SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ પથ પ્રદર્શક સંસ્થાઓ અને સ્લમ વિસ્તારોમાં ૧૯૯૨ થી ૯૭ દરમિયાન તેમણે વિવિધ પપેટ શો પણ કર્યા છે. રાજય તથા રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનોમાં તેમની કૃતિઓ સ્થાન પામી છે. જગદીપ સ્માર્તના નિજી પ્રદર્શનો ભારત કલા ભવન- બનારસ (૧૯૮૧), સુરત (૧૯૮૪, ૮૬), અમદાવાદ (૧૯૮૫, ૯, ૯૯), મુંબઇ (બજાજ-૧૯૮૬, જહાંગીર- ૧૯૮૭)માં યોજાયા છે. તેમને મળેલા અનેક પુરસ્કારોમાં ગુજરાત લલિત કલા અકાદમીના એવોર્ડ (૧૯૬૮, ૮૫), યુનિસેફ- જીનીવા (૧૯૭૨), કાલીદાસ સમારોહ ઉજજૈન (૧૯૭૮, ૭૯), ગુજરાતી સાહિત્ય સભા- અમદાવાદ (૧૯૮૫)માં સૌપ્ય ચંદ્રક, કલાક્ષેત્રના શ્રેષ્ઠ પ્રદાન બદલ જાયન્ટસ ગ્રુપ ઓફ ગ્રેટર સુરત (૧૯૮૭)માં સન્માન, રોટરી કલબ ઓફ સુરત (૧૯૯૩)નો વોકેશનલ એવોર્ડ વિ. મુખ્ય ગણાવી શકાય. ૧૯૭૯માં ગોવર્ધન-મથુરાના પ્રાચીન ભીંતચિત્રોની અનુકૃતિ ઉતારવામાં સહકલાકાર તરીકે કાર્ય કરનાર જગદીપભાઇએ કલાકાર શ્રી વાસુદેવભાઇ સ્માર્ત સાથે ભારત સરકારના પ્રકલ્પના અનુસંધાને દક્ષિણ ગુજરાતના જૈન મંદિરોના ભીંતચિત્રોની અનુકૃતિઓ તૈયાર કરવામાં પણ કામ કર્યું છે. જાણીતા લેખિકા શ્રી હિમાંશીબેન શેલત આ કલાકારનો પરિચય કરાવતા નોંધે છે ‘જગદીપ માત્ર ચિત્રકાર જ નથી.એ કાવ્યો રચે છે, રંગમંચ સજાવટ કરે છે અને કઠપૂતળી (પપેટ્રી) જેવી આકર્ષકલોકકલાની તાલિમ મેળવી ચૂકેલા કલાકાર છે.... અને તેથી જ તેમની પપેટ્રી ચિત્રશ્રેણીમાં આંખે ઉડીને વળગે એવો છે એનો રંગોનો વિનિયોગ. આ ચિત્રોમાં પેન અને ઇન્કમાં કરેલું રેખાંકન જગદીપે જે શૈલી પ્રયોજી છે તે આપણી લોકકલા પરંપરા સાથે નજીકનો સંબંધ ધરાવે છે. સ્વેત અને શ્યામ ચિત્રોમાં જેમ ફલકને ખાલી છોડવાની વિશિષ્ટ દ્રષ્ટિ પ્રગટ થતી હતી તેમ આ પપેટ્રી ચિત્રોમાં સંયોજનાની સૂઝ તરી આવે છે.' જગદીપ સ્માર્તના ચિત્રો ગુજરાત લલિત કલા અકાદમી, કલાભવન- ઉજજૈન, સુરતની વિવિધ સંસ્થાઓ ઉપરાંત દેશ-વિદેશની વિવિધ સંસ્થા અને ખાનગી સંગ્રહમાં જળવાયા છે. તેમના મ્યુરલચિત્રો સુરતની ‘નર્મદમ્યુ.કોર્પો.લાયબ્રેરી કાપડીયા હેલ્થ કલબ અને આકાશવાણી- સુરતમાં છે. ચિત્રકલા ઉપરાંત પપેટ્રી, સેટ સજાવટ, પોએટ્રી, પ્રિન્ટ મેકીંગ અને કલા અધ્યાપન એ જગદીપ સ્માર્તના રસના વિષયો છે. તેઓ ઉમદા લેખક પણ છે અને કલાપ્રકાશનો કર્યા છે. જેમાં કલાકાર શ્રી વાસુદેવ સ્માર્તના ૧૦ ચિત્રોનો સંપુટ રૂપભેદ', કલાકાર શ્રી એમ. એફ. હુસેનની આત્મકથાનો ગુજરાતી. અનુવાદ ‘દાદાનો ડંગોરો લીધો...' ઉપરાંત જૈન સંઘની સહાયથી દક્ષિણ ગુજરાતના જૈન મંદિરોના કાષ્ઠપટ ચિત્રોની શ્રી વાસુદેવભાઇ સ્મા કરેલ અનુકૃતિઓનું પ્રકાશન વ. મુખ્ય છે. ૧૯૯૮માં સ્થપાયેલ સુરતની રોટરી આર્ટ ગેલેરીના તેઓ સ્થાપક સભ્ય છે. દક્ષિણ ગુજરાતમાં વિદ્યાર્થીઓ, યુવા કલાકારોમાં કલા શિક્ષણ સહિત લલિત કલાના વિવિધ ક્ષેત્રે તેમણે કરેલા મહત્વના પ્રદાનનું મૂલ્ય ઓછું તો નથી જ. સ્વ. શ્રીવાસુદેવભાઇસ્માર્ત જેવા ભારતના એક સમર્થ ચિત્રકારની છાયામાં ઉછરવા છતાં તેમની શૈલીની જરાપણ અસરમાં આવ્યા વિના અભિવ્યક્તિની પોતાની આગવી પરિપાટીનું નિર્માણ કરી તે દ્વારા દેશ- વિદેશમાં ખ્યાતિ મેળવનાર જગદીપ સ્માર્ત એ અર્થમાં ગુજરાતનું ગૌરવ છે. * સંદર્ભ સૌજન્યઃ ‘જગદીપ સ્માર્ત’ આર્ચર (અમદાવાદ) પ્રકાશન. માસ્કસ ઈન સર્ચ ઓફ ફેઇસીઝ (એલીક) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy