SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ પ્રતિભાઓ અને રંગોનું આયોજન એ ભરત મોદીની કૃતિનું આગવું લક્ષણ છે. વચ્ચે દરિયા કિનારા અને નગર સંસ્કૃતિની આબોહવા, વાતાવરણ અને પ્રકાશને તેમણે વિવિધ રીતે રજૂ કરેલ. ભરત મોદીના તાજેતરના ચિત્રોમાં તેમણે પ્રકૃતિના વિવિધ આકારોને પારદર્શક રંગો અને બ્રશના જોરદાર સ્ટ્રોકસ વડે અસરકારક રીતે રજૂ કરેલ છે. આમ છતાં તેમનાં ચિત્રોમાં આલેખન (ડ્રોઈગ) અને રંગોના સ્ટ્રોક વચ્ચે સંવાદિતાનો અનુભવ થાય છે. ભરત મોદીના ચિત્રો આણંદથી લઇને દેશમાં યોજાતા પ્રદર્શનોમાં સ્થાન પામ્યા છે. તેમના ચિત્રો ગ્રુપ શો રૂપે ૧૯૭૯થી નવી દિલ્હી, જયપુર, અમદાવાદ, મુંબઇમાં રજૂ થયા છે. તેમના ચિત્રોનાં નિજી પ્રદર્શનો જહાંગીર-મુંબઇ (૧૯૮૧, ૮૫) કન્ટેમ્પરરી- અમદાવાદ (૧૯૮૫), રવિશંકર રાવલ ગેલેરી- અમદાવાદ (૧૯૯૬, ૯૮), ગાંધીનગર (૧૯૮૬), મુંબઇ- તાજ (૧૯૯૨, ૯૪), હેરીટેજ- દિલ્હી (૧૯૯૩, ૯૫)માં યોજાઈ ચૂક્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતાં સર્જક શ્રી જગદીપ સ્માત ‘પરંપરાગત દ્રશ્યચિત્રોના સંયોજનથી અલગ તરી આગવી રીતે ચિત્રણ કરવું એ તેમના નૈસર્ગિક રેખાંકનોની ખાસ વિશેષતા છે. પૃષ્ઠભૂમિ પર રખાતો અવકાશ એ ચિત્રોનું મહત્વનું અંગ બને છે. જેના કારણે પૂરા ચિત્રને દ્રશ્યમાં રહેલા ઉંડાણ અને છાયા- પ્રકાશને સમતોલ રાખે છે.રંગો વિના ફક્ત રેખાંકનો દ્વારા સૌંદર્ય ઝીલવાનું સહેલું નથી.' કાળી શાહી અને પેન વડે કરેલા જેમનાં દ્રશ્યચિત્રો વિષે ‘જન્મભૂમિ' (મુંબઈ-૧૯૮૬-૮૭)માં આ નોંધ પ્રકટ થઇ હતી. તે કલાકાર છે સુરતના શ્રી જગદીપ કૃષ્ણકાંત સ્માત તા. ૯ માર્ચ- ૧૯૫૬માં સુરતમાં તેમનો જન્મ. ખ્યાતનામ કલાકાર સ્વ. શ્રી વાસુદેવ સ્માર્ત તેમના કાકા થાય. તેથી જગદીપને ચિત્રકલાનો વારસો નાનપણથી જ મળ્યો. વડોદરા- ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં તેમણે કલા અભ્યાસ કર્યો. ૧૯૭૮માં પેઇન્ટીંગમાં બી.એ. (ફાઇન) અને ૧૯૮૦માં એમ. એ. (ફાઇન)ની પદવી પ્રાપ્ત કરી. પપેટ્રીની કલામાં રસ હોવાથી ૧૯૭૮માં તેમણે અમદાવાદની ‘દર્પણ' સંસ્થામાં શ્રી મેહરબેન કોન્ટ્રાકટરના સાનિધ્યમાં પપેટ્રીનો બેઝીક અને એડવાન્સ કોર્સ પૂરો કર્યો. ૧૯૮૧માં સુરતની ગાર્ડનસિલ્કમિલ્સમાં ડીઝાઇનરતરીકે કારકિર્દી શરૂ કરી. પણ તેઓ કયાંય બંધાયા નહતાં. ૧૯૮૧થી૮૩સુધી સુરતની વનસ્થલિ ફાઇન આર્ટસ કોલેજમાં કલા-વ્યાખ્યાતા તરીકે સેવા આપી. ૧૯૮૫ થી ૯૦ સુધી સુરતની શેઠ પી. ટી. મહિલા એસ. એન. ડી. ટી. કોલેજમાં એપ્લાઇડ આર્ટસના વ્યાખ્યાતા થયા. ૧૯૯૫માં સુરતની ઇન્ટીરીયર ડિઝાઇનીંગ સ્કૂલ-A.A.R.T.માં વિઝીટીંગ લેકચરર અને સુરતની એજીનીયરીંગ એન્ડ ટેકનો. કોલેજ- S.C.S.T.માં બી.આર્કમાં વિઝીટીંગ ફેકલ્ટી તરીકે કાર્યરત છે. ૧૯૮૨ થી ૯૪ સુધી શિક્ષણ વિભાગ અને ગુજરાત રા. લલિત કલા અકાદમી યોજીત આર્ટ ટીચર્સ, અને આર્ટીસ્ટના વિવિધ કેમ્પમાં ભાગ લીધો છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ માટેના પેઇન્ટીંગના વિવિધ વર્કશોપ- સુરત- દક્ષિણ ગુજરાત યુનિ.(૧૯૮૬), રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત (૧૯૮૯ થી ૯૨), અમદાવાદ (૧૯૯૬) પપેટ્રી વર્કશોપભાવનગર (૧૯૯૧) ઉપરાંત ૧૯૯૩ થી ૯૫- ત્રણ વર્ષ સુરતમાં ચિત્ર સંગીત નાટય અને કાવ્યના કલા મહોત્સવનું આયોજન અને પ્રદર્શનો કર્યા છે. શૈક્ષણિક હેતુ માટે શેરી- ગલીઓ, શાળાઓ, નવો રસ્તો (દ્રશ્યચિત્ર) તેમને મળેલા પુરસ્કારોમાં ગુજરાત લ. કલા અકાદમી (૧૯૭૩, ૯૧- પેઇન્ટીંગ), (૧૯૭૬, ૮૮- ગ્રાફીકસ), અમૃતસર (૧૯૮૩), રાયપુર- સિલ્વર મેડલ(૧૯૮૬, ૮૭-પેઇન્ટીંગ, ૧૯૯૧-ગ્રાફીકસ), અ. યુ. કોર્પો. (૧૯૯૦), હૈદ્રાબાદ આર્ટ સોસાયટી સુવર્ણજયંતિ પ્રદર્શન (૧૯૯૧), બોમ્બે આર્ટ સોસાયટી શતાબ્દી વર્ષ પ્રદર્શન (૧૯૯૨) વ.નો સમાવેશ થાય છે. વિવિધ કલાશિબિરોમાં નિષ્ણાત તરીકે ભાગ લીધો છે. ભરત મોદીના ચિત્રો એર ઇન્ડિયા, જી.એસ.એફ.સી., આઇ.પી.સી.એલ. તાજ હોટેલ જેવી સંસ્થાઓથી લઇને ભારત અને ન્યૂ-જર્સી- યુ.એસ.એ ના અનેક પ્રાઇવેટ સંગ્રહમાં છે. તેઓ વલ્લભવિદ્યાનગર કલાકાર ગ્રુપA.R.R.B. ના એક સભ્ય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy