SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ સાધના કરી છે. વિવિધ ઋતુઓના ભિન્ન ભિન્ન રૂપોને ચિત્રરૂપે જીવંત કર્યા છે. શહેર-ગામડાની શેરીઓના દ્રશ્યો ચિતર્યા છે. લોકોની વચ્ચે જઇ કામ કરવામાં કલાકારની ધીરજ અને તિતીક્ષાની કસોટી થાય છે. તેઓ માનતા કે ‘જે દ્રશ્ય સ્ટુડિયોના બંધિયાર વાતાવરણમાં કલ્પના વડે ઉપસાવીએ, તેના કરતાં કુદરતના સાનિધ્યમાં જઇને ચિતરવાનો આનંદ કંઇ ઓર જ હોય છે.' અશ્વિન વ્યાસના પ્રકૃતિમઢયા દ્રશ્યચિત્રો એટલે શિયાળાના હરિયાળા ખેતરોની હૂંફ, ઉનાળાના તાપની શિતળતા, વર્ષાના તાંડવમાં સ્થિતપ્રજ્ઞ યોગીની સ્થિરતા અને શેરી-ગલીઓમાં રમાતી છાયા-પ્રકાશની સાતતાળી ! શુધ્ધ અને તેજસ્વી રંગોથી ઉભરાતાં, વિગતો વિનાના પારદર્શી દ્રશ્યચિત્રો એટલે તેમના જ વ્યકિતત્વનું જાણે પ્રતિબિંબ ! રંગની આરપાર કાગળને સ્પર્શી શકાય તેમ આ કલાકારની પારદર્શી સરલતાને માણી શકાય. રાજકોટના રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત છ કલાકારોના વૃંદ ‘ગૃપ સિકસ’ના તેઓ એક સભ્ય હતા. આ વૃંદ યોજીત પ્રદર્શનોમુંબઇ, દિલ્હી, ડૈસૂર, કલકત્તા જેવા મહાનગરોમાં યોજાયેલા. સૈસૂર દશેરા પ્રદર્શનમાં તેમને ઇનામ મળેલું. ઇ. ૧૯૫૯માં રાજકોટ ખાતે યોજાએલ ‘સૌરાષ્ટ્ર કલા મંડળ'ના પ્રદર્શનમાંપ્રથમવાર તેમનાં ચિત્રો પ્રદર્શિત થયેલા. ૧૯૭૨માં લલિત કલા અકાદમીની સહાયથી રાજકોટમાં નિજી પ્રદર્શન યોજેલું. અશ્વિન વ્યાસનાં દ્રશ્યચિત્રો રાજકોટની વિવિધ સંસ્થાઓ- વ્યકિતઓનાં સંગ્રહ ઉપરાંત ભારત, તથા લંડન, દુબઇ, સ્કોટલેન્ડ, અમેરિકા વ.ના કલાચાહકોનાં સંગ્રહમાં જળવાયા છે. પોતે સંનિષ્ઠ કલાશિક્ષક તરીકે રાજકોટની આઇ.પી. મિશન Jain Education International પથ પ્રદર્શક સ્કૂલ તથા પછી શ્રી દેવકુંવરબા મીડલ સ્કૂલમાં સેવા આપી. તેઓ માનતા કે નાના બાળકોની ચિત્રસ્પર્ધાઓ બંધ ઓરડાઓમાં નહીં, પણ ખુલ્લા મેદાન કે બગીચાઓમાં યોજાવી જોઇએ. તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓને આગવી તાલીમ આપી છે. તેમના નામી શિષ્યોમાં રાજકોટનાં પ્રેમ નમ અને તનસુખ મહીચા(અમદાવાદ) મુખ્ય છે. તેઓ વિવિધ કલાસંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાએલા હતા. જેમાં સૌરાષ્ટ્ર કલા મંડળ, ફાઇન આર્ટસ સોસાયટી, ગ્રુપ સિકસ તથા રાજકોટ કલાશિક્ષક સંઘનો સમાવેશ થાય છે. ‘શ્રી અશ્વિન વ્યાસના ચળાતા રંગોથી ઉભરાતા ભૂમિ દ્રશ્યો રંગની ઊજાણી કરાવે છે. કયાંક કયાંક તો રંગોની માવજત વિખ્યાત કલાકાર એડવર્ડ માનેનું સ્મરણ કરાવી જાય છે.' મુંબઇની જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાએલા ગ્રુપ સિકસના પ્રદર્શનની નોંધ લેતા ‘જન્મભૂમિ’ના કલાસમીક્ષકે કરેલા આ વિધાનના સંદર્ભમાં જોઇએ પીગળતું શહેર (જલરંગી દ્રશ્યચિત્ર) For Private & Personal Use Only તો સમગ્ર ગુજરાતની કલાસમૃદ્ધિમાં પારદર્શીજલરંગોનીસિધ્ધિને વરેલા કલાકારો આંગળીને વેઢે ગણાય તેટલાં જ.તેમાંના એક શ્રી અશ્વિન વ્યાસ હતા. ઇ. સ. ૧૯૬૨માં સરલ હૃદયી અને વ્યવહારકુશળ શ્રી સરલાબેન દવે સાથે તેમના લગ્ન થયા. અશ્વિન વ્યાસના કલામય જીવન અને સંઘર્ષકાળમાં શ્રીમતી સરલાબેનનો હૂંફાળો સહકાર પ્રેરક પરિબળ રહ્યો. તા. ૩૧ જાન્યુઆરી૧૯૮૬માં બાવન વર્ષની વયે આ કલાકારનું અવસાન થયું. પોતાના ‘નયન'ની ‘તેજસ’, ‘રશ્મિ’ વડે દ્રશ્યચિત્રણામાં અનોખી ‘જાગૃતિ’ આણનાર આ કલાકાર કદી વિસરાશે ખરાં ! ! * સંદર્ભ - સૌજન્ય : ૧. સૌરાષ્ટ્રની કલાકિર્તી- ફૂલછાબ. લે. અરવિંદ ધોળકિયા. ૨. ગુજરાત (સાપ્તાહિક-૧૩-૧૨-૮૫) લે. ડો. એસ. એસ. રાહી. www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy