SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ શાંતિનિકેતનના કલાસાધિકા સ્વ. શ્રીમતી મૃદુલાબેન ઠાકર ‘મૃદુલા આજે સાસરે જાય છે’ શાંતિનિકેતન કલાભવનમાંથી દિક્ષિત થઇને ગુજરાતની એક સુપુત્રી વિદાય લેતી વેળાએ કલાચાર્યશ્રી નંદલાલ બસુને વંદના કરે છે ત્યારે શકુંતલાને વળાવતી વખતે ગદ્ગદિત થયેલા કણ્વઋષિની જેમ ‘માસ્ટર મોશાય' ઉપરોક્ત શબ્દો ભાવ વિહ્વળ આંખે પોતાના પત્ની સુધીરાદેવીને કહે છે ! આજથી સાત દાયકા પહેલા આવો ‘નવો અવતાર' પામીને સાચા અર્થમાં ‘દ્વિજ' બનીને છેક બંગાળમાં ગુજરાતનું ગૌરવ સ્થાપિત કરનાર એ કલાસ્નાતિકાનું નામ છે, શ્રીમતી મૃદુલાબેન એલ. ઠાકર. તા. ૨૮ ડીસે. ૧૯૧૫માં વઢવાણ સીટી(સૌરાષ્ટ્ર)માં તેમનો જન્મ. રાષ્ટ્રીયતાના એ જમાનામાં જયારે સ્ત્રી શિક્ષણ સાવ તળિયે હતું ત્યારે ચિત્રકલા જેવી લલિત કલાની સાધના માટે પુત્રીને છેક બંગાળ- શાંતિનિકેતનમાં મોકલનાર મૃદુલાબેનનું કુટુંબ રૂઢિચૂસ્ત ન હતું. સદ્ભાગ્યે પિયરની સાથે સાસરીયા બન્ને પક્ષની પ્રેરણા અને સહકાર તેમને મળ્યા. લગ્ન કરીને મુંબઇ ગયા ત્યારે સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. એમાં બે વર્ષ તો તેમને શિષ્યવૃત્તિ મળેલી. કલાકાર વિનાયક માસોજીની પ્રેરણાથી તેઓ શાંતિનિકેતનમાં જોડાયા.જયાં ગુરૂદેવટાગોરથી લઇને કલાચાર્ય નંદલાલ બોઝ, વિનોદ વિહારી મુખરજી, રામકિંકર બૈજ, ગૌરીદીદી તથાવિસુદા જેવા કલાકારોના માર્ગદર્શનમાં ચાર વર્ષ અભ્યાસ કરી પેઇન્ટીંગ વિષયમાં ડિપ્લોમા (સ્નાતિકા)ની પદવી પ્રાપ્ત કરી. શાંતિનિકેતનના ચાર વર્ષ દરમિયાન મૃદુલાબહેન જલરંગો,ટેમ્પરા રંગોતથાબંગાળી રંગોળી (અલ્પના)ની કલા શીખ્યા. આછાં Jain Education International ૩૦ પારદર્શક રંગો, કંઇક અંશે દૂબળા-પાતળા પાત્રો તથા માધુર્યભાવ સભર રંગયોજના જેવી બંગાળસ્કૂલની અસ૨તેમના ચિત્રોમાં જોવા મળે છે. અલ્પનાનો તેમણે ઊંડો અભ્યાસ કરેલો. રાજકોટમાં હતા ત્યારે આ વિષયનું એક પુસ્તક પ્રકટ કરવાની પણ તેઓએ તૈયારી કરેલી. મૃદુલાબેન ઠાકર હંમેશા સ્પર્ધા, પ્રદર્શનો કે ઇનામોની ઝાકમઝાળ કારકિર્દીથી દૂર રહ્યા હતા. ભણતાં ત્યારે બોમ્બે આર્ટ સોસાયટી કે શાંતિનિકેતનનાં પ્રદર્શનોમાં ભાગ લેતા ખરાં. છેક ૧૯૩૪માં જયારે જીવનની વીસી પણ વટયા ન હતા ત્યારે ઓલ ઇન્ડિયા વિમેન આર્ટ એકઝીબીશનમાં તેમના એક ચિત્રને સુવર્ણ ચંદ્રક મળેલો ! આ ચિત્રને પછીથી ચીફ જસ્ટીસ શ્રી હરસિધ્ધભાઇ દિવેટીયાએ ખરીદેલું. તેમનું એક ચિત્ર અખિલ ભારતીય પ્રદર્શનના ધો૨ણે લંડન ખાતે પ્રદર્શિત થયેલું. ‘જો મૃદુલા, સાંસારિક ફરજોમાંથી છટકીને તારે કલાસાધના કરવાની નથી. કલા અને જીવનને તારે તાણાં અને વાણાંની જેમ વણી લેવાનાં છે.' ગુરૂદેવ ટાગોર અને કલાચાર્ય નંદલાલ બોઝની આ શીખને તેમણે આજીવન નિભાવેલી. સાંસારિક ફરજોમાં ચિત્રસર્જનનો સમય ભલે ઓછો મળતો, પણ પરોક્ષ રીતે તેંમણે કલાનો વિનિયોગ પોતાના ગૃહજીવનમાં વંદના (ટેમ્પરા રંગ) For Private & Personal Use Only સાંકળી લીધો હતો. પોતાના બન્ને પુત્રોને સુશિક્ષિત અને ઉત્તમ નાગરિક બનાવી દેશ પ્રત્યેની ફરજ નિભાવી. બન્ને ઇજનેર છે. મોટા ભરતભાઇ અમેરિકા છે. બીજા અમીતભાઇ મહારાષ્ટ્ર-સાંગલી ખાતે રહે છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કેળવણીકાર દંપત્તિ શ્રી ગુલાબભાઇ જાની અને શ્રીમતી ઉષાબહેન જાનીના પોતે સંબંધમાં ‘કાકીમા’ થતાં હતા. છેલ્લે સાંગલી હતા ત્યારે ૭ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું. કલા-આકાશમાં એક ઘર-દીવડીની જેમ પ્રકાશીને પોતાના સૌમ્ય કિરણોથી નિજ જીવન અને સંસારમાં કેવો પ્રકાશ રેલાવી શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રીમતી મૃદુલાબહેન ઠાકરે પુરું પાડયું છે. www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy