SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૯૪૨ સ્વાતંત્ર્ય સંગ્રામની અસર. રત્ન સુધીની હિન્દી પરીક્ષા પૂર્ણ. પંદર વર્ષની ઉંમરે યોગસાધનથી આશ્રમમાં ભક્તિસત્સંગ અવિરત. ગુજરાત કોલેજનું શિક્ષણ લઈ બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ. ઘરની આર્થિક સ્થિતિ નબળી. ટયૂશનો કરી આગળ વધ્યા. ભારતના તત્કાલીન સંતો શ્રી રામદાસ સ્વામી, શિવાનંદ સરસ્વતી શ્રી આનંદભૈયા, શ્રી મનુવર્યમહારાજનો સમાગમ, સગ્રંથોનું વાચન-મનન, જ્ઞાનેશ્વરી ગીતા, ભાગવત, ઉપનિષદો જ્ઞાન–સાધના પ્રેરક ગ્રહોનું અવલોકન. એમ.બી.બી.એસ. ચોથા વર્ષે કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્ન પુસ્તક હાથમાં આવ્યું. આ પુસ્તકના વાચન પછીથી ગતજન્મના અધૂરા સંસ્કારો પૂર્ણ રીતે ઝળકી-જાગી ઊઠ્યા, વિચાર-દૃષ્ટિ બદલાઈ ગઈ. ૧૯૫૭માં ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથનું વાચન કર્યું. આધ્યાત્મિક કૂંચીઓ મળી. એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ થયા પછી વી.એસ. હોસ્પિટલ—ખોપોલી (મહારાષ્ટ્ર), મુંબઈ જે. જે. હોસ્પિટલ, માણસા-ગાંધીનગર, ગોકળદાસ હોસ્પિટલમાં ફરજ બજાવી. ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સ્વાધ્યાયનું આયોજન અને અનેક તીર્થધામોની યાત્રા તેમના સાન્નિધ્યમાં યોજાઈ. પાલિતાણા સત્ક્રુત-સેવા સાધનાકેન્દ્રોની સ્થાપના. આધ્યાત્મિક સાધનાકેન્દ્ર વિશિષ્ઠ નિયમવ્રતો અંગીકાર કરી ૧૯૮૪, ગિરનાર મુકામે આત્માનંદજી નામ ધારણ કર્યું. સમંતભદ્ર મહારાજાના આશીર્વાદથી જીવનને નવો વળાંક મળ્યો. લંડનમાં ર્કિંગહામ પેલેસમાં પ્રિન્સ ફિલિપ્સને જૈન ડેક્લેરેશન ઓન નેચર અર્પણ સમયે ધર્મપ્રભાવના કરી. ‘વિદ્યાભક્તિ–આનંદધામ' સ્વાધ્યાય હોલ પ્રમુખસ્વામી મહારાજના વરહસ્તે થયો. ‘વિશ્વધર્મ પરિષદ’ની શતાબ્દી ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની શતાબ્દી’‘ગુરુપૂર્ણિમા’ સહિતના ધાર્મિક પ્રસંગે શિકાગો, ઇંગ્લેન્ડ, અમેરિકા, યુ.કે., યુ.એસ.એ.ની ધર્મયાત્રામાં ધર્મપ્રભાવના પ્રવચનો આપ્યાં. નાતજાત--ધર્મસંપ્રદાયના ભેદભાવ વિના જૈન ધર્મ ઉપરાંત સ્વામીનારાયણ અને હિન્દુધર્મને પોતાનો લાભ આપે છે. આત્માનંદજીએ અનેક ગ્રંથોનું લેખન-સંપાદન કર્યું છે. ૪૦ ઉપરાંત ગ્રંથો ભેટ ધર્યા છે. ઉપયોગી પાથેય પૂરું પાડ્યું છે. Jain Education International ૨૯૯ ૨૪ વર્ષથી વાર્ષિક દિવાળી પુસ્તિકાઓ ૭૦-૮૦ હજાર ગુજરાતી અંગ્રેજીભાષામાં પ્રગટ થાય છે. ‘“દિવ્યધ્વનિ” માસિકનું નિયમિત પ્રકાશન થાય છે. ગુરુપ્રેરણાથી ‘વિદ્યાભક્તિ આનંદધામ' ગુરુકુળનો પ્રારંભ કરેલ છે. ધર્મસંસ્કાર વૃદ્ધિ માટે સંસ્કૃતિ સેવા અર્થે જીવન અર્પનારને શત્ શત્ વંદન. શ્રી કર્ણીરામજી મહારાજ [મહંત શ્રી વડવાળાધામ-દૂધરેજ] ભલાભોળા ગોપાલક રબારી સમાજનું શ્રદ્ધાકેન્દ્ર એટલે વડવાળા ધામ-દૂધરેજ. વિ.સ. ૧૫૦૦માં ગુરુ શ્રી નીલકંઠસ્વામીએ શરૂ કરેલી પરંપરા અને સંત સરવાણીનું પ્રગટપણું શરૂ થયું. દૂધરેજ આશ્રમના સ્થાપક શ્રી રઘુનાથ સ્વામીથી વિ.સ. ૧૫૯૫થી અને આજ વિ.સ. ૨૦૬૧માં વર્તમાન મહંત કર્ણીરામજીએ પોતાનાં ગુરુવર્યો ને આ પવિત્ર પરંપરાની ધર્મધ્વજા વિશ્વમાં ફરકતી કરી છે. સાવરકુંડલા તાલુકાનું ભોકરવા ગામ અને રબારી રાણાભાઈનો નેસ, વડવાળા દેવમાં અતૂટ શ્રદ્ધા, ઘરમાં શેર માટીની ખોટ વરતાયા કરે, પણ શ્રદ્ધાના બળે, સંતોના પ્રતાપે ત્રણ ત્રણ પુત્રો અને એક દીકરીના પિતા બન્યા. રાણાભાઈના મોટા દીકરા વીરાભાઈને ત્યા તા. ૧-૬-૧૯૬૨, વિ.સં. ૨૦૧૮ના જેઠ સુદ-૨ના દિવસે પુત્રરત્ન પ્રાપ્ત થયું. નામ રખાયું. કરસન. દાદાએ માનતા કરેલી કે એક દીકરો વડવાળાદેવને ચરણે સમર્પિત કરીશ અને પિતાએ કરશનને વિ.સં. ૨૦૩૦માં ઈ.સ. ૧૯૭૪માં વડવાળા દેવના ખોળે ૧૦૧૨ વર્ષના બાળકને અર્પણ કર્યો. કહોને કે પૂર્વના પુણ્યઉદય થયા અને કરસન પોતે ઈંશના શરણે આવ્યા. આશ્રમમાં એવી તો સેવા કરી કે પૂજ્ય ગુરુવર શ્રી કલ્યાણદાસ બાપુનું દિલ જીતી લીધું અને ગુરુપૂર્ણિમાના પાવન દિવસે દીક્ષા આપીને વડવાળા દેવના સાધુ બનાવ્યા. સમય જતાં કાઠિયાવાડ દેશના મુખત્યારનું કામ તેમના હવાલે આવતાં સમગ્ર રબારી સમાજના સાચા રાહબર બની સંત થયાનાં ૧૯ વર્ષના સમયગાળામાં અનેકો યાત્રા કરી વિશાળ સેવકસમાજમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy