિંદ આશ્રમ તેમની કર્મભૂમિબની રહી. અમદાવાદ અને શાંતિનિકેતનના ક્લાશિક્ષણ અને પોંડીચેરીના યોગત વ ાનના વાતાવરણ મા સમરસ થતાં તેમને થોડો વખત લાગ્યો. શ્રીમાતાજી અને શ્રી અરવિંદે તેમનાં આંતરબાહ્ય વલણ પારખીને તેમને કલાનાં સાચાં સ્વરૂપ એસ્પિરેશન માંડયા. તેમનાં સર્જનમાં નવું તત્વ ઉમેરાયું. તેઓ પ્રતિકાત્મક ચિત્રો તરફ વાળવા તરફ વળ્યા. કૃષ્ણલાલ ભટ્ટનાં આરંભકાળનાં ચિત્રોમાં આ ધરતીનાં રહેવાસીઓ અને આસપાસની સૃષ્ટિનું વિગતપૂર્ણ ચિત્રણ થતું હતું. તેમનાં પ્રકૃતિ શ્યો પણ રંગભરી છટા સાથે જે તે સ્થળનું જીવંત સાનિધ્ય ખડું કરતા. બંગાળી કલાકારોની અસર નીચે વાસ્તવિકતાનું સ્થાન અલંકારિતાએ લીધું. છાયા-પ્રકાશના બદલે સપાટ આકારો અને વધુ સમજભરી રંગાવટે સ્થાન લીધું. તે પછી તેમના ચિત્રોમાંથી પાર્થિવપણું નીકળતું ગયું. અપાર્થિવ તત્વ ઉમેરાયું. આ પ્રતિકાત્મક ચિત્રોમાં રંગ અને આકારો આ લોકના કરતાં વિશેષ અલૌકિક બની રહસ્યાત્મક સંદેશ આપતાં હોય તેવાં થયા છે. કૃષ્ણલાલભાઇનાચિત્રસર્જનો મોટાભાગે જલરંગી અને ટેમ્પેરા પધ્ધતિના છે. આશ્રમના શ્રી માતાજીના ખંડમાં સમુદ્ર અને સમુદ્રી જોનું સુંદર ચિત્રણ કર્યું છે. આશ્રમના વિવિધ સ્થાનોને તેમણે ભીંતચિત્રોથી સુશોભિત કર્યાં છે. ગૂઢ પ્રદેશોમાં એલ સૌંદર્યસૃષ્ટિનો નવો અવતાર એટલે કૃષ્ણલાલ ભટ્ટનાં ચિત્રો. પોંડીચેરી આશ્રમના કેળવણી કેન્દ્ર સંચાલિત સ્ટુડિયોના સંચાલક તરીકે વર્ષો સુધી તેમણે જવાબદારી સંભાળી. આશ્રમ દ્વારા તેમના Jain Education International ચિત્રો શુભેચ્છા-પત્રો રૂપે પ્રકાશીત થયા છે. કુમાર ઉપરાંતબુધ્ધિપ્રકાશમાં તેમના ચિત્રો પ્રસિધ્ધ થયાં છે. 336 ગુજરાતથી દૂર છેક દક્ષિણ ભારત પોંડીચેરીમાં જઇ કલાક્ષેત્રે ગુજરાત ગૌરવ લઇ શકે તેવા તેમના લગભગ સાડા પાંચ દાયકાના અબોલ યોગદાને અંતે ગુજરાતના કલાજગતનું ધ્યાન દોરાયું. ૧૯૭૫માં ગુજરાત રાજય લલિત કલા અકાદમી દ્વારા તેમનું વડોદરા મુકામે સન્માન યોજાયું. ગૌરવ પુરસ્કાર અર્પણ કરવાની સાથે તેમના ચિત્રોનું પ્રદર્શન યોજાયું. શ્રી માતાજીએ નોંધ્યું છે કે, “એવું કાંઇ જ નથી જે યોગીને કળાકાર થતાં અટકાવે કે કળાકારને યોગી થતાં અટકાવે. પણ જયારે તમે યોગમાં આવી જાઓ છો ત્યારે બધી જ વસ્તુઓની- કળાની તેમજ અન્ય વસ્તુઓની- કિંમતમાં ઘરમૂળથી ફેરફાર થઇ જાય છે. ' નિજીએ ક્રાંતિક ચિત્રસાધનાને કોર પ્રદર્શનો, સ્પર્ધા, ઇનામો કે કોઇપણ જાતના વાદ-વિવાદથી અલિપ્ત રાખીને જીવનભર આત્મોન્નતિનું માધ્યમ બનાવી ગયેલા આ સાધક કલાકારે તા. ૫ જાન્યુઆરી-૧૯૯૦માં પોંડીચેરીમાં જ પોતાની જીવનલીલા સંકેલી હીપી. *સંદર્ભ સૌજન્ય : ૧. કુમાર (સળંગ અંક ૬૧૮, ૬૨૦) ૨. બુધ્ધિ પ્રકાશ (એપ્રિલ-૧૯૯૦) લે, હિંમતલાલ વૈઘ. For Private & Personal Use Only રકતકમલ (પૃથ્વી પર પ્રભુનાં અવતરણનું પ્રતિક) www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy