SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) લેતાં સંદર્ભગ્રંથો આપ્યા છે. સંપાદકે ઘણું ઊંચું નિશાન તાક્યું છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે “મન્ટો અક્ષરો નાસ્તિ, નાતિ પૂનમનાપધિમ્ | યોઃ પુરુઃ નાસ્તિ યોગસ્તત્ર કુર્તમ છેકોઈ પણ કાર્ય માટે જો યોજક-આયોજન કરનાર સુલભ હોય તો કોઈ કામ અશકય ન રહે. આવા બૃહદ પરિચયકોશોના આયોજક અને ભગીરથ કાર્ય પાર પાડનાર નંદલાલભાઈ અભિનંદનને પાત્ર છે. સંશોધન અને સંપાદનનું કામ વિગતો અને રજૂઆતમાં શિસ્ત અને સજ્જતા માગી લેનારું છે. નંદલાલભાઈએ જે તે વિષયના તજ્જ્ઞો પાસેથી લેખો મેળવ્યા છે. પોતાની આગવી સૂઝબૂઝથી વિષયવાર વિભાગોની ગોઠવણી કરી છે. અર્થપૂર્ણ શીર્ષકો આપ્યાં છે. સંપાદન અને પ્રકાશનનું કામ એકલે હાથે પણ નિષ્ઠાપૂર્વક ચોક્સાઈથી કર્યું છે. બૃહદ્ પ્રતિભાદર્શન’ પછી ‘પથપ્રદર્શક પ્રતિભાઓ’ શેષ વિશેષરૂપે આવે છે. આ બન્ને ગ્રંથોમાં ગુજરાતનાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો-જેઓ સીમાચિહ્નરૂપ કાર્ય કરી ગયા છે તેમની સ્મૃતિ વિશેષરૂપે અંકિત કરવાનું કાર્ય સંપાદકે કર્યું છે. હજી પણ એવી પ્રેરણાદાયી વિભૂતિઓના પરિચય બાકી તો રહી ગયા છે, તો આ ગ્રંથની પૂર્તિરૂપે શેષ વિશેષ પ્રારૂપ ભાગ૨ સંપાદક આપશે તેવી આશા રાખીએ. થોડુંક સંપાદક વિશે – સંદર્ભગ્રંથોના સંપાદનકાર્યને સમર્પિત વ્યક્તિ શ્રી નંદલાલભાઈ ભગુભાઈ દેવલુકનું મૂળ વતનજન્મસ્થળ-પાલિતાણા. જન્મ : ૧૫ ઓક્ટોબર, ૧૯૩૫. પિતા ભગુભાઈ બ્રહ્મભટ્ટ ધાર્મિક મનોવૃત્તિવાળા હતા. તેમને રામાયણ કંઠસ્થ હતી. જીવનનાં પાછલાં વર્ષો સાધુસંતોની સેવામાં વિતાવેલાં. માતા સંતોકબહેન વ્યવહારકુશળ અને ધર્મભાવનાવાળાં ગૃહિણી. પાલિતાણાના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની, લોકસેવક અને અગ્રણી નેતા જોરસિંહભાઈ કવિ અને સંતોકબહેન બને સગાં માશીઆઈ ભાઈબહેન. જેના કારણે નંદલાલભાઈ નાનપણથી જ કવિકુટુંબના સભ્ય તરીકે સેવાદળ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. ૧૯૪રમાં આઠ વર્ષની ઉંમરે, વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે રાષ્ટ્રીય આંદોલનોમાં ભાગ લીધેલો. સેવાદળની પ્રવૃત્તિઓમાં તેમના વ્યક્તિત્વનું ઘડતર થતું ગયું. જોરસિંહભાઈના પુત્ર સનતભાઈ કવિ (હાલમાં સ્વામી અક્ષરાનંદજી), રવિનકુમાર અંજારિયા અને ગિરિરાજ કિશોર ભારતીયની પ્રેરણા અને માર્ગદર્શન તેમને સતત મળતા રહ્યા. બ્રહ્મભટ્ટ બારોટ સમાજને જેનો સાથે વર્ષોનો સંબંધ. તેના કારણે જૈનાચાર્યોનો નાનપણથી સતત સંપર્ક રહ્યો. તેમના ઘડતરમાં જૈનધર્મ અને જૈનાચાર્યોનો પ્રભાવ પણ રહ્યો છે. પાલિતાણા જૈન ગુરુકુળમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. કૌટુંબિક જરૂરિયાતને કારણે ૧૯૫૩માં ૧૮ વર્ષની ઉંમરે રૂા. ૫૦=00ના પગારથી ગ્રંથપાલ તરીકેની નોકરી શરૂ કરી. ઔપચારિક શિક્ષણ અહીં અટક્યું. પરંતુ અભ્યાસની દિશાઓ ખુલી. ગ્રંથાલયમાં કામ કરતાં કરતાં પુસ્તકો સાથે નાતો બંધાયો. ગુણવંતરાય આચાર્ય અને સોપાનનાં પુસ્તકોનાં વાંચનમાં તેમને ખૂબ આનંદ મળતો. આ સમય દરમ્યાન સેવાદળ અને સાંસ્કૃતિક આયોજનોની પ્રવૃત્તિઓ તો ચાલુ જ હતી. પાલિતાણામાં એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં નંદલાલભાઈ અને તેમના મિત્રોએ નાટક ભજવેલું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, જેઓ ત્યારે મદ્રાસના ગવર્નર હતા, તેઓ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. નંદલાલભાઈએ ૧૯૫૪ પછી કોગ્રેસ સેવાદળની યુવક પ્રવૃત્તિના ગોહિલવાડ જિલ્લાના સંગદક તરીકે, ૧૯૫૬માં તળાજા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકે, અને ૧૯૬૨માં “ભારત સેવક સમાજના કન્વીનર’ તરીકેની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy