SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) SITE = = = દાન છે. Ka કિષ્ટિ [ગુણિયલ ગુર્જર દેશ અને ગરવા ગુજરાતીઓ પ્રબાવળા ડૉ. ઉષા રા. પાઠક ‘પથપ્રદર્શક પ્રતિભાઓ’ સંદર્ભગ્રંથને સંપાદકે “ગુજરાત પ્રતિભાદર્શન'નું “શેષ વિશેષ નવું નિખરતું પ્રારૂપ' કહીને ઓળખાવ્યો છે. નભોમંડળને અજવાળતી ગૌરવશાળી પથદર્શી પ્રતિભાઓનો પરિચય કરાવતો આ ગ્રંથ “બૃહદ ગુજરાત પ્રતિભાદર્શન'ના અનુસંધાનરૂપે તૈયાર કરવામાં આવ્યો છે. ‘પથપ્રદર્શક’ એ વિશેષણ સૂચવે છે તેમ અહીં જે વ્યક્તિઓનાં જીવન-કાર્યની ઝાંખી કરાવવામાં આવી છે એ પરિચય વાચકને જીવનપથે એક ડગલું આગળ જવાની પ્રેરણા આપનારા બની રહે એવી સંપાદકની અભિલાષા છે. શ્રી નંદલાલભાઈએ ૧૯૬૪માં “ગોહિલવાડની અસ્મિતા' ભાગ-૧ પ્રગટ કર્યો, ત્યાર પછી ક્રમશઃ “ગોહિલવાડની અસ્મિતા' ભાગ-૨, સૌરાષ્ટ્રની અસ્મિતા', “એશિયાની અસ્મિતા, બૃહદ્ ગુજરાતની અસ્મિતા', ‘ભારતીય અસ્મિતા', “વિશ્વની અસ્મિતા' ભાગ-૧, “વિશ્વની અસ્મિતા ભાગ૨', “જેનરત્ન ચિંતામણી', “શાસન પ્રભાવક શ્રમણ ભગવન્તો” (પ્રથમ આવૃત્તિ), શાસનપ્રભાવક શ્રમણ ભગવન્તો' (દ્વિતીય આવૃત્તિ) ભાગ-૧-૨, “જિનશાસનનાં શ્રમણીરત્નો”, “શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી શાસનદેવી પદ્માવતી માતા', “મહામણી ચિંતામણી શ્રી ગુરુગૌતમસ્વામી', યક્ષરાજશ્રી મણિભદ્રદેવ', ‘આપણા શ્રેષ્ઠીવર્યો ભાગ-૧', “જૈન પ્રતિભાદર્શન', “બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન' આમ કુલ ૨૦ સંદર્ભગ્રંથો પ્રગટ કર્યા છે. ૨૦૦૫ની સાલમાં તેમના નવા બે ગ્રંથો પ્રગટ થઈ રહ્યા છે. (૧) પથપ્રદર્શક પ્રતિભાઓ', (૨) શ્રી ચતુર્વિધ સંઘ : તવારીખની તેજછાયા (જેન શાસનનો ઐતિહાસિક દસ્તાવેજ) ગ્રંથોની યાદી ઉપરથી તેમનાં સંપાદનનાં વિશાળ ફલકનો ખ્યાલ આવે છે. આ ૪૦ વર્ષોમાં નંદલાલભાઈએ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ આમ જીવનનાં બહુવિધ ક્ષેત્રોને આવરી Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy