SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ મૂર્ત અને અમૂર્ત આકારોનો સમન્વય સાધતા કલાકાર શ્રી રણવીર ચૌહાણ ‘જીવનના અમૂર્ત તત્વોને વ્યક્ત કરવા તેઓ નક્કર કારો અને રંગોના બાછા-ઘેરા સપાટાથી એક ચોક્કસ પ્રકારના લયનું નિર્માણ કરે છે. તો વળી ક્યાંક અમુક ચોક્કસ રંગની ચળકતી સ્પાર્ક લાઇનના કોમળ સ્પર્શ થકી આપણા ભાવ જગતને ઉપરતળે કરી મૂકે છે. એક આકારથી અન્ય આકાર સુધી અમૂર્ત રૂપાકારોની એક શ્રૃંખલા સર્જે છે, જે દર્શકને મૂર્ત આકારોના આલંબન દ્વારા અમૂર્ત વિશ્વના પ્રવેશ દ્વારે ખડો કરી દે છે. તેમની આધુનિક ચિત્રશૈલીમાં માત્ર વર્તમાનનું જ પ્રાકટય નથી. તેમની કલા તો મનુષ્યના આદિબોધથી બંધાયેલી છે અને એટલે જ તે નિત્ય નવાં રૂપો સર્જતી જાય છે.’ જાણીતા કવિ શ્રી જહેન્દ્ર શેખડીવાલાએ આ શબ્દોમાં જેની સર્જનાત્મક્તાનો પરિચય આપ્યો છે તે કલાકાર છે વલ્લભવિદ્યાનગરના શ્રી રણવીરસિંહ નાચુસિંહ ચૌહાણ તા.૨૨ સપ્ટે, ૧૯૫૧માં દેવગઢ બારીયા (જિ.પંચમહાલ)માં તેમનો જન્મ. કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટસ-વલ્લભવિદ્યાનગરમાં ઉચ્ચ કલાનો અભ્યાસ કરી ૧૯૭૪માં પેઇન્ટીંગમાં ડિપ્લોમા મેળ્યો. ૧૯૭૫થી પોતે એ જ સંસ્થામાં કલા-વ્યાખ્યાતા તરીકે સેવા આપી રહ્યા છે. અનેક યુવા ક્યાર્થીઓને ચિત્રકલાની તાલિમ આપવાની સાથે નિજી કલા સાધનોનું સાતત્ય જાળવી રહ્યા છે. કોલ્ડસન (એક્રેલીક Jain Education International એક્રેલીક અને તૈલરંગી માધ્યમમાં કામ કરતા રણવીર ચૌહાણ કોઈ ખાસ કોલીને મહત્વ આપ્યા વિના કલાના વર્તમાન પ્રવાહમાં જોડાઇને સર્જનાત્મક અભિવ્યક્તિ આપે છે. ૧૯૭૫થી તેમના ચિત્રો ગ્રુપ શો રૂપે મુંબઇ, મદ્રાસ, વ. વિ. ભોપાલ વ.માં રજૂ થયાછે. ૧૯૮૫માં અમદાવાદમાં વન મેન કો યોજાર્યો. તેમની કૃતિઓ રાજય અને રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનોમાં પ્રદર્શિત થઇ છે. અને તેમને પુરસ્કારો પણ પથ પ્રદર્શક મળ્યા છે. જેમાં ગુજરાત લ.કલા અકાદમી ૩ ઇનામ (૧૯૭૨, ૭૩, ૭૪), બોમ્બે આર્ટ સોસાયટી પ્રદર્શન (૧૯૭૪)માં રજતચંદ્રક, રાયપુર મહાકોશલ કલા પ્રદર્શનમાં એવોર્ડ (૧૯૮૮). ઉપરાંત ૧૯૯૩માં તેમની કૃતિ 'વિઝન'ને વર્ષની શ્રેષ્ઠ કૃતિનો સુવર્ણચંદ્રક મળેલ છે. આઈફેકસ પોજીત ઓલ ઇન્ડિયા પ્રદર્શન અમૃતસર (૧૯૯૬)માં સિલ્વર પ્લેક તેમજ ઉજજૈન કાલીદાસ સમારોહમાં સન્માનપત્ર (૧૯૯૫)વ. નો સમાવેશ થાય છે. રાજય લલિત કલા અકાદમી ઉપરાંત વિવિધ સંસ્થાઓ આપો ત કલા સેમિનારોમાં તેમણે સેવા આપી છે. રણવીર ચૌહાણના ચિત્રો ગુજરાત લ. કે. અકાદમીથી લઇને દેશ-વિદેશના અનેક પ્રાઇવેટ સંગ્રહમાં સ્થાન પામ્યા છે. તેઓ વલ્લભવિધાનગર ચાર કલાકારોના વૃંદ" A.R.R.B ના સભ્ય છે. ક્લાકેન્દ્ર કોલેજ- જે હવે ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇનઆર્ટસનરીકે ઓળખાયછે. તેની સ્થાપનાની ચાર દાયકાની પ્રગતિની ઝાંખી કરાવતા સ્મૃતિસ્તંક ‘આકાર અને આકૃતિ'નું અન્ય પ્રાધ્યાપકોના સહકારમાં રણવીર ચૌહાણે કરેલાં સંપાદનમાં તેમની સંકલનસૂઝ અને કલા દ્રષ્ટિના દર્શન થાય છે. પ્રભાવવાદી દ્રશ્યચિત્રોના સર્જક શ્રી ભરત મોદી ‘તેમના કેનવાસમાં સમર્પણની ભાવનાની સાથે મૌલિકતાના દર્શન થાય છે. તેઓ ભારતીય પ્રાદેશિક દ્રશ્યચિત્રની ગુણવત્તાને અતિ વાસ્તવિકતા સાથે સમજણપૂર્વક રજૂ કરી શકે છે.’ જેમની કલા-મિક્તિને માટે આ અવતરણ કહેવાયું છે તે કલાકાર છે વલ્લભવિદ્યાનગરના શ્રી ભરતકુમાર ચંદુલાલ મોદી તા.૨૩માર્ચ-૧૯૫૩માં અમદાવાદમાં તેમનો જન્મ. શેઠ ચી. ન. કલા મહાવિદ્યાલયઅમદાવાદમાં અભ્યાસ કરી. ૧૯૭૪માં પ્રથમવર્ગ સાથે પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ થયા. ૧૯૭૪-૭૫માં વડોદરા ફાઇન આર્ટ ફેકલ્ટીમાં પેઇન્ટીંગનો અભ્યાસ કર્યો. ૧૯૮૪માં વનસ્થલી વિદ્યાપીઠ (રાજસ્થાન)માં ફ્રેસ્કો પેઇન્ટીંગનો અભ્યાસ કર્યો. ૧૯૭૭થી વલ્લભવિદ્યાનગર કલાકેન્દ્ર કોલેજ (હવે ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટસ)માં પેઇન્ટીંગ વિભાગમાં કલા વ્યાખ્યાતા તરીકે સેવા આપવાની સાથો સાથ નિજી કલા સાધના પણ કરતા રહ્યા છે. પોતાના દ્રશ્યચિત્રમાં પ્રકૃતિની નજીક રહીને વાતાવરણની અસર નિપજાવી તેમને પસંદ છે. એકમેકમાં મળી જતા આકારો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy