SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ 300 વડવાળાદેવની શ્રદ્ધા દૃઢ કરી. વિ.સ. ૨૦૫૦ ચૈત્ર સુદ--૧૫ (પૂનમ)નો દિવસ એક નવા સૂરજ સાથે ઊગ્યો. પૂજ્ય કલ્યાણદાસજી બાપુએ સૂરજદેવળ બાપુની સાક્ષીએ સંતો-મહંતોની આજ્ઞા લઈ કર્ણીરામજી મહારાજની વડવાળા દેવના મહંતપદે અને સંત વનરાવનદાસજીની કોઠારી તરીકે નિમણૂક કરી. પોતાના ગુરુદેવની આજ્ઞાથી સમગ્ર વિશ્વના સેવકો સાથે સતત સંપર્ક કેળવ્યો. વિ.સ. ૨૦૫૬ અને ૨૬મી જાન્યુ. ૨૦૦૦માં ધરતીકંપે સમગ્ર સૌરાષ્ટ્ર/ગુજરાતને છિન્નભિન્ન કર્યું. એમાં દૂધરેજ વડવાળા મંદિર પણ ખૂબ જ નુકશાન પામ્યું. પોતાના ગુરુદેવના મગજ પર મંદિરના આઘાતે અસર કરી અને ગુરુઆજ્ઞા શીર સાટે સમજી વડવાળા આશ્રમના પુનઃ નિર્માણ માટે સમાજના ઘેરઘેર ફરી વળ્યા અને ગૌશાળા, મંદિર, ભંડારનું ફરીથી નિર્માણ થવા લાગ્યું. વિ.સં. ૨૦૫૯માં ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજે ચૈત્ર સુદ-૨ના રોજ મહાપ્રયાણ કર્યું. તેમનો વિશાળ ભંડારો ચૈત્ર વદ–૨ના રોજ ધામધૂમથી કર્યો. વિશ્વના મહાન સંતો વડવાળાધામથી પરિચિત, તેનો વ્યવહાર ખૂબ જ કુશળતાથી પોતે કરી રહ્યા છે. તાજેતરમાં જ પ.પૂ. મોરારિદાસ હરિયાણીની રામકથા દૂધરેજ ખાતે ફેબ્રુઆરી૨૦૦૫માં યોજાઈ, જેમાં રબારીસમાજ વિશ્વના ખૂણેખૂણેથી આવીને સેવા આપી. આ કથાએ અનેકોને જીવનનાં ઊજળાં ભાથાં બાંધી આપ્યાં. શ્રી ક૨ામજી મહારાજ છઠ્ઠા સ્વામીના અનુગામી એવા આ સંતપુરુષ ખૂબ જ ધીર, ગંભીર શ્રદ્ધાવાન અને સેવાના ભેખધારી છે. તેઓએ રબારી સમાજને એક નવી દિશા પૂરી પાડી છે. દૂધરેજ વડવાળા ધામના સાન્નિધ્યમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અન્ય ૩૩ જગ્યાએ ગુરુપરંપરાના દિવ્ય એવાં સ્થાપનો છે, જેમાં સંત મહારાજો સમાજને પ્રેમ, કરુણા, ભક્તિ અને ભજનની મહત્તા સમજાવી રહ્યા છે. એક ભલા-ભોળા સમાજને આધ્યાત્મિક દિશા તરફ વાળવાની સાથે સાથે સહજ રીતે જીવનના પાઠો સમજાવી રહેલા કર્ણીરામજી મહારાજ ખૂબ જ ભીડો વેઠીને ઘેર--ઘેર ફરીને ધર્મની ધ્વજા ફરકતી રહે અને વડવાળા દેવની શ્રદ્ધા વધે તેવા પ્રયત્નો કરે છે. વડવાળા દેવમાં આસ્થા ધરાવતા સમાજને કોઈપણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આપત્તિ આવે ત્યારે પોતે Jain Education International પથપ્રદર્શક ધીરગંભીર બનીને રસ્તો કરી આપે છે. પોતાના સદ્ગુરુ કલ્યાણદાસ બાપુની પ્રેરણા અને આશિષથી સમાજના સુધારા માટે તેમ જ આધ્યાત્મિક વારસાને બહોળો કરવા હંમેશાં તત્પર હોય છે. સાભાર : (અશોક ઉલ્લા-શિહોર) શ્રીમદ્ રાજચંદ્રના અનન્યભક્ત પૂ.શ્રી પોપટલાલભાઈ મહોકમચંદ શ્રીમદ્ રાજચંદ્રજીના ભક્ત પૂ. શ્રી પોપટલાલભાઈ-પૂ. ભાઈશ્રી શ્રીરાજનગર-અમદાવાદ, ૧૯૨૫, માગશર વિંદ દશમના મંગલ દિને જન્મ. પ્રભુદર્શન અને ભક્તિ બાલ્યવયથી વિનમ્ર સ્વભાવના ભાઈશ્રી માતા-પિતા ગુરુજનોની સેવામાં તત્પર; પિતાશ્રીને ગજિયાણાંની દુકાન માણેકચોકમાં હતી. ૧૬મે વર્ષે મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરી ધંધામાં જોડાયા પરંતુ ઉદાસીનભાવે, પૂર્વભવનો વૈરાગ્યભાવને ત્યાગનો વેગ અંતરજીવનમાં ભરપૂર. ગુપ્તદાનની ટેવ. સન્માર્ગના જિજ્ઞાસુ. મહાવી૨ના માર્ગમાં આટલા મતભેદ શાને? રાગદ્વેષ વગરના અવધૂત પુરુષનો જોગ મળે તેવો અંતરનિ. જેની શોધ હતી તે પ્રેરણામૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજી કાવિઠા મુકામે મળી ગયા. વર્ષોની ચાહ-પ્યાસા અંતરની આરઝૂ ફળી. પરમજ્ઞાનીપણાનો સાક્ષાત્કાર થયો. સમર્પણ કર્યું. શ્રી ભાઈશ્રીએ શ્રીમદ્રાજચંદ્રજીના સમાગમમાં ઘણું મેળવ્યું. કાવિઠા, વસો, અમદાવાદ, ઈડર, વઢવાણ સ્થળે અપૂર્વ સતસંગ થયો. સત્પુરુષોનો સમાગમ ભવસમુદ્ર તરવા નૌકારૂપ છે. શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલય બાદ પૂ. ભાઈશ્રી એ ખંભાત નજીક મેતપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્રજી નિજાભ્યાસ મંડપ (આશ્રમ) નિવૃત્તિક્ષેત્રની સ્થાપના કરી. મુમુક્ષુઓ આશ્રમમાં રહી સત્સંગ-ભક્તિનો લાભ મેળવી રહ્યા છે. ખંભાત પાસે વડવા ક્ષેત્રમાં જિનાલય, સ્વાધ્યાયમંડપ (આશ્રમ) ગુરુમંદિરનું નિર્માણ ટ્રસ્ટીઓ સંચાલન કરે છે. ભાઈશ્રીની શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે અપૂર્વ ભક્તિ કે તેના શબ્દેશબ્દને વચને–વચને હીરા ટંકાવું સત્સંગી મુમુક્ષુઓ પ્રત્યે અપૂર્વ વાત્સલ્ય હૃદયનો ઉમળકો ઊભરાતો. કોટિ કોટિ વંદન. (આ લેખમાળાના કેટલાક ફોટોગ્રાફક્સ પાછળના પાને જુઓ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy