SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ લલિત કલા હોય કે વ્યાવસાયિક કલામાં તેમણે કરેલા આજીવન પ્રદાનને ધ્યાનમાં રાખેલ છે. આવા કલાકારો એકાંગી સિદ્ધિઓના બદલે પોતાની ક્લાથી સામાજિક - સાંસ્કૃતિક ક્ષેત્રે કલા સંવર્ધનમાં સર્વોચ્ચ સાબિત થયા છે, તેવા કલાકારો પણ અહીં સમાવિષ્ટ કરાયા છે. ગુજરાતના માત્ર અમદાવાદ - વડોદરાના કલાકારોમાંથી પસંદગી કરવાના બદલે કચ્છ, સૌરાષ્ટ્ર કે ગુજરાતના કોઈપણ ભાગના મૂળ વતની હોય અને ગુજરાત બહાર સ્થાયી થઈને પોતાની કારકિર્દીથી નામના પામ્યા હોય તેવા કલાકારોને પણ અહીં સ્થાન આપ્યું છે. મુંબઈ સ્થાયી થયેલા મૂળ ગોંડલના વતની પ્રાણીચિત્રકાર રવિશંકર પંડિત મોણપરી (તા. ગોંડલ)ના 'કલાબ્ધિ', શિહોરના ‘ટોપવ્યુ ચિત્ર સર્જક' જયંત સિદ્ધિપુરા, વલ્લભીપુર – વળાના વૃજલાલ ત્રિવેદી, મૂળ કાલાવડના વતની પોંડિચેરીના કૃષ્ણલાલ ભટ્ટ, અગતરાય (તા. કેશોદ, જિ. જૂનાગઢ)ના ગોકુલદાસ કાપડિયા, વઢવાણના પણ દુર્ગ (મ.પ્ર.) જઈ વસેલા જયંતભાઈ શુક્લ, ભૂજ - કચ્છના એલ.કે, સોની, રૂપમ કે નારદ જેવા કલાસાધકો આ શ્રેણીમાં સ્થાન કે પામ્યા છે. અત્રે રજૂ થયેલા દરેક કલાકાર પોતપોતાની રીતે વિશિષ્ટ છે. કલાસાધના હોય કે કલા-અધ્યાપન, કલામર્મજ્ઞ હોય કે કલાલેખન, કાર્ટૂનિસ્ટ હોય કે ઇલસ્ટ્રેશનના કલાકાર, અન્ય માધ્યમો - બાટીક, મોઝેઇક, કટાવકામ કે પછી ટેક્ષટાઇલ ડિઝાઇનર-સંશોધક - આ દરેક ક્ષેત્રોને સાંકળી લઈને ક્વાભિવ્યક્તિના વિશાળ વ્યાપને આવરી લીધેલ છે. 'કુમાર' કલા અંક (ડિસેમ્બર ૧૯૬૭)માં શ્રી મહેન્દ્રભાઈ દવેએ ક્લા અને કલાકારની સમજણ આપતાં લખ્યું છે કે – ‘ક્લા એટલે જીવનની સૌંદર્યમય અનુભૂતિ' એક નાનું ફૂલ પણ ખીલીને બહાર આવ્યું એ મૂળની ગવાહી દે છે તેમ એકાદ પંક્તિ, એકાદ રેખા પણ કોઈક આંતરિક ચૈતન્યની ગવાહી દે છે. નાનૃષિઃકવિરુëત્' - અર્થાત ઋષિ થયા વિના કલાકાર થવાય જ નહિ અને ‘ઋષિધ્ધ કિલ દર્શનાત્” ઋષિ તો દર્શનથી જ થવાય. જેની દ્રષ્ટિ ક્ષણને યુગના સંદર્ભમાં તત્કાલ જોઈ શકે ને ઋષિ છે અને પછી એ જ ક્ષણ ફરી પ્રગટ કરી શકે તે કવિ – કલાકાર માટે કેવળ ‘દર્શનાત્ વર્ણનાત્ કવિ - દર્શનની સાથોસાથે સર્જન કરવાની શક્તિથી કલાકાર બનાય.' Jain Education International આવા ઋષિ સમાન કલાકારોની કેટકેટલી પેઢીઓ ગુજરાતે નિહાળી છે. તેમનાં પગલાંને અનુસરવાની સાર્થોસાથ પોતપોતાનાં આગવાં વ્યક્તિત્વ અને વિશિષ્ટ પ્રદાનથી સાચા અર્થમાં ‘પથપ્રદર્શક પ્રતિભાઓ' બની ચૂકેલા કેટલાક કલાકારોને રજૂ કરતી પરિચય શૈલી, 'રૂપ રંગ અને રેખાના સર્જકો' રાજકોટના કલાકાર પ્રતાપસિંહ જાડેજાએ પશ્ચિમ લઈને તૈયાર કરી આપી છે. છેલ્લા ચાર દાયકાથી 'ફૂલછાબ'માં પ્રગટ થતી વાર્તાઓના ચિત્રકાર અને ૧૯૯૦થી કલાકોલમ 'રંગ, રૂપ અને રચના'નું લેખન કરનાર આ કલાકારનો પરિચય લેખમાળાના સમાપનમાં રજૂ કરેલ છે. કહ્યું છે ને કે - મધુરેણ સમાપયેત...! E PAPER B પૌરાણિક વાર્તાનું સંયોજન - રેખાંકન : પ્રતાપસિંહ જાડેજા R For Private & Personal Use Only 303 www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy