SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પથપ્રદર્શક જ છે “રૂપ, રંગ અને રેખાના સર્જકો' જે લેખમાળા વિષે થોડુંક... આ નંદલાલ 5 - સંપાદક ગુજરાતના સ્વ. કલાગુરુ શ્રી રવિશંકર રાવળથી શરૂ થયેલી ગુજરાતની કલા-નવજાગૃતિએ ગત આઠ દાયકામાં અનેક પરિમાણો સ્થાપિત કર્યા છે. એ પેઢીના કલાકારોની વાસ્તવિક અભિવ્યક્તિની સાથે બંગાળ સ્કૂલની અસરવાળી વોશમેથડ ચિત્રશૈલી, પરંપરાગત પરિપાટીને અનુસરવા છતાં વસ્તુલક્ષી, શોભનયુક્ત અને લોકકલાની સરવાણી – આકારો, રંગો, અલંકરણોના ઉમેરણમાંથી પ્રકટેલી અલંકારિક ચિત્રશૈલી, પછી પશ્ચિમની ગતિશીલ કલાધારાની અસર નીચે વિકસેલા પ્રયોગાત્મક કલાપ્રવાહ, જેમાં ઇઝેશનિઝમથી માંડી એક્સ્ટ્રકશન રૂપમાંથી અરૂપ અને કેટલીકવાર વિરૂપમાં પરિવર્તિત કલાપ્રવાહ અને છેવટ કાગળ, કાચ, પતરું, લાકડું, ખીલી-ખીલા વ. જેવાં ઘન માધ્યમોના સંયોજનમાંથી સર્જેલાં કોલાજ અને મિક્સ મિડિયા ચિત્રો સુધીની કલાયાત્રામાં ગુજરાતના કલાકારોએ કરેલું પ્રદાન અને સિદ્ધિઓ આજે રાષ્ટ્રીય સીમાડા વળોટીને આંતરરાષ્ટ્રીય કલાવિશ્વનાં દ્વાર ખોલાવી શક્યાં છે. આ કલાયાત્રામાં ગુજરાતનાં મહિલા કલાકારો પણ પાછળ નથી રહ્યાં. સ્વ. ડૉ. મનુભાઈ ભટ્ટ ‘ગુજરાતમાં આધુનિક ચિત્રકલાનાં વહેણ’ નામક લેખ (વિદ્યાપીઠ' “ | દ્વિમાસિક)માં ગુજરાતના આ કલાસ્રોતને નીચે મુજબ ત્રણ પ્રવાહોમાં વહેચતાં નોંધ્યું છે : (૧) ભારતીય પરંપરાપ્રેરિત પુનરુત્થાનની ભાવનાવાળો પ્રવાહ : તેની વસ્તુલક્ષી, સુશોભનાત્મક અને લોકકળાની સરવાણી સહિત. - (૨) વાસ્તવલક્ષી કલાશાળાઓની પરંપરાયુક્ત પશ્ચિમની પદ્ધતિનો પ્રવાહ : નિસર્ગ દશ્યો, પ્રતિકૃતિ કલા વ. (૩) પ્રયોગાત્મક કલાપ્રવાહ: પશ્ચિમની ગતિશીલ કલાધારાના પ્રવાહની અસર નીચે વિકસેલો, ઇગ્નેશનિઝમથી માંડી એક્સ્ટ્રક્શન પેઇન્ટિગથી પણ આગળ વધતો પ્રવાહ પ્રથમ પ્રવાહમાં સમાયોજનો સુશોભનાત્મક તેમજ કથાતત્ત્વવાળાં કે વિશિષ્ટ પ્રસંગયુક્ત હોય છે. કલાગુરુ રવિશંકર રાવળની ‘ગુજરાત કલાસંઘ ચિત્રશાળા' માં તૈયાર થયેલા કલાકારોને એ પદ્ધતિમાં ઉલ્લેખ કરી શકાય. લોકકળાને ચિત્રની પરિપાટીમાં ગૂંથવાનો પ્રથમ યશ લાઠીના કુમાર શ્રી મંગળસિંહજીને છે. ખોડીદાસ પરમાર, ભૂપત લાડવા અને મનહર મકવાણાએ પણ લોકકલાનાં રૂપોને ચિત્રકલામાં પ્રયોજયા બીજા પ્રવાહમાં શાંતિ શાહ, હીરાલાલ ખત્રી, કંઈક અંશે જગુભાઈ શાહને ગણી શકાય, જેમાં એકેડેમિકની સાથે થોડી પ્રયોગશીલતા જોવા મળે છે. - ત્રીજા પ્રવાહમાં અનેક પ્રકારના પ્રયોગ કરનારા અને અનેક પ્રયોગોનું મિશ્રણ કરનારા , તેમજ તદ્દન સ્વતંત્ર, ક્યારેક અતંત્ર કલાકારોનો સમાવેશ કરી શકાય. આવી કેટલીક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને ‘રૂપ, રંગ અને રેખાના સર્જકો વિભાગમાં રજૂ કરેલ છે. આ પરિચયશ્રેણીના કલાકારોમાંથી મોટાભાગના રાજય અને રાષ્ટ્રીય સ્તરે સમ્માનિત થયા છે, અને કોઈને કોઈ સ્વરૂપે વિદેશોમાં પણ વિસ્તર્યા છે. તેમની પસંદગીમાં માત્ર પ્રદર્શનો કે એવોર્ડઝની સંખ્યા જ કેન્દ્રમાં નથી રાખી, કેમ કે ઘણા કલાકારો એવા છે કે જેઓ એ કદી પ્રદર્શનોમાં ભાગ લીધો નથી પણ પોતે પસંદ કરેલા ક્ષેત્ર - Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy