SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ છબીચિત્રો અને દ્રશ્યચિત્રોના પ્રભાવશાળી સર્જક સ્વ.શ્રી નારાયણભાઇ ખેર ‘પોર્ટ્રેઇટ પેઇન્ટર અને લેન્ડસ્કેપ આર્ટીસ્ટ તરીકેની શ્રી ખેરની મોટી વિશ્વના મહાન વાસ્તવદર્શી પ્લા સ્વામીઓની મુક્ત પ્રશંસા પામી લે એવી સચોટ અને અસરકારક હતી...રંગોની રમણીયતા અને આકારની અસલિયતનું તેઓ છાયા અને પ્રકાશની ગૂંથણી દ્વારા બહૂ દર્શન કરાવી શકતા...પોરબંદરના સમુદ્ર, તેના શૈલો અને માનવદર્શનમાંની લીધેલી પ્રેરણાને અભિવ્યક્ત કરવા તેમણે પેરિસમાં જે કલાસાધના કરી તે કોઇપણ કલાસ્વામીના જીવનને શોભાવે તેવી હતી. ખ્યાતનામ કેળવણીકાર- આચાર્ય સ્વ. શ્રી પ્ર. ત્રિવેદીએ આ શબ્દોમાં જેની સાધના અને સિધ્ધિની પ્રશંસા કરી હતી તે કલાકાર હતાં પો૨બંદ૨ના શ્રી નારાયણભાઇ તેજાભાઇ ખેર ઇ.૧૯૩૭માં જૂના પોરબંદર રાજયમાં માધવપુર પાસે આવેલા મંડેર નામના એક નાનકડા ગામમાં ઘેડિયા કોળી પરિવારમાં તેમનો જન્મ. પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં અભ્યાસ કરી મેટ્રીક થયા. ખાસ કલાવર્ગમાં શિક્ષણ લેતા આ વિદ્યાર્થીને સ્વ. કલાશિક્ષક શ્રી માલદેવજીભાઇ રાણાની પ્રશંસ પ્રાપ્ત થઇ હતી. એ દિવસોમાં નારાયણ ખેર અભ્યાસની સાથે પોરબંદરની મેકોનીકી કલબમાં ટેનિસ બોય તરીકે કામ કરી થોડું ક્રમાઇ પણ લેતા. તેમણે દોરેલું ખંભાળા તળાવનું ચિત્ર એકવાર મહારાળાશ્રીની નજરે પડી ગયું. પોતે કલાપારખુ હતાં. કિશોર- યુવા નારાયણની શક્તિ પારખી ગયા. તેમની પ્રેરણા- પ્રોત્સાહનથી પછી મંડેર ગામનો આ કોળી કિશો૨ કલાની વ્યવસ્થિત તાલિમ સેવા વિશ્વકલાના કેન્દ્ર સમી નગરીપેરિસમાં પહોંચ્યો. મહારાણાશ્રીની ભલામણથી પેરિસ સ્થાયી સુવિખ્યાત ઝવેરી શ્રી સૌમચંદભાઈ નારાયણનું વાલીપદ Jain Education International જ સંભાળતા. તેમણે જ નારાયણને ગોઠવી. છ માસમાં તો નારાયણ ખરે કાબૂ મેળવી લીધો. પેરિસમાં તેઓ વિખ્યાત ક્યાશાળાઅનેલિયે બિલ્લુ (ATELIER BILUE)માંદાખલ થયા. જયાં તેમણે પોર્ટ્રેઇટ પેઇન્ટીંગ અને મોડેલીંગનું શિક્ષણ મેળવ્યું. ચાર વર્ષના અભ્યાસના અંતે પ્રથમ શ્રેણીના વિદ્યાર્થી તરીકે પંકાયા. કૈલાશાળાના પ્રિન્સીપાલ મોંમ્પો બિલ તેમના પર એટલા ખુશ હતા કે સાપ્તાહિક રજામાં તેઓ ખેરને પેરીસના વિશ્વવિખ્યાત એવા લુત્ર મ્યુઝિયમમાં ખાસ લઇ જતા અને વિશ્વના મહાન કલાકારોની મૂળ કલાકૃતિઓનો પ્રત્યક્ષ પરિચય કરાવતા. એ દિવસોમાં ત્યાંની કલા સંસ્થા ઇકોલ-દ-ઓઝાર (ECOLDES-BEAUXART)ના ઉપક્રમે પેરિસમાં આંતરરાષ્ટ્રીય કલાપ્રદર્શન યોજાયું. જેમાં ચારસો કલાકારોની કૃતિઓ રજુ થઇ હતી. તેમાં નારાયણ ખેરની પણ કૃતિઓ રજુ થઇ હતી. અને તે સ્પર્ધામાં પ્રથમશ્રેણીમાં નવમું સ્થાન મળેલું. આંતરરાષ્ટ્રીય સ્તરે ખેરને મળેલી આ પ્રથમ સિધ્ધિ હતી. રાષ્ટ્રપિતા કિર્તીમંદિરમાં સંગ્રહિત ચિત્ર) ૩૨૦ ભાષા શીખવાડવાની વ્યવસ્થા આ અટપટી વિદેશી ભાષા પર For Private & Personal Use Only અભ્યાસ પૂર્ણ કરીને નારાયણ ખેર પોરબંદર પાછા ફર્યા ત્યારે મહારાજ્ઞાશ્રીએ તેમને ‘પેલેસ આર્ટીસ્ટ' તરીકે ખાસ નિમણૂક આપી. આઝાદી પ્રાપ્ત થઇ ત્યાં સુધી તેઓ આ સ્થાન પર રહ્યા. ઉપરાંત મહરાણાશ્રીના રહસ્યમંત્રી તરીકે પણ સેવા આપી તેમની સાથે બે વાર યુરોપની યાત્રા કરી આવ્યા. તેઓ કેપ્ટન નારાપણ પ્રેર'ના વિશેષ બિરૂદથી જાણીતા થયા હતા. પેલેસ આર્ટીસ્ટ તરીકે તેમણે મહારાણાશ્રીની પ્રેરણાથી યુરોપની સર્વશ્રેષ્ઠ કલાકૃતિઓની અનુકૃતિઓ કરી આપી. આ ચિત્રો પોરબંદર હઝુર પેલેસમાં સુરક્ષિત છે, રાજ્ય પરિવારના સભ્યોનાં છબી ચિત્રો પણ કર્યાં. એની સાથે નાનપણમાં જોયેલા ગ્રામપ્રદેશ અને લોકજીવનના અનુભવગમ્ય પાત્રોનો ચિત્રસંપૂટ તૈયાર કર્યો. જેમાં ગ્રામ ઉત્સવો, પર્વો, અને લોકમેળાના આચિત્રોમાં રબારીઓની પુજ, જવારણાં અને ઘેરો જેવાં ચિત્રો સમાવિત છે. ખેરના ગ્રામપાત્રોના ચિત્રો પો૨બંદ૨ મહારાણી સાહેબા અનંતકુંવરબા અને મહારાણા શ્રીના www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy