SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ જેવી કે વાવાઝોડું શ્રેણી, મેન એન્ડ ફીશ શ્રેણી, એઇડઝ શ્રેણી, આફટર ડીઝાસ્ટર શ્રેણી, મેન એન્ડ નેચર શ્રેણી વ. દર વર્ષે થયેલાં તાજાં ચિત્રોને ગ્રુપ શો રૂપે ૧૯૮૨ થી તે છેક આજ-૨૦૦૪ સુધી રાજકોટ ઉપરાંત અમદાવાદમાં રજૂ કરી ચૂકયા છે. નવનીત રાઠોડનીત-નવ કલ્પનની બોલ્ડરજૂઆત કરતા કલાકાર તરીકે જાણીતા છે. કલ્પન ભલે એ જ -આકાશ ધરતી, માનવ, વૃક્ષ વ.નું- અજાગૃત મનમાં ઉઠતાં તરંગોનું પણ આ તરંગો શેખચલ્લીના તરંગો નથી.આ તરંગો પાછળ એક ચૌક્કસ વિચાર, વિષય કે થીમ હોય છે. ચોક્કસ રચના બંધો હોય છે. રજૂઆતમાં જાગૃત માનસનો સથવારો, વર્તુળ, ચોરસ, લંબચોરસ વ. જેવાં ભૌમિતિક ખાનાઓની. વચ્ચે આળોટતાં, અટવાતાં નિરાવરણીય કે ખંડ-વિખંડ થયેલા માનવ શરીરો, તેની ચિત્રસૃષ્ટિનું મહત્વનું પરિબળ બની રહે છે. નવનીત રાઠોડના કેનવાસનું રૂપ તેનું સ્પેસ વિભાજન છે. તેણે છોડેલા આ અવકાશમાં આકારો આળોટે છે, ઉડે છે, તરે છે, અને એ આકારો, ટાંકાથી કે રેખાઓથી સંયોજાય છે. પેન, ઇન્ક, તૈલરંગો-જલરંગો તેના માધ્યમો છે. કાળી શાહીના પેન-લસરકામાં સ્તર વૈવિધ્ય, છાયા-પ્રકાશનું ઉંડાણ તેમજ જાળીદાર ટેચરના કારણે એકરંગી હોવાં છતાં આકર્ષે છે. તેજસ્વી બોલ્ડ રંગોની જેમ મૃદુરંગો નો Jપણ તે સુમેળ સાધે છે. I૧૯૮૧ થી જ તે રાજય અને નવ વિ ધ ત ૨ ૧ ય પ્રદર્શનોમાં કતિ અને | મેન એન્ડ ફીશ (પેન.. ઇન્ક) Jપ્રદર્શિત કરે છે. તેમને અનેક પારિતોષિક મળેલા છે. જેમાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ-મુંબઈ (૧૯૮૩), અ.મ્યુ.કોર્પો. (૧૯૮૭), રાયપુર (૧૯૯૧, ૯૨), વિશાખાપટ્ટનમ (૧૯૯૯), ફૂલછાબ પ્લેટીનમ જયંતી પ્રદર્શન (૧૯૯૬)માં સ્મૃતિચિહન સહિત અનેક સન્માનો મળ્યા છે. શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ શતાબ્દી વર્ષમાં શાળાનાં શ્રી વિજયભાઇ ધોળકીયા સ્મૃતિ હોલમાં તેમના ચિત્રોનો વન મેન શો યોજાએલો. ગુજરાત રાલલિત કલા અકાદમી યોજીત ‘ચાઇલ્ડ પેઇન્ટીંગ વર્કશોપ રાજકોટ (૧૯૯૧, ૯૪)માં તેમણે માર્ગદર્શન આપેલ છે. અનેક સંસ્થાઓ દ્વારા નિર્ણાયક તરીકે તેમની સેવા લેવાઇ છે. નવનીત રાઠોડ સંનિષ્ઠ કલાશિક્ષક અને પ્રયોગશીલ કલાકાર છે. પથ પ્રદર્શક ગ્રાફીક કલાકાર શ્રી મહેન્દ્ર પરમાર કલાસર્જન તો કયારેક આપ મેળે થઇ જતું હશે. બાકી તો થોડા કેળવાયેલા હાથ તથાબુધ્ધિની કસરતથી વિશેષ કશું જ નિપજતું હોતું નથી.” કલા અને કલાસાધના વિષે આવી ‘બોલ્ડ' માન્યતા ધરાવતા ચિત્રકાર છે રાજકોટના - શ્રી મહેન્દ્ર નાનજી પરમાર તા. ૬ માર્ચ-૧૯૫૮માં રાજકોટમાં 14 તેમનો જન્મ. અભ્યાસ મેટ્રીક સુધી. ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ રાજકોટની કચેરીમાં ટ્રેસર-કમ-કલાર્ક તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર પરમારે રાજકોટના કલાકારો સ્વ. શ્રી. સનતભાઈ ઠાકર અને સ્વ. શ્રી મનહરભાઈ મકવાણાના સાનિધ્યમાં અનુક્રમે તૈલરંગી ચિત્રણા અને ગ્રાફીક કલાની તાલિમ લીધી છે. તૈલરંગો, જલરંગો, ચારકોલ અને વુડકટ વ.તેના માધ્યમો છે. મહેન્દ્રના તૈલરંગી ચિત્રોમાં લગભગ નિરાવરણીય માનવકૃતિઓના સંયોજનો કોઇ ખાસ સહેતુક મનોભાવોને નિરૂપે છે.વિગતો વિનાના ચહેરાયુક્ત આ માનવપાત્રો વડે તે સ મા જ જી વ ન ની નિરર્થકતા, અંધકારપૂર્ણ મૂઢ ચેષ્ઠાઓ કે વિકૃતિઓ અને દંભી સમાજની પોકળતા પરના વ્યંગને પ્રતીકોની મદદથી સાકાર કરે છે. આ ચિત્રોની સરખામણીમાં તેનાં ગ્રાફીક પ્રિન્ટસ પતંગિયાની પાંખની હળવાશનો સ્પર્શ કરાવે પાનીમેં મીન પિયાસી (ગ્રાફીક) તેવાં કાવ્યાત્મક અને પ્રતીકોની ભાષાના સહારે ‘અસ્તિત્વના નાજુકપાસાંઓનાં સૌંદર્યબોધને રજૂ કરતાં લાગે. હોડીઓ, માછલીઓ, સુર્ય, કૂકડો વ. આકારોને તે વૂડકટમાં બે કે ત્રણ રંગોનાં સુમેળમાં એવા સુંદર રીતે રજૂ કરે છે કે, ચિત્ર જાણે રેશમપટ્ટ પર દોર્યું હોય તેવું લાગે. ગુજરાત બહાર અને ગુજરાતમાં www.jainelibrary.org Jain Education Intemational For Private & Personal Use Only
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy