SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ 339 તરી આવ્યા. જયંત શિહોરા વડેદરાની ફૈટી ઓફ ફાઇન આર્ટસમાં પ્રો. બેન્દ્રેના સાનિધ્યમાં એક વર્ષ તાલિમ મેળવી આવ્યા. તેમની કલાસાધનાને સ્વ. કલાગુરૂ રવિશંકર રાવલ, સ્વ. ખોડીદાસભાઇ પરમાર, વિરેન્દ્રભાઇ પંડયા, ચંદુભાઇ પંડયા જેવા ગુજરાતના જાણીતા કલાકારો-ગુરૂઓએ પ્રેરણા અને ટેકો પુરો પાડ્યો હતો. દેશવિદેશમાં યોજાતા પ્રદર્શનોમાં જયંતભાઇના ચિત્રો પ્રદર્શિત થયા છે. ચિત્રોના વનોન શો પણ થયા છે, ૧૯૬૫માં મુંબઇમાં યોજેલા પ્રદર્શન પછી ભાવનગર (૧૯૬૮,૮૧-૮૨), મુંબઇ (૧૯૬૯), દિલ્હી (૧૯૭૨), અમદાવાદ (૧૯૭૪,૭૮) તથા જૂનાગઢ (૧૯૯૩)માં પ્રદર્શનો થયા. દિલ્હી (૧૯૭૩) થી લઇને લંડન (૧૯૮૨), ૫.જર્મની (૧૯૮૨), આફ્રિકા (૧૯૮૪), સ્પેન (૧૯૮૫) ૧. દેશોમાં તેમની કૃત્તિઓ પ્રદર્શિત અને પુરસ્કૃત થઇ છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી એવોર્ડ(૧૯૬૪), કેની ઇન્સ્ટીટયુટશિકાગો (યુ.એસ.એ.)માં મળેલા ઇનામો (૧૯૬૫,૬૬) તેમની સાધનાની સ્વિકૃતિના પ્રતીક છે. કારકિર્દીમાં ૪૦થી પણ વધુ ચિત્રો દોરી ચૂકેલા જયંત શિહોરાની સાધના અને સિધ્ધિને અમદાવાદ, દિલ્હી, મુંબઇ દૂરદર્શન અને આકાશવાણીના પ્રસારણ ઉપરાંત ઇન્ડિયન ન્યૂઝ રીલ (૧૯૬૮), ગુજરાત રા.માહિતી ચિત્ર (૧૯૭૦) દ્વારા વ્યાપક પ્રસિધ્ધિ મળી છે ગુજરાત રાજય લલિત કલા શિબિરોમાં તેમણે ભાગ લીધો છે. જર્મનીએ ક્રેષ્ઠ ૧૦ માઉથ પેન્ટરોની કૃતિઓનું કેલેન્ડર પ્રગટ કરેલું તેમાં જયંતભાઇની કૃતિ પણ હતી. ઇ.સ. ૧૯૯૧માં હ. ગકીંગ-તાઇવાન ખાતે એશીયન હેન્ડીકે આર્ટીસ્ટ કોન્ફરન્સ યોજાયેલ તેમાં જયંત શિહોરા ખાસ નિમંત્રીત થયેલા જયાં તેમને ‘માસ્ટર ઓફ આર્ટ’ ના બિરુદથી સન્માનિત કરાયા હતા. ૧૯૯૭માં આવી જ એક કોન્ફરન્સમાં વીએના (ઓસ્ટ્રીયા) પણ જઇ આવ્યા તે સમયે યોજાયેલા પ્રદર્શનમાં તેમના ચિત્રો પ્રદર્શિત કરાયા હતા. વિએના (ઓસ્ટ્રીયા) ખાતેના પ્રદર્શનમાં શ્રીમતી કિરણબેન સાથે જયંતભાઇ શિહોરા, પરિસ્થિતિના તોફાનમાં હાલક ડોલક થતી જીવન નાવને સંભાળવાના જયંત શિહોરાના પુરૂષાર્થમાં તેમના જીવનસંગિની શ્રીમતી કિરણબેન (જેઓ એસ.એન.ડી.ટી. યુ.નિ.ના સ્નાતિકા છે અને સાહિત્ય, સંગીત અને ચિત્રમાં રસ ધરાવે છે)ની હુંફાલ નારીશક્તિએ વાતાનુકુલ સઢસુકાનનું કામ કર્યું છે તે કેમ ભૂલાય? Jain Education International પથ પ્રદર્શક ઉચ્ચ કોટિના સાધક કલાકાર સ્વ. શ્રી કૃષ્ણલાલ ભટ્ટ કોઇસાચો કલાકાર કે જે પોતાનાસર્જન સ્ત્રોત માટે કોઇ ઉર્ધ્વત્તર જગતની શોધમાં ોધ છે તે જે યોગમાર્ગ લેતો તેને જણાશે કે તેની પ્રેરણા વધારે પ્રત્યક્ષ અને શક્તિસભર બને છે. અને તેની અભિવ્યક્તિ વધારે સ્થિર અને ગધ શ્રી માતાજી (પોંડીચેરીના ઉપરોક્ત શબ્દો જેમનાં ચિત્રમાં અનુભવી શકાય તેવાં કલાકાર હતા. શ્રી કૃષ્ણલાલ કેશવલાલ ભટ્ટ તા. ૧ જુલાઇ ૧૯૦૫માં કાલાવડ (શિતલા) જિ. જામનગરમાં તેમનો જન્મ. ગુજરાતના જાણીતા તસવીરકાર સ્વ. શ્રીદામ ભટ્ટ તેમના લઘુબંધુ થાય. શાળા કેળવણી અમદાવાદમાં લીધી. આયામ શોખના કારણે શ્રી અંબુભાઇ પુરાણીના સંસર્ગમાં આવેલ કુષ્ણલાલભાઇના ચિત્રોખને પામીને અંબુભાઇએ તેમનો સંપર્ક કલાગુરૂ રવિશંકર રાવલ સાથે કરાવ્યો. ચારેક વર્ષ તેમણે 'ગુજરાત કલાસંઘ'માં તાલિમ લીધી. દોઢેક વર્ષ વડોદરામાં બંગ-કલાકાર શ્રી પ્રમોદકુમાર ચેટરજી પાસેથી જલરંગી ટેકનીક શીખ્યો. આ સમયમાં તેમના ચિત્રો ભીલકુમાર, ક્યા કાંઠે સંધ્યા, વનનાં ફૂલ વ. 'કુમાર'માં છપાયા હતા. જેમાં તેમનામાં રહેલા ભવિષ્યના એક આધ્યાત્મિક ચિત્રકારની આગાહી વ્યકત કરતું ચિત્ર ‘ક્રોધજવાળા' ખાસ ઉલ્લેખનીય છે. કલાગુરૂ રવિશંકર રાવળ નોંધ્યું છે કે, ચિત્રકળામાં કૃષ્ણલાલનું આવું ભાવાત્મક વલણ પ્રથમથી જ હતું એની પ્રતીતિ એમનાં આ ચિત્રમાંથી મળી રહે છે. આ ચિત્ર અને ત્યારબાદ શ્રી અરવિંદનાં કેટલાક કાવ્યો પરનાં તેમનાં ચિત્રોની રંગાવટ અને હવા જોઇ ત્યારે લાગે કે આધુનિક ચિત્રાલેખનની કેટલીક અર્થહીન રંગભભકના પ્રયોગો સામે આવાં ચિંતનપૂર્ણ ચિત્રો મૂકીને વિચારવું પડશે કે કલાનો માર્ગ કઇ તરફ સત્ય પામશે.' For Private & Personal Use Only કૃષ્ણલાલભાઇએ ૧૯૨૪થી ૨૬ના ગાળામાં ભાષા-સાહિત્યના અભ્યાસ સાથે ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતકની પદવી મેળવેલી. શરૂઆતમાં ‘શારદામંદિર' સ્કૂલ અને ચી. ન. વિદ્યા વિહારના ચિત્ર શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનાર કૃષ્ણલાલે દેશ સેવાના પાંગરેલા સંસ્કારથી ૧૯૩૩ની દાંડીકૂચ દરમિયાન ગાંધીજીનાસંદેશવાહક તરીકે સેવા આપેલી. કોંગ્રેસના કરાંચી અધિવેશનમાં કનુ દેસાઈના સાધમાં તેમણે મંચ મંડપ રાજાવટમાં ભાગ લીધેલો. ૧૯૩૨-૩૩માં એક માસ પોતે શાંતિનિકેતનમાં પણ જઇ આવ્યા. કલાગુરૂ નંદલાલભાઇના સાનિધ્યમાં ત્યાંનાં મુત-તાજગીભર્યા વાતાવરણમાં વિવિધ તકનીકી તાલિમ ઉપરાંત ઉચ્ચ-વિશાળ ભાવનાઓનું ભાથું પ્રાપ્ત કર્યું. www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy