SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ જ્યારે જ્યારે જગતભરમાં ધર્મનો હ્રાસ થાય, ત્યારે ત્યારે પરમ પુરુષો જન્મ લેતા જણાય; ધર્મસ્થાપી સ્વ સુચરિતથી, લાભ ધર્મોન્નતિનો સાધે, રક્ષે મુનિજન બધા, ધર્મ પુરુષ કાર્ય. ઉતરપટઃ સામાન્ય રીતે અને સ્વાભાવિક રીતે માનવ જીવનમાં ચઢઊતર આવવી એ માનવજીવનનો સ્વાભાવિક ક્રમ છે. તે જ પ્રમાણે બોટાદ સંપ્રદાયમાં બન્યું. જરા તેના પૂર્વ ઇતિહાસ તરફ એક નજર નાખી લઈએ. સંપ્રદાય નામની એક સંસ્થા વર્ષોથી ચાલતી હતી. તેના મૂળ સ્થાપક પૂ.શ્રી જસરાજજી મ.સાહેબ હતા. ત્યારબાદ પૂ.શ્રી રણછોડજી મ.સા. તથા પૂ.શ્રી અમરસિંહજી મ.સા. અને પૂ.શ્રી રણછોડજી મ.સા.ના પરિવારમાં પૂ.શ્રી હીરાચંદજી મ.સા. તેમનાં શિષ્યરત્નો પૂ.શ્રી મૂળચંદજી મ.સા; શ્રીકાનજી મ.સા. પૂ.શ્રી જગજીવનજી મ.સા; પૂ.શ્રી ઓઘડજી મ.સા. અને પૂ.શ્રી સુખલાલજી મ.સા. હતા. પૂ.શ્રી કાનજી મ.સાહેબે વિ.સં. ૧૯૯૧, ઈ.સ. ૧૯૩૫માં સ્થા. જૈન ધર્મમાંથી છૂટા થઈ જૈન સ્વાધ્યાયમંદિરસોનગઢ માર્ગી ધર્મની સોનગઢમાં સ્થાપના કરતાં બોટાદ સંપ્રદાય ઉપર એક વાવાઝોડું આવ્યું. ત્યારે દોશી નાનાલાલ ભૂદરભાઈ, શ્રી અમૃતલાલ માણેકચંદ દેસાઈ અને શ્રી મોહનલાલ દીપચંદ દેસાઈ ત્રણેએ સાથે મળીને શ્રી સંઘને હતાશા-નિરાશાની આંધીમાંથી ઉગાર્યો. કાળાનુક્રમે શ્રી સંઘનું સુકાન પૂ. ગુરુદેવશ્રી માણેકચંદજી મ.સા.ના હાથમાં આવ્યું. તેમણે શ્રી સંઘને મજબૂત બનાવ્યો એટલું જ નહીં પણ અન્ય સ્થળોએ વિચરણ કરીને સ્થા. જૈન ધર્મના પાયા પણ સુદઢ કર્યા. - સાધ્વીતીર્મની સ્થાપના પણ આ સમય દરમિયાન બંધ થયેલા સાધ્વીતીર્થને પુનઃ સ્થાપિત કરવા માટે પૂ.શ્રી માણેકચંદ્રજીના અધૂરા રહેલા સપનાને પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. સાથે અન્ય મુનિવરો અને સાથે લાઠી, બોટાદ અને દામનગરના સંઘે સાથે મળી વિચારણા કરી પૂરું કર્યું. પૂ.શ્રી ચાતુર્માસ અર્થે બોટાદ પધારતાં તેમનાં શાસ્ત્ર-જ્ઞાનાભ્યાસી પ્રભાવક વ્યાખ્યાનોના પ્રભાવ નીચે સારી એવી તપશ્ચર્યાઓ થઈ અને બે નાની ઉંમરની બહેનોને વૈરાગ્ય લેવાના ભાવ પણ ઊભા થયા. સાધ્વી તીર્થ શરૂ કરવામાં ગં.સ્વ. ચંપાબહેનના દીક્ષા લેવાના ભાવ પ્રગટ થતાં એક પીઢ બહેનની જરૂર હતી તે પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો. સાથે સાથે બા.બ્ર. સવિતાબહેન પણ દીક્ષાર્થીમાં જોડાયા. આમ ચંપાબહેનને મુખ્ય ગુણીપદે અને અન્યમાં બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન તથા બા.બ્ર. ૨૮૫ સરોજબહેનનો દીક્ષામહોત્સવ વૈશાખ વદી ૭ના રોજ ઊજવાયો. આ રીતે બોટાદમાં બોટાદ સંપ્રદાય હેઠળ ચોથા સાધ્વી તીર્થની સ્થાપના થઈ. આ નવદીક્ષિત સાધ્વીજીઓને સંયમ માર્ગની તાલીમ માટે ગોંડલ સંપ્રદાયના વિદુષી મ.સ. પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ને સોંપવામાં આવ્યાં. પૂ.શ્રી રંભાબાઈ મ.સ.એ ખૂબ પરિશ્રમ લઈને આ નવદીક્ષિતોમાં જ્ઞાનનું સિંચન કર્યું. સંક્ષિપ્તમાં આપણે ઇતિહાસ તરફ એક દષ્ટિપાત કર્યો. શ્રી ચંપાબાઈ મ.સ. : બોટાદ સ્થા. જૈન ઉપાશ્રયમાં પોતાની આગવી શૈલીમાં પૂ.શ્રી શિવલાલજી મ.સા. મૃગાપુત્રનો અધિકાર ફરમાવી રહ્યા હતા. જાતિસ્મરણ જ્ઞાનને પામેલા મૃગાપુત્ર તેમનાં પૂ. માતાજીને સમજાવી રહ્યા હતા કે “હે પૂ. માતાજી! નરક ગતિના અને નરક નિગોદનાં મહાદુઃખો હું ભોગવી ચૂક્યો છું. અને તે દુઃખો ફરીથી ન ભોગવવાં પડે તે માટે સંયમ લેવાના મારા નિર્ણયમાંથી હું ચલિત થવાનો નથી.” | ફૂલની કોમળતા : બોટાદ તાલુકાના હડદડ ગામે પિતા શ્રી લક્ષ્મીચંદભાઈ ચતુરભાઈ શાહના કુળમાં અને માતા શ્રી છબલબહેન ત્રિકમભાઈ બારભાયાની કુખે સં. ૧૯૭૧, મહા સુદી ૧૩ના દિવસે જેમનો જન્મ થયો હતો તેવા શ્રી ચંપાબહેન પણ આ અધિકાર રસપૂર્વક સાંભળી રહ્યાં હતાં. નરક ગતિનું વર્ણન સાંભળતાં પોતે બેચેન બની ગયાં હતાં અને તે વાત તેમણે તેમનાં શિક્ષિકા બહેન જલુબહેનને પણ કરી હતી. તેમનો શાળાનો અભ્યાસ તો માત્ર બે ગુજરાતીનો જ હતો, પણ પોતે જૈન ધર્મનાં જ્ઞાનપિપાસુ હતાં અને ધર્મ પ્રત્યે ઢળેલાં હતાં. શ્રાવકજી કસ્તુરચંદભાઈ અને પૂ.શ્રી સાસુમા હરિબાની છત્રછાયા નીચે શાંતિમય લગ્નજીવન પસાર કરતાં હતાં, પણ પૂ. સંતોની ધર્મમય વાણી સાંભળી પોતે તેમાં ભીંજાતાં અને તેમના માનસપટમાં દીક્ષા લેવાના ભાવ જાગતાં, પરંતુ પૂ. સાસુમાં હરિબાની બંને તેજવિહીન આંખોને કારણે તેમની સેવામાં જોડાયાં. દીક્ષા અંગીકાર કરવાની પોતાની ભાવનાને તત્કાલપૂરતી અટકાવી પણ ધર્મઆરાધનામાં ચંપાબહેન રત રહેતાં. ધર્માનુરાગી : ચંપાબહેનને ધંધાદારી કારણોસર થોડો સમય હારિજમાં વસવાટ કરવો પડ્યો હતો. તેઓ બચપનથી. ચોવિહાર કરતાં. વ્યાપાર ધંધાને કારણે પતિદેવને રાત્રે મોડું થતાં તેમનું દિલ દુભાતું. તેથી પતિની મંજરી લઈ પોતે ચોવિહાર કરતાં, છતાં પતિદેવ અને અન્ય વેપારીઓની મોડા સુધી રાત્રિભોજન લેવાની વાત તેમને ખટકતી. એકવાર ત્યાં મારવાડી ' મ.સા. પધારતાં ચંપાબહેને આ વાત પૂ.શ્રીને કરી અને તે હોલબાન લેવાની વાત તેમને અટકી જાય તો મારી Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy