SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ 330 તળપદ ભૂમિના કલાકાર- ભીંતચિત્ર સર્જક શ્રી અરિસિંહ રાણા ‘પોરબંદર પંથકના મહેર જીવનના પ્રસંગો, ઉત્સવો, લોકજીવનના દ્રશ્યો એમના અસંપ્રજ્ઞાત મનમાં એટલા બધા અભરે ભર્યા છે કે તેઓ જયારે પેન્સીલ કે ક્લમ હાથમાં લે છે ત્યારે સહજોપલબ્ધ રેખાચિત્રો તરીકે તે તરત જ વહેતાં થાય છે. એમાંથી પ્રથમ દર્શને રેખાની જે અખંડિતતા, પ્રવાહીના તથા માધુર્ય સાંપડે છે તેની રેખાસિધ્ધિ- કદાચ- બીજા ગુજરાતી કલાકારનાં ચિત્રોમાંભાગ્યે જ જોવા મળે છે.' આ અવતરણમાં જેમની કલાની ઓળખ વ્યક્ત થઇ છે તે કલાકાર છે પોરબંદર પંથકની પ્રાણવાન મહે૨ જાતિનાં મુલાયમ ફરજંદ . જેમનું નામ છે - શ્રી અરિસિંહ રાણાભાઇ કેશવાળા તા. ૧૫ જુલાઇ- ૧૯૨૩માં કેશવ (જિ.પોરબંદર) ગામમાં તેમનો જન્મ. શાળાશિક્ષણ માટે પોરબંદર ગયા. પૂર્વ કલાશિકાક સ્વ.માલદેવભાઇ રાણાની દેખરેખમાં છાત્રાલયમાં રહી ભાવસિ હાઇસ્કુલમાં ભણતી વેળા ચિત્રશિક્ષક શ્રી કેશવભાઇ માલદેવ કેશવાળાની નજરમાં ‘અરસી'ની ચિત્રની લગની પરખાઇ ગઇ. પોતાના ખાસ વર્ગોમાં તાલિમ આપી મુંબઇ રાજયની બન્ને ગ્રેંડ પરીક્ષાઓ અપાવી. આ કિશોરે કરેલો પોતાનો ચ (સ્કેચીંગ એ અરિસિંહભાઇનો શ્વાસ છે. આજે આ ઉમરે પણ મુલાકાતે આવનાર હરકોઇનું ત્વરાલેખન વાતવાતમાં કરી નાખવાની ટેવ સિધ્ધિનો અમને અનુભવ છે), જોઇને પોરબંદરના સ્વ. મહારાણાશ્રી નટવરસિંઝા ખુશ થઈ ઉઠયા. તેમના પ્રોત્સાહનઅનેસ્વ. શ્રી રતિલાલ છાયા ‘અનિલ' તેમજ સંસ્કારવાંચ્છુ અન્ય સાજનોના પ્રેર્યા અરિસિંહભાઇ મુંબઇ ગયા. જયાં પોરબંદરના વતની કલા કાર Jain Education International પથ પ્રદર્શક સ્વ. શ્રી જગન્નાથભાઇ અક્રિયાજી ભારતીય ચિત્રકલાનો વર્ગ સંભાળતા તેમની હૂંફ સાંપડી. સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પાંચ વર્ષના અભ્યાસકાળ દરમિયાન અનેક વિટંબળાઓ વેઠી અને ૧૯૫૦માં તેમણે પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી મેળવી. ઇચીંગકળા શીખ્યા અને પોસ્ટ ડિપ્લોમા વર્ગમાં જોડાઇ મ્યુરલ (ભીંતચિત્રો) પણ શીખ્યા. પોરબંદર પાછા આવી સંજોગોવસાત વિકાસખાતામાં કલાર્કની નોકરી લૈવી પડી. વ કલાકારનો એટલો સમય મળ્યે ચોપાટીન ભીની રેતીમાં આકૃતિઓ દોર્યે રાખે. આ યુવાનમાં ૨હેલા હીરને પારખી ચૂકેલા પ્રખ્યાત કેળવીકાર અને એ વખતે પોરબંદરની આર. જા. ટીચર્સ ટ્રેનીંગ કોલેજના પ્રિન્સીપાલ સ્વ. શ્રી મ. ત્રિવેદીએ શિક્ષણની કોલેજમાં આર્ટ માસ્ટરની ખાસ જગ્યા ઉભી કરી ત્યાં અરિસિંહભાઇને લઇ લીધા. આ બી. એડ. કોલેજમાં ભાવિ શિક્ષકોને કલાની તાલિમ આપવા ઉપરાંત ૨૫ વર્ષ સુધી શ્રી ભાવસિંહજી હાઇસ્કુલ- જયાં પોતે ભોલાતેમાં ક્લાશિક્ષકની જવાબદારી સંભાળી. અસંખ્ય વિદ્યાર્થીઓને સાચા અર્થમાં ક્લામાં રસ લેતા કર્યાં, ૧૯૮૨માં પોતે નિવૃત્તિ પછી પોરબંદરના આર્યકન્યા ગૂરૂકુળમાં કલાશિક્ષણ આપ્યું. મહિયારી (મુંબઇ સચિવાલયમાં સંહિત For Private & Personal Use Only સ્કેચીંગ અને અભ્યાસ અરિસિંહભાઇનો પ્રાણ છે. સાંઢિયા પર જતાં મીરાંબાઇનું ચિત્ર દોરવા પોતે રબારીવાસમાં સાંઢિયાની સાથે રહી, તેની ટેવ, હલનચલનનું નિરીક્ષણ કરીઅનેક વરાલેખનો કર્યા પછી જે ચિત્ર તૈયાર થયું તેને એક અમેરિકન કલાચાહક લઇ ગયા. અભ્યાસકાળથી જ તેમનાં ચિત્રો પુરસ્કારપાત્ર થતાં આવેલા, પૂના ખાર્ટ સોસાયટી પ્રદર્શનમાં પનિહારી' ચિત્રને બ્રોન્ઝમેડલ (૧૯૫૨), ‘ડાંડિયારાસ’ને બોમ્બે આર્ટ સોસાયટીનો એવોર્ડ (૧૯૫૩), ‘વલોણું' ચિત્રને ડોલી ખરશેદજી પ્રાઇઝ (૧૯૫૩), ‘ચાબખી’ ને ૧૯૬૧માં ગુજરાત લલિત કલા અકાદમી એવોર્ડ મળેલ. પોરબંદરના સ્વ. મહારાતાશ્રી નટવરસિંહજીથી લઇને સ્વ.સરદાર પટેલ, પૃથ્વીરાજ કપૂર, કલાગુરૂ રવિશંકર રાવલ વ. જેવા ક્લાસાહકો- ક્લા કારોના સંગ્રહમાં તેમની www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy